Thangadh :તાલુકાના નળખંભા ગામના શ્રમજીવીનું વ્યાજખોરો દ્વારા છરીની અણીએ અપહરણ

કારમાં આવેલા અજાણ્યા 3 શખ્સોનું કરતૂત : પોલીસે તપાસ આદરીઆ વ્યાજે લીધેલા રૂપિયા સામે 2.50 લાખની માંગણી કરી અપહરણ કર્યુ ઝપાઝપી સમયે આસપાસથી લોકો એકઠા થઈ જતા ત્રણેય ફરાર થઈ ગયા થાનના નળખંભા ગામે રહેતા ખેતમજુરે સોનગઢના શખ્સ પાસેથી રૂ. 50 હજાર વ્યાજે લીધા હતા. આ વ્યાજે લીધેલા રૂપિયા સામે 2.50 લાખની માંગણી કરી ત્રણ શખ્સોએ છરીની અણીએ અપહરણ કર્યુ હતુ. બનાવની થાન પોલીસ મથકે 4 સામે ફરિયાદ નોંધાઈ છે. નળખંભા ગામે રહેતા અવસરભાઈ ભીમાભાઈ સારલા ખેતમજુરી કરે છે. તેઓએ 6 માસ પહેલા સોનગઢના જીતેન્દ્રભાઈ પાસેથી રૂ. 50 હજાર વ્યાજે લીધા હતા. અઢી માસ પહેલા જીતેન્દ્રએ ફોન કરી પૈસા પરત માંગ્યા હતા. જેમાં અવસરભાઈએ દિવાળી બાદ પૈસા આપવાની વાત કરી હતી. તા. 16મીએ સાંજે અવસરભાઈ કાર લઈને ખોળ લેવા ગયા હતા. જયાં 3 શખ્સો કાર લઈને આવ્યા હતા અને પેટના ભાગે છરી રાખી કારમાં અવસરભાઈને બેસાડી અપહરણ કર્યુ હતુ. અને કાર ચોટીલા તરફ મારી મુકી હતી. આ શખ્સોએ પોતાને જીતેન્દ્રભાઈએ મોકલ્યા હોવાનું કહી વ્યાજના રૂ. 2.50 લાખની માંગણી કરી હતી. તેમજ અવસરભાઈને ધમકી આપી હતી. આ સમયે અવસરભાઈએ છરી આ શખ્સો પાસેથી ઝુંટવી લીધી હતી. જેમાં તેઓને હાથે ઈજા થઈ હતી. અને છરી અવસરભાઈના હાથમાં આવી જતા તેઓને નીચે ઉતારી છરી લેવા ત્રણેય શખ્સોએ ઝપાઝપી કરી હતી. આ સમયે આસપાસથી લોકો એકઠા થઈ જતા ત્રણેય ફરાર થઈ ગયા હતા.

Thangadh :તાલુકાના નળખંભા ગામના શ્રમજીવીનું વ્યાજખોરો દ્વારા છરીની અણીએ અપહરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કારમાં આવેલા અજાણ્યા 3 શખ્સોનું કરતૂત : પોલીસે તપાસ આદરી
  • આ વ્યાજે લીધેલા રૂપિયા સામે 2.50 લાખની માંગણી કરી અપહરણ કર્યુ
  • ઝપાઝપી સમયે આસપાસથી લોકો એકઠા થઈ જતા ત્રણેય ફરાર થઈ ગયા

થાનના નળખંભા ગામે રહેતા ખેતમજુરે સોનગઢના શખ્સ પાસેથી રૂ. 50 હજાર વ્યાજે લીધા હતા. આ વ્યાજે લીધેલા રૂપિયા સામે 2.50 લાખની માંગણી કરી ત્રણ શખ્સોએ છરીની અણીએ અપહરણ કર્યુ હતુ. બનાવની થાન પોલીસ મથકે 4 સામે ફરિયાદ નોંધાઈ છે.

નળખંભા ગામે રહેતા અવસરભાઈ ભીમાભાઈ સારલા ખેતમજુરી કરે છે. તેઓએ 6 માસ પહેલા સોનગઢના જીતેન્દ્રભાઈ પાસેથી રૂ. 50 હજાર વ્યાજે લીધા હતા. અઢી માસ પહેલા જીતેન્દ્રએ ફોન કરી પૈસા પરત માંગ્યા હતા. જેમાં અવસરભાઈએ દિવાળી બાદ પૈસા આપવાની વાત કરી હતી. તા. 16મીએ સાંજે અવસરભાઈ કાર લઈને ખોળ લેવા ગયા હતા. જયાં 3 શખ્સો કાર લઈને આવ્યા હતા અને પેટના ભાગે છરી રાખી કારમાં અવસરભાઈને બેસાડી અપહરણ કર્યુ હતુ. અને કાર ચોટીલા તરફ મારી મુકી હતી. આ શખ્સોએ પોતાને જીતેન્દ્રભાઈએ મોકલ્યા હોવાનું કહી વ્યાજના રૂ. 2.50 લાખની માંગણી કરી હતી. તેમજ અવસરભાઈને ધમકી આપી હતી. આ સમયે અવસરભાઈએ છરી આ શખ્સો પાસેથી ઝુંટવી લીધી હતી. જેમાં તેઓને હાથે ઈજા થઈ હતી. અને છરી અવસરભાઈના હાથમાં આવી જતા તેઓને નીચે ઉતારી છરી લેવા ત્રણેય શખ્સોએ ઝપાઝપી કરી હતી. આ સમયે આસપાસથી લોકો એકઠા થઈ જતા ત્રણેય ફરાર થઈ ગયા હતા.