Surendranagar: મૈત્રી સંબંધ ધરાવતી મહિલાના ઘરે આવેલા આધેડનું અપહરણ કરાયું

મહિલાની દીકરી સહિત 4 સામે સુરેન્દ્રનગર શહેરના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધતા તપાસ હાથ ધરાઈસુરેન્દ્રનગરની આ ઘટના મહિલા અપહરણ અને મારપીટની કરારે આરોપીઓ પર ગરજોથી ઉતારવામાં આવ્યો છે દિકરી સાથે આધેડને સુરેન્દ્રનગરની એક મહિલા સાથે મૈત્રી સંબંધ બંધાવેલો હતો ભાવનગરમાં રહેતા અને ટ્રક ડ્રાઈવીંગ કરતા 48 વર્ષીય આધેડને સુરેન્દ્રનગરની મહિલા સાથે મૈત્રી સંબંધ બંધાયો હતો. તા. 6ને રાત્રે તેઓ મહિલાના ઘરે સુરેન્દ્રનગર આવ્યા હતા. ત્યારે મહિલાની દિકરી સહિત ચાર આરોપીઓએ આધેડને માર મારી અપહરણ કર્યાની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ભાવનગરના ચીત્રા વિસ્તારમાં રહેતા 48 વર્ષીય કૌશીકભારથી કરશનભારથી ગોસ્વામી ડ્રાઈવીંગ કરે છે. તેઓને સુરેન્દ્રનગરમાં રહેતી એકમહિલા સાથે છેલ્લા આઠ માસથી મૈત્રી સંબંધ બંધાયો હતો. બન્ને અવારનવાર ફોનમાં વાતો કરતા હતા. અને મળતા હતા. અષાઢી બીજના પર્વે કૌશીકભારથીને પોતાના બોટાદ ખાતેના ઘરે કળશ મુકવાનો હોવાની તેઓએ મહિલાને વાત કરી હતી. આથી સુરેન્દ્રનગરથી બોટાદની ટ્રેન મળી રહેશે તેમ કહેતા કૌશીકભારથી શનિવારે રાત્રે આણંદ શહેરથી સુરેન્દ્રનગર આવ્યા હતા. ત્યારે રાતના સમયે મહિલાની દિકરી, વિમલનાથ સોસાયટીમાં રહેતો ઋષભ સુરેશભાઈ શાહ, મહાવીરસીંહ ઉર્ફે શંભુભાઈ રમુભા ઝાલા અને કૃપાલસીંહ મહાવીરસીંહ ઝાલા મહિલાના ઘરે ગયા હતા અને શેરડીના ડંડા વડે કૌશીકભારથીને માર માર્યો હતો. જયારે તને પોલીસ મથકે લઈ જવાનો છે. તેમ કહીને કારમાં અપહરણ કરી દુધરેજ કેનાલે લઈ ગયા હતા. અને ત્યાં પણ ઝઘડો કરી માર માર્યો હતો. આ સમયે પોલીસની પેટ્રોલિંગ વાન આવી જતા તેઓએ ચારેય આરોપીઓને હસ્તગત કરી લીધા હતા અને ઈજાગ્રસ્ત કૌશીકભારથીને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ચારેય સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એચ.એસ. જાડેજા ચલાવી રહ્યા છે.

Surendranagar: મૈત્રી સંબંધ ધરાવતી મહિલાના ઘરે આવેલા આધેડનું અપહરણ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહિલાની દીકરી સહિત 4 સામે સુરેન્દ્રનગર શહેરના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધતા તપાસ હાથ ધરાઈ
  • સુરેન્દ્રનગરની આ ઘટના મહિલા અપહરણ અને મારપીટની કરારે આરોપીઓ પર ગરજોથી ઉતારવામાં આવ્યો છે
  • દિકરી સાથે આધેડને સુરેન્દ્રનગરની એક મહિલા સાથે મૈત્રી સંબંધ બંધાવેલો હતો

ભાવનગરમાં રહેતા અને ટ્રક ડ્રાઈવીંગ કરતા 48 વર્ષીય આધેડને સુરેન્દ્રનગરની મહિલા સાથે મૈત્રી સંબંધ બંધાયો હતો. તા. 6ને રાત્રે તેઓ મહિલાના ઘરે સુરેન્દ્રનગર આવ્યા હતા. ત્યારે મહિલાની દિકરી સહિત ચાર આરોપીઓએ આધેડને માર મારી અપહરણ કર્યાની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ભાવનગરના ચીત્રા વિસ્તારમાં રહેતા 48 વર્ષીય કૌશીકભારથી કરશનભારથી ગોસ્વામી ડ્રાઈવીંગ કરે છે. તેઓને સુરેન્દ્રનગરમાં રહેતી એકમહિલા સાથે છેલ્લા આઠ માસથી મૈત્રી સંબંધ બંધાયો હતો. બન્ને અવારનવાર ફોનમાં વાતો કરતા હતા. અને મળતા હતા. અષાઢી બીજના પર્વે કૌશીકભારથીને પોતાના બોટાદ ખાતેના ઘરે કળશ મુકવાનો હોવાની તેઓએ મહિલાને વાત કરી હતી. આથી સુરેન્દ્રનગરથી બોટાદની ટ્રેન મળી રહેશે તેમ કહેતા કૌશીકભારથી શનિવારે રાત્રે આણંદ શહેરથી સુરેન્દ્રનગર આવ્યા હતા.

ત્યારે રાતના સમયે મહિલાની દિકરી, વિમલનાથ સોસાયટીમાં રહેતો ઋષભ સુરેશભાઈ શાહ, મહાવીરસીંહ ઉર્ફે શંભુભાઈ રમુભા ઝાલા અને કૃપાલસીંહ મહાવીરસીંહ ઝાલા મહિલાના ઘરે ગયા હતા અને શેરડીના ડંડા વડે કૌશીકભારથીને માર માર્યો હતો. જયારે તને પોલીસ મથકે લઈ જવાનો છે. તેમ કહીને કારમાં અપહરણ કરી દુધરેજ કેનાલે લઈ ગયા હતા. અને ત્યાં પણ ઝઘડો કરી માર માર્યો હતો. આ સમયે પોલીસની પેટ્રોલિંગ વાન આવી જતા તેઓએ ચારેય આરોપીઓને હસ્તગત કરી લીધા હતા અને ઈજાગ્રસ્ત કૌશીકભારથીને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ચારેય સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એચ.એસ. જાડેજા ચલાવી રહ્યા છે.