Surendranagar: જોરાવરનગરના 80 વર્ષીય વૃદ્ધે નર્મદા કેનાલમાં ઝંપલાવી મોત વહાલું કરી લીધું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરના દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં બુધવારે સવારના સમયે કોઈનો મૃતદેહ તરતો હોવાની જાણ થતા મહાનગરપાલીકાની ફાયરની ટીમ દોડી ગઈ હતી. અને મૃતદેહ બહાર કાઢયો હતો. આ અંગેની જાણ થતા સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના જમાદાર સુરૂભા પરધવી સહિતનાઓ જઈ મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો. કેનાલ પાસેથી એક સ્લીપર અને લાકડી મળી આવી હતી. જેમાં પોલીસે મૃતકના ફોટા સોશીયલ મીડિયામાં વાયરલ કરતા મૃતક જોરાવરનગરના ત્રીમુર્તી સ્કુલ પાસે રહેતા 80 વર્ષીય અરવિંદભાઈ લક્ષ્મીચંદભાઈ ખંધાર હોવાનું સામે આવ્યુ હતુ. પરિવારજનોએ હાલ કોઈ પોલીસ કાર્યવાહીનો ઈન્કાર કરતા પોલીસે પીએમ બાદ લાશ પરીવારજનોને સોંપી સ્ટેશન ડાયરીમાં નોંધ કરી છે.
What's Your Reaction?






