Surendranagar: વઢવાણ ગ્રામ્યમાં મામા-ભાણા પર મારી નાંખવાના ઈરાદે કાર ચડાવી દીધી

Jan 19, 2025 - 00:30
Surendranagar: વઢવાણ ગ્રામ્યમાં મામા-ભાણા પર મારી નાંખવાના ઈરાદે કાર ચડાવી દીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુળ લીંબડીના ભોયકાના રામદેવભાઈ મનજીભાઈ નાકીયા હાલ વઢવાણની બજરંગ સોસાયટીમાં રહે છે. અને વાડી ભાગવી રાખી મજુરી કરે છે. તેઓને કોઠારીયા ગામે રહેતી 3 સંતાનોની માતા સાથે આંખ મળી ગઈ હતી. આ પરિણીતાએ ર વર્ષ પહેલા તેના પતિ ભાવેશ લાલજીભાઈ ચૌહાણને દોઢ વર્ષ પહેલા છુટા છેડા આપી દીધા હતા.

અને મૈત્રી કરાર કરી બન્ને સાથે રહેતા હતા. ત્યારબાદ એકાદ વર્ષ પહેલા બન્નેએ આર્ય સમાજમાં લગ્ન કરી લીધા હતા. આ વાતનું મનદુઃખ રાખી ભાવેશ અવારનવાર રામદેવભાઈને ફોન કરી મારી નાંખવાની ધમકી આપતો હતો. અને અવારનવાર પોતાની કાર લઈને રામદેવ મજુરી કરે તે વાડી બાજુ આંટા મારતો હતો. પરંતુ કોઈને કોઈ રામદેવભાઈ સાથે હોય તે જતો રહેતો હતો. તા. 17મીએ બપોરે રામદેવભાઈ અને તેમનો દોઢ વર્ષનો ભાણો કાર્તીક દીલીપભાઈ બાઈક લઈને કેનમાં ડીઝલ પુરાવવા નીકળ્યા હતા. જેમાં ભાણાને આગળ બેસાડયો હતો. જેમાં વાડીએથી થોડે આગળ રોંગ સાઈડમાં સફેદ કાર ઉભી હતી અને રામદેવભાઈને જોઈને કાર સ્ટાર્ટ કરી બાઈક પર ચડાવી દીધી હતી. જેમાં રામદેવભાઈ નીચે પટકાયા હતા અને બાઈક તથા ભાણો કાર્તીક કાંટામાં જઈ પડયા હતા. બનાવ બાદ કારમાંથી ભાવેશ ઉતરીને ફરાર થઈ ગયો હતો. બનાવમાં રામદેવભાઈને પગે અને કાર્તીકને ઈજા થતા સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પીટલ લઈ જવાયા હતા.

બનાવની બી ડીવીઝન પોલીસ મથકે કોઠારીયાના ભાવેશ લાલજીભાઈ ચૌહાણ સામે ખુનની કોષીશની ફરિયાદ નોંધાતા વધુ તપાસ ડીવાયએસપી રીધ્ધી ગુપ્તે ચલાવી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0