Surendranagarના ચોટીલાના રેશમીયા ગામે સેવા સેતુના કાર્યક્રમમાં 1860 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં રેશમીયા ગામે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ રેશમીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં અરજદારોના જુદાજુદા ૧૮૬૦ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં રેશમિયા, ડોસલીઘુના, લોમાકોટડી, મેવાસા (શેખલીયા), પીપળીયા(ધા), ચીરોડા(રાજ), કાબરણ, રાજપરા, પાંચવડા, મોકાસર, લાખચોકીયા, પીયાવા, પીપરાળી, હબીયાસર, હિરાસર, લાખણકા, સણોસરા, અકાળા, જશાપર, ખેરાણા, શેખલીયા, રામપરા(રાજપરા), ખાટડી, ત્રંબોડા, નાની મોરસલ, ભીમોરા સહીત કુલ ૨૬ જેટલા ગામનાં નાગરિકોએ લાભ મેળવ્યો હતો. હેલ્થ વેલનેસ કાર્ડ આપવામાં આવ્યા જેમાં ડીવમીંગને લગતી ૧૪૦૯ અરજી, રેશનકાર્ડમાં ઈ-કેવાયસી બાબતે ૨૩૦ અરજી, રેશનકાર્ડમાં નામ દાખલ કરવા અંગે ૧૪ અરજી, આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે ૩૫ અરજી, રેશનકાર્ડમાં સુધારા કરવા માટે ૧૫ અરજી, આવકના દાખલા માટે ૧૫ અરજી સહીત નામોશ્રી યોજના, નવા વીજ જોડાણ, જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, જન્મ મરણ પ્રમાણપત્ર સહીત જુદી જુદી કુલ ૧૮૬૦ અરજીઓ મળી હતી. પ્રાપ્ત થયેલ તમામ અરજીઓનો ૧૦૦% હકારાત્મક ઉકેલ લવાયો હતો. તદુપરાંત ૧૧ જેટલા પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, તેમજ ૫૫ જેટલા લોકોને ડાયાબીટીસ અને બીપીની ચકાસણી કરી હેલ્થ વેલનેસ કાર્ડ આપવામાં આવ્યા હતા. આવતીકાલે પણ યોજાશે કાર્યક્રમ આમ, સેવા સેતુ કાર્યક્રમએ પ્રજાજનોના પ્રશ્નોને સ્થળ પર ઉકેલ લાવવાનું અસરકારક માધ્યમ બન્યું છે. રાજ્ય સરકારના આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે. લોકો સરકારી સેવાઓના લાભો ઘર નજીક જ સરળતાથી મેળવી રહ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં દસમા તબકકાના સેવા સેતુ કાર્યક્રમ અન્વયે વઢવાણ તાલુકામાં પ્રાણગઢ ગામે તા. ૧૮ ઓક્ટોબર ૨૦૨૪, શુક્રવારના રોજ પ્રાણગઢ પ્રાથમિક શાળા ખાતે સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી “સેવા સેતુ કાર્યક્રમ” યોજાશે. જેમાં રૂપાવટી, વેળાવદર, ખોડુ, નગરા, કટુડા, લટુડા, ભદ્રેશી, ચમારજ, અઘેલી, ખમીસણા, મુંજપર(પરમાર), ખેરાળી, પ્રાણગઢ સહીત કુલ ૧૩ ગામમાં સમાવિષ્ટ નાગરિકો લાભ મેળવી શકશે. 

Surendranagarના ચોટીલાના રેશમીયા ગામે સેવા સેતુના કાર્યક્રમમાં 1860 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં રેશમીયા ગામે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ રેશમીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં અરજદારોના જુદાજુદા ૧૮૬૦ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં રેશમિયા, ડોસલીઘુના, લોમાકોટડી, મેવાસા (શેખલીયા), પીપળીયા(ધા), ચીરોડા(રાજ), કાબરણ, રાજપરા, પાંચવડા, મોકાસર, લાખચોકીયા, પીયાવા, પીપરાળી, હબીયાસર, હિરાસર, લાખણકા, સણોસરા, અકાળા, જશાપર, ખેરાણા, શેખલીયા, રામપરા(રાજપરા), ખાટડી, ત્રંબોડા, નાની મોરસલ, ભીમોરા સહીત કુલ ૨૬ જેટલા ગામનાં નાગરિકોએ લાભ મેળવ્યો હતો.

હેલ્થ વેલનેસ કાર્ડ આપવામાં આવ્યા

જેમાં ડીવમીંગને લગતી ૧૪૦૯ અરજી, રેશનકાર્ડમાં ઈ-કેવાયસી બાબતે ૨૩૦ અરજી, રેશનકાર્ડમાં નામ દાખલ કરવા અંગે ૧૪ અરજી, આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે ૩૫ અરજી, રેશનકાર્ડમાં સુધારા કરવા માટે ૧૫ અરજી, આવકના દાખલા માટે ૧૫ અરજી સહીત નામોશ્રી યોજના, નવા વીજ જોડાણ, જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, જન્મ મરણ પ્રમાણપત્ર સહીત જુદી જુદી કુલ ૧૮૬૦ અરજીઓ મળી હતી. પ્રાપ્ત થયેલ તમામ અરજીઓનો ૧૦૦% હકારાત્મક ઉકેલ લવાયો હતો. તદુપરાંત ૧૧ જેટલા પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, તેમજ ૫૫ જેટલા લોકોને ડાયાબીટીસ અને બીપીની ચકાસણી કરી હેલ્થ વેલનેસ કાર્ડ આપવામાં આવ્યા હતા.


આવતીકાલે પણ યોજાશે કાર્યક્રમ

આમ, સેવા સેતુ કાર્યક્રમએ પ્રજાજનોના પ્રશ્નોને સ્થળ પર ઉકેલ લાવવાનું અસરકારક માધ્યમ બન્યું છે. રાજ્ય સરકારના આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે. લોકો સરકારી સેવાઓના લાભો ઘર નજીક જ સરળતાથી મેળવી રહ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં દસમા તબકકાના સેવા સેતુ કાર્યક્રમ અન્વયે વઢવાણ તાલુકામાં પ્રાણગઢ ગામે તા. ૧૮ ઓક્ટોબર ૨૦૨૪, શુક્રવારના રોજ પ્રાણગઢ પ્રાથમિક શાળા ખાતે સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી “સેવા સેતુ કાર્યક્રમ” યોજાશે. જેમાં રૂપાવટી, વેળાવદર, ખોડુ, નગરા, કટુડા, લટુડા, ભદ્રેશી, ચમારજ, અઘેલી, ખમીસણા, મુંજપર(પરમાર), ખેરાળી, પ્રાણગઢ સહીત કુલ ૧૩ ગામમાં સમાવિષ્ટ નાગરિકો લાભ મેળવી શકશે.