Suratમાં સરસ્વતી શાળામાં લાગી આગ, લાયબ્રેરીમાં A.C.ચાલુ કરતાં જ ભડકો

Feb 20, 2025 - 12:00
Suratમાં સરસ્વતી શાળામાં લાગી આગ, લાયબ્રેરીમાં A.C.ચાલુ કરતાં જ ભડકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના અશ્વિની કુમાર મેઇન રોડ પર આવેલી સરસ્વતી સ્કૂલમાં આગ લાગવાની દુર્ઘટના સામે આવી.શાળાની લાયબ્રેરી રૂમમાં એસી ચાલુ કરતા ધડાકા સાથે આગ લાગી. આગ દુર્ઘટનાને પગલે શાળામાં નાસભાગ મચી જવા પામી. ચાલુ શાળા દરમ્યાન આગ લાગતા શિક્ષકો સહિત વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો.વાલીઓને આગ ઘટનાની જાણ થતા ઉંચા મને બાળકોને લેવા શાળાએ પહોંચ્યા.

અશ્વિની કુમાર મેઈન રોડ પર આવેલ સરસ્વતી શાળામાં આગ દુર્ઘટનાનો બનાવ બન્યો ત્યારે 800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. શાળામાં આગ લાગવાના સમાચાર મળતાં જ વાલીઓના જીવ પડીક બંધાયા. વાલીઓ પોતાના બાળકોને બચાવવા શાળા તરફ દોડ્યા. અનેક વાલીઓ દ્વારા આગ દુર્ઘટનાની ચોક્કસ માહિતી મેળવવા શાળા મેનેજમેન્ટને ફોન કરવામાં આવ્યા. પરંતુ તમામ લોકો આગ બુઝાવવાની કામગીરીમાં હોવાથી કોઈ વ્યક્તિગત રીતે સંપર્ક ના કરાતા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ તાત્કાલિક શાળા ખાલી કરી વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ.

સરસ્વતી શાળામાં લાયબ્રેરીમાં એ.સી. ચાલુ કરતાં જ પહેલા ભડાકો થયો અને ત્યારબાદ ભડકો થયો. એક તણખા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં શાળામાં ભાગદોડ મચી ગઈ. લાઈબ્રેરી રૂમમાં આગ લાગતાં શાળા દ્વારા ત્વરિત પગલાં લઈ ફાયર બ્રિગેડની ટિમને જાણ કરવામાં આવી. શાળામાં 800થી વધુ વિદ્યાર્થીઓ હાજર હતાં દરમ્યાન આગ લાગતાં ફાયરબ્રિગેડને પણ મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક પગલાં લીધા. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ કાબુ કરી. હાલમાં સરસ્વતી શાળામાં લાગેલ આગ પર તમામ સ્થિતિ નિયંત્રણમાં હોવાની શાળા સંચાલકો દાવો કરી રહ્યા છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0