Surat: માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસમાં કોર્ટનો મોટો ચૂકાદો, આરોપીને ફટકારી આજીવન કેદ

ગત 7મી ઓક્ટોબરની રાત્રે માંગરોળના ચર્ચિત દુષ્કર્મ કેસના 4 મહિના બાદ કોર્ટે બે આરોપીઓને આજીવન કેદની સજા અને રૂ.5 હજારનો દંડ ફટકાર્યો છે. સુરત સેશન્સ કોર્ટે  ગેંગરેપના બે આરોપી મુન્ના પાસવાન, રાજુ વિશ્વકર્માને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે.સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં સુરતની સ્પે. પોક્સો કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. સાડા ચાર મહિના નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચૂકાદો આપ્યો છે. ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નિપજ્યું હતું. જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા હતા. કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સુરત સેશન્સ કોર્ટે ગેંગરેપના બે આરોપી મુન્ના પાસવાન, રાજુ વિશ્વકર્માને છેલ્લા શ્વાસ સુધીની સજા અને રૂ.5 હજારનો દંડ પણ ફટકાર્યો છે.ગેંગરેપના બે આરોપીને સુરત સેશન્સ કોર્ટે બન્ને આરોપીને દોષિત ઠેરવ્યા હતા. 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. કોર્ટમાં 17 જેટલા મહત્વનાં પુરાવા રજૂ કર્યા હતા. વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, ગેંગરેપના બે આરોપીને એટ્રોસિટી એક્ટ હેઠળ પણ દંડ ફટકારાયો છે. કોર્ટે નોંધ્યું કે આરોપી માનસિક વિકૃત છે. ગુના પ્રમાણેની સજા હોવી જોઇએ તેવું કોર્ટે નોંધ્યુ છે. કોર્ટે કહ્યું કે બળાત્કારના કેસમાં ઓછી સજા ન થઇ શકે. આ કેસમાં 47 સાક્ષીઓ, 90 દસ્તાવેજી પૂરાવા રજૂ કરાયા હતા. ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવ્યા બાદ આ પ્રથમ ચૂકાદો આવ્યો છે.શું હતો સમગ્ર મામલોસુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે 8 ઓક્ટોબરે (મંગળવાર) મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા. આજીવન કેદની સજા થાય તેવી કલમ જોકે સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લેવાઈ. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી. પોલીસને જે બાઈક મળી છે તેના આધારે બે આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સધન તપાસ બાદ ત્રણેય આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી હતી. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવી હતી. 

Surat: માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસમાં કોર્ટનો મોટો ચૂકાદો, આરોપીને ફટકારી આજીવન કેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગત 7મી ઓક્ટોબરની રાત્રે માંગરોળના ચર્ચિત દુષ્કર્મ કેસના 4 મહિના બાદ કોર્ટે બે આરોપીઓને આજીવન કેદની સજા અને રૂ.5 હજારનો દંડ ફટકાર્યો છે. સુરત સેશન્સ કોર્ટે  ગેંગરેપના બે આરોપી મુન્ના પાસવાન, રાજુ વિશ્વકર્માને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે.

સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં સુરતની સ્પે. પોક્સો કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. સાડા ચાર મહિના નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચૂકાદો આપ્યો છે. ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નિપજ્યું હતું. જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા હતા. કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સુરત સેશન્સ કોર્ટે ગેંગરેપના બે આરોપી મુન્ના પાસવાન, રાજુ વિશ્વકર્માને છેલ્લા શ્વાસ સુધીની સજા અને રૂ.5 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

ગેંગરેપના બે આરોપીને સુરત સેશન્સ કોર્ટે બન્ને આરોપીને દોષિત ઠેરવ્યા હતા. 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. કોર્ટમાં 17 જેટલા મહત્વનાં પુરાવા રજૂ કર્યા હતા. વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, ગેંગરેપના બે આરોપીને એટ્રોસિટી એક્ટ હેઠળ પણ દંડ ફટકારાયો છે. કોર્ટે નોંધ્યું કે આરોપી માનસિક વિકૃત છે. ગુના પ્રમાણેની સજા હોવી જોઇએ તેવું કોર્ટે નોંધ્યુ છે. કોર્ટે કહ્યું કે બળાત્કારના કેસમાં ઓછી સજા ન થઇ શકે. આ કેસમાં 47 સાક્ષીઓ, 90 દસ્તાવેજી પૂરાવા રજૂ કરાયા હતા. ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવ્યા બાદ આ પ્રથમ ચૂકાદો આવ્યો છે.

શું હતો સમગ્ર મામલો

સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે 8 ઓક્ટોબરે (મંગળવાર) મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.

આજીવન કેદની સજા થાય તેવી કલમ

જોકે સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લેવાઈ. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી. પોલીસને જે બાઈક મળી છે તેના આધારે બે આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સધન તપાસ બાદ ત્રણેય આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી હતી. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવી હતી.