Surat: બેફામ ટ્રક ચાલકે પશુઓને લીધા અટફેટે, 5 પશુના ઘટના સ્થળે મોત

રોડ ક્રોસ કરતા પશુઓને ટ્રકે અડફેટે લીધાસિયાલજ પાસે અકસ્માતમાં 5 પશુઓના મોત પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી સુરતમાં વાહનચાલકો બેફામ બન્યા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. સુરતમાં એક ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક ચલાવી રહ્યો હતો અને સિયાલજ પાસે ટ્રકનો મોટો અકસ્માત સર્જાયો હતો. આ બેફામ ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતા પશુઓને અટફેટે લીધા અને આ અકસ્માતમાં 5 પશુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. સિયાલજ નજીક નેશનલ હાઈવે 48 પર આ અકસ્માત સર્જાયો સિયાલજ નજીક નેશનલ હાઈવે 48 પર આ અકસ્માત સર્જાયો હતો, જેમાં રોડ ક્રોસ કરી રહેલા પશુઓને ટ્રકે અટફેટે લેતા 5 પશુઓના મોત થયા હતા અને સાથે જ એક અર્ટિગા કાર પણ અટફેટે આવી હતી. જેના કારણે કારમાં નુકસાન પહોંચ્યુ છે, જો કે અકસ્માતમાં કોઈ વ્યક્તિનો જીવ ગયો નથી. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. દારૂના નશામાં નબીરાએ 4 લોકો પર ચઢાવી દીધી હતી કાર ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ શહેરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી છે. જેમાં બેફામ રીતે લોકો વ્હીકલ સ્પીડમાં ચલાવતા હોય છે અકસ્માત સર્જતા હોય છે. થોડા દિવસ પહેલા જ સુરતના અલથાણ વિસ્તારમાં ઓડી કારના ચાલકે ચાર લોકો પર કાર ચઢાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાત્રીના સમયે કાર એટલી સ્પીડમાં હતી કે,તેણે રોડની સાઈડ પર બેઠેલા 4 લોકોને અડફેટે લીધા હતા, ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીની ધરપકડ કરી હતી. 25 માર્ચ 2024ના રોજ પણ કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા હતા સુરતના મોટા વરાછામાં છાકટા બનેલા નબીરાએ બેફામ કાર ચલાવી બાઈક સવારને અડફેટે લેતા રોષ પ્રસર્યો હતો. કારચાલક નશામાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા હતા. પોલીસ સુધી મામલો પહોચતા ભાવેશ ચલોડિયા નામના શખ્સને પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. જ્યારે કારની અડફેટે ઘાયલ બાઇક સવારને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ પહેલા પણ અકસ્માતની એવી કેટલીક ઘટનાઓ સામે આવી છે, જેમાં બેફામ રીતે કાર ચાલકો કાર ચલાવે છે અને ર્નિદોષ લોકોને તેનો ભોગ બનવુ પડે છે.

Surat: બેફામ ટ્રક ચાલકે પશુઓને લીધા અટફેટે, 5 પશુના ઘટના સ્થળે મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રોડ ક્રોસ કરતા પશુઓને ટ્રકે અડફેટે લીધા
  • સિયાલજ પાસે અકસ્માતમાં 5 પશુઓના મોત
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

સુરતમાં વાહનચાલકો બેફામ બન્યા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. સુરતમાં એક ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક ચલાવી રહ્યો હતો અને સિયાલજ પાસે ટ્રકનો મોટો અકસ્માત સર્જાયો હતો. આ બેફામ ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતા પશુઓને અટફેટે લીધા અને આ અકસ્માતમાં 5 પશુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા.

સિયાલજ નજીક નેશનલ હાઈવે 48 પર આ અકસ્માત સર્જાયો

સિયાલજ નજીક નેશનલ હાઈવે 48 પર આ અકસ્માત સર્જાયો હતો, જેમાં રોડ ક્રોસ કરી રહેલા પશુઓને ટ્રકે અટફેટે લેતા 5 પશુઓના મોત થયા હતા અને સાથે જ એક અર્ટિગા કાર પણ અટફેટે આવી હતી. જેના કારણે કારમાં નુકસાન પહોંચ્યુ છે, જો કે અકસ્માતમાં કોઈ વ્યક્તિનો જીવ ગયો નથી. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.

દારૂના નશામાં નબીરાએ 4 લોકો પર ચઢાવી દીધી હતી કાર

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ શહેરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી છે. જેમાં બેફામ રીતે લોકો વ્હીકલ સ્પીડમાં ચલાવતા હોય છે અકસ્માત સર્જતા હોય છે. થોડા દિવસ પહેલા જ સુરતના અલથાણ વિસ્તારમાં ઓડી કારના ચાલકે ચાર લોકો પર કાર ચઢાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાત્રીના સમયે કાર એટલી સ્પીડમાં હતી કે,તેણે રોડની સાઈડ પર બેઠેલા 4 લોકોને અડફેટે લીધા હતા, ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીની ધરપકડ કરી હતી.

25 માર્ચ 2024ના રોજ પણ કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા હતા

સુરતના મોટા વરાછામાં છાકટા બનેલા નબીરાએ બેફામ કાર ચલાવી બાઈક સવારને અડફેટે લેતા રોષ પ્રસર્યો હતો. કારચાલક નશામાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા હતા. પોલીસ સુધી મામલો પહોચતા ભાવેશ ચલોડિયા નામના શખ્સને પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. જ્યારે કારની અડફેટે ઘાયલ બાઇક સવારને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ પહેલા પણ અકસ્માતની એવી કેટલીક ઘટનાઓ સામે આવી છે, જેમાં બેફામ રીતે કાર ચાલકો કાર ચલાવે છે અને ર્નિદોષ લોકોને તેનો ભોગ બનવુ પડે છે.