Surat: અલથાણમાં માતા-પુત્રના આપઘાત કેસમાં પોલીસે પૂજા પટેલ સામે હત્યાનો ગુનો નોંધ્યો, CCTVમાં બન્નેની આત્મહત્યા વચ્ચે 13 સેકન્ડનો ફેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના અલથાણમાં માતા-પુત્રના મોત મુદ્દે તપાસ કરવામાં આવી છે. પોલીસે માતા પૂજા પટેલ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. FSL અને CCTV ફૂટેજની મદદથી ગુનો નોંધ્યો છે. FSL રિપોર્ટમાં બાળક પાળી કૂદી શકે એમ નથી. CCTVમાં બન્નેના આપઘાત વચ્ચે 13 સેકન્ડનો ફેર આવી રહ્યો છે. આ સમગ્ર મામલે અલથાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અલથાણમાં માતા-પુત્રના મોત મુદ્દે તપાસ
અલથાણ માં માતા પુત્ર મોત મામલે અલથાણ પોલીસે માતા પૂજા પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો પોલીસે એફએસએલ અને સીસીટીવી ફૂટેજની મદદથી ગુનો નોંધ્યો છે. એફએસએલ રિપોર્ટ માં બાળક આટલી મોટી પારી કૂદી શકે એમ નથી. સીસીટીવી ફુટેજમાં પુત્ર અને માતાના આપઘાત વચ્ચે 13 સેકન્ડનો ફેર બતાવે છે. માતાએ સ્યુસાઇડ નોટ લખીને ગઈ છે. હાલ સમગ્ર મામલે અલથાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે માતા પૂજા પટેલ સામે હત્યાનો ગુનો નોંધ્યો
પોલીસે મોબાઈલ ફોન અને સ્યુસાઇડ નોટની તપાસ કરી રહી છે. હજુ સુધી આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસે પરિવારના સભ્યોના નિવેદનો લઈને તપાસ હાથ ધરી છે. પૂજાબેન પટેલ અને તેમના પુત્રનું પોસ્ટમોર્ટમ કરી મેડિકલ ઓફિસરે પીએમ કર્યા પછી જણાવ્યું કે વધારે પડતી ઈજાઓના કારણે લોહી વહી જતા માતાનું મોત થયું છે.
What's Your Reaction?






