Surat Loksabha election: લોકસભાની ચૂંટણી પહેલા જ એક બેઠક ભાજપને મળી

સુરત લોકસભા બેઠક ઈતિહાસ રચશે ભાજપના મુકેશ દલાલ સહિત કુલ 9 ફોર્મ માન્ય થયા અન્ય 8 ઉમેદવારે ફોર્મ પાછા ખેંચ્યાઃ સૂત્ર દેશમાં ભાજપ સુરતની પ્રથમ બેઠક બિનહરીફ જીતશે. જેમાં સુરત લોકસભા બેઠક ઈતિહાસ રચશે. જેમાં સુરત બેઠકને લઈ સંદેશ ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં ભાજપના મુકેશ દલાલ સહિત કુલ 9 ફોર્મ માન્ય થયા છે. જેમાં અન્ય 8 ઉમેદવારે ફોર્મ પાછા ખેંચ્યા છે તેમ સૂત્રોએ જણાવ્યું છે. તેથી ભાજપ સુરતની પ્રથમ બેઠક બિનહરીફ જીતશે. બપોર સુધી સત્તાવાર રીતે ખબર આવી જશે કે આ મામલે ભાજપ સુરતની પ્રથમ બેઠક બિનહરીફ બની છે. કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપ બિનહરીફ થવાના ખેલમાં સુરત લોકસભા બેઠકને લઈ કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપ બિનહરીફ થવાના ખેલમાં છે. બાકીના 8 ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તો ભાજપ બિનહરીફ થઇ શકે છે. ભાજપ ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ કરવા ખેલ પાડવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જેમાં 4 અપક્ષ અને 4 અલગ અલગ પાર્ટીના ઉમેદવાર મેદાને હતા. તેમાં બાકી બચેલા 8 ઉમેદવારો પર સૌની નજર હતી. આજે બપોરે 3 વાગ્યા સુધીમાં સત્તાવાર ચિત્ર સ્પષ્ટ થઇ જશે. સુરત લોકસભા ચૂંટણી કાઉન્ટ ડાઉનમાં નિલેશ કુંભાનીનું ફોર્મ રદ્દ થયા બાદ હવે બીજેપી ઉમેદવાર બિન હરીફ થવા ખેલા થશે. માત્ર 8 ઉમેદવાર ફોર્મ પરત ખેચશે તો બીજેપી ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર થશે. 4 અપક્ષ અને અને 4 અલગ અલગ પાર્ટીના ઉમેદવાર મેદાને છે. આ તમામ ઉમેદવારો પર સૌની નજર છે. લોકસભાની ચૂંટણી પહેલા જ એક બેઠક ભાજપને મળી જશે શું આજે અપક્ષ સહિત 9 ઉમેદવાર ફોર્મ પરત ખેચશે એ બાબતે બપોરે 3 વાગ્યે ખબર પડી જશે. જો આ ઉમેદવારો ફોર્મ પરત લઇ લેશે તો ભારતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ એક બેઠક ભાજપને મળી જશે. સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું. કુંભાણીના ટેકેદાર બનેવી, ભાણિયો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હીયરિંગમાં હાજર જ થયા નહીં. બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં. એટલું જ નહીં ટેકેદારોને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું.

Surat Loksabha election: લોકસભાની ચૂંટણી પહેલા જ એક બેઠક ભાજપને મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત લોકસભા બેઠક ઈતિહાસ રચશે
  • ભાજપના મુકેશ દલાલ સહિત કુલ 9 ફોર્મ માન્ય થયા
  • અન્ય 8 ઉમેદવારે ફોર્મ પાછા ખેંચ્યાઃ સૂત્ર

દેશમાં ભાજપ સુરતની પ્રથમ બેઠક બિનહરીફ જીતશે. જેમાં સુરત લોકસભા બેઠક ઈતિહાસ રચશે. જેમાં સુરત બેઠકને લઈ સંદેશ ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં ભાજપના મુકેશ દલાલ સહિત કુલ 9 ફોર્મ માન્ય થયા છે. જેમાં અન્ય 8 ઉમેદવારે ફોર્મ પાછા ખેંચ્યા છે તેમ સૂત્રોએ જણાવ્યું છે. તેથી ભાજપ સુરતની પ્રથમ બેઠક બિનહરીફ જીતશે. બપોર સુધી સત્તાવાર રીતે ખબર આવી જશે કે આ મામલે ભાજપ સુરતની પ્રથમ બેઠક બિનહરીફ બની છે.

કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપ બિનહરીફ થવાના ખેલમાં

સુરત લોકસભા બેઠકને લઈ કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપ બિનહરીફ થવાના ખેલમાં છે. બાકીના 8 ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તો ભાજપ બિનહરીફ થઇ શકે છે. ભાજપ ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ કરવા ખેલ પાડવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જેમાં 4 અપક્ષ અને 4 અલગ અલગ પાર્ટીના ઉમેદવાર મેદાને હતા. તેમાં બાકી બચેલા 8 ઉમેદવારો પર સૌની નજર હતી. આજે બપોરે 3 વાગ્યા સુધીમાં સત્તાવાર ચિત્ર સ્પષ્ટ થઇ જશે. સુરત લોકસભા ચૂંટણી કાઉન્ટ ડાઉનમાં નિલેશ કુંભાનીનું ફોર્મ રદ્દ થયા બાદ હવે બીજેપી ઉમેદવાર બિન હરીફ થવા ખેલા થશે. માત્ર 8 ઉમેદવાર ફોર્મ પરત ખેચશે તો બીજેપી ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર થશે. 4 અપક્ષ અને અને 4 અલગ અલગ પાર્ટીના ઉમેદવાર મેદાને છે. આ તમામ ઉમેદવારો પર સૌની નજર છે.

લોકસભાની ચૂંટણી પહેલા જ એક બેઠક ભાજપને મળી જશે

શું આજે અપક્ષ સહિત 9 ઉમેદવાર ફોર્મ પરત ખેચશે એ બાબતે બપોરે 3 વાગ્યે ખબર પડી જશે. જો આ ઉમેદવારો ફોર્મ પરત લઇ લેશે તો ભારતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ એક બેઠક ભાજપને મળી જશે. સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું. કુંભાણીના ટેકેદાર બનેવી, ભાણિયો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હીયરિંગમાં હાજર જ થયા નહીં. બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં. એટલું જ નહીં ટેકેદારોને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું.