NEET Case:ડોક્ટર તુષાર સુવાગિયાએ કહ્યું 'ફોર્મ રી-એડિટ કર્યા તેમની સામે તપાસ થાય'

NEET પરીક્ષામાં ગેરરીતિનો મામલોવડોદરાના ડૉ.તુષાર સુવાગિયાનું સ્ફોટક નિવેદન‘અન્ય રાજ્યોના લોકોને ગુજરાતમાં સેન્ટર કેવી રીતે ફાળવાયા’NEET પરીક્ષામાં ગેરરીતિના મામલે વડોદરાના ડોક્ટર તુષાર સુવાગિયાનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે તપાસમાં કેટલાક મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. દેશમાં 24 લાખ લોકોએ નીટની પરીક્ષા આપી હતી, જે પરીક્ષા 5 મે 2024ના રોજ યોજાઈ હતી. ત્યારે આ પરીક્ષામાં 64 લોકોને 720માંથી 720 માર્ક આવ્યા હતા.25 હજાર લોકોએ ફોર્મને રી એડિટ કર્યા હતા ત્યારે ડોક્ટર તુષાર સુવાગિયાએ કહ્યું કે નીટની પરીક્ષાના ફોર્મ ભરાયા બાદ એક મહિના પછી વિન્ડો રી ઓપન કરાઈ હતી અને આ વિન્ડો રીઓપન કર્યા બાદ 25 હજાર લોકોએ ફોર્મને રી એડિટ કર્યા હતા અને ફોર્મ રી એડિટ કરીને સેન્ટર બદલવામાં આવ્યા હોઈ શકે છે. કારણ કે અન્ય રાજ્યોના ઘણા લોકોને ગુજરાતમાં સેન્ટર કેવી રીતે ફાળવાયા તે એક મોટો સવાલ છે, આ મુદ્દે તપાસ કરવાની જરૂર છે. ઓરિસ્સા સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં સેન્ટર લોકોને કેવી રીતે ફાળવ્યા? જે લોકોના નીટની પરીક્ષામાં ડબલ માર્ક થયા હોય તેવા લોકો સામે તપાસ થવી જોઈએ તપાસ એજન્સીઓએ હજુ કેટલાક મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે જેમ કે 25 હજાર લોકોએ રીઓપન કરીને ફોર્મ રી એડિટ કર્યા છે, આવા લોકોની સામે તપાસ કરવાની જરૂર છે. જે લોકોએ નીટની ફરી પરીક્ષા આપી તેમાં 50-100 માર્ક આવે તે ચાલે પણ ડબલ માર્ક થયા હોય તેની સામે તપાસ થવી જોઈએ. જે લોકોના બોર્ડમાં ઓછા અને નીટમાં વધુ માર્ક આવ્યા હોય તેવા લોકો સામે પણ તપાસ થવી જોઈએ. રિઝલ્ટ રોકી રાખી લાખો લોકોને હેરાન ન કરવા જોઈએ ગોધરામાંથી પણ નીટ મામલે કૌભાંડ ઝડપાયું હતું પણ પરીક્ષાના પરિણામ રોકી દેવા સારી વાત નથી. પરિણામ રોકી રાખીને લાખો લોકોને માનસિક રીતે હેરાન ના કરવા જોઈએ પણ જે લોકોએ ફોર્મ રી ઓપન કરીને રી એડિટ કર્યુ હોય તેવા કેટલાક લોકોની તપાસ કરવાની જરૂર છે.

NEET Case:ડોક્ટર તુષાર સુવાગિયાએ કહ્યું 'ફોર્મ રી-એડિટ કર્યા તેમની સામે તપાસ થાય'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • NEET પરીક્ષામાં ગેરરીતિનો મામલો
  • વડોદરાના ડૉ.તુષાર સુવાગિયાનું સ્ફોટક નિવેદન
  • ‘અન્ય રાજ્યોના લોકોને ગુજરાતમાં સેન્ટર કેવી રીતે ફાળવાયા’

NEET પરીક્ષામાં ગેરરીતિના મામલે વડોદરાના ડોક્ટર તુષાર સુવાગિયાનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે તપાસમાં કેટલાક મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. દેશમાં 24 લાખ લોકોએ નીટની પરીક્ષા આપી હતી, જે પરીક્ષા 5 મે 2024ના રોજ યોજાઈ હતી. ત્યારે આ પરીક્ષામાં 64 લોકોને 720માંથી 720 માર્ક આવ્યા હતા.

25 હજાર લોકોએ ફોર્મને રી એડિટ કર્યા હતા

ત્યારે ડોક્ટર તુષાર સુવાગિયાએ કહ્યું કે નીટની પરીક્ષાના ફોર્મ ભરાયા બાદ એક મહિના પછી વિન્ડો રી ઓપન કરાઈ હતી અને આ વિન્ડો રીઓપન કર્યા બાદ 25 હજાર લોકોએ ફોર્મને રી એડિટ કર્યા હતા અને ફોર્મ રી એડિટ કરીને સેન્ટર બદલવામાં આવ્યા હોઈ શકે છે. કારણ કે અન્ય રાજ્યોના ઘણા લોકોને ગુજરાતમાં સેન્ટર કેવી રીતે ફાળવાયા તે એક મોટો સવાલ છે, આ મુદ્દે તપાસ કરવાની જરૂર છે. ઓરિસ્સા સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં સેન્ટર લોકોને કેવી રીતે ફાળવ્યા?

જે લોકોના નીટની પરીક્ષામાં ડબલ માર્ક થયા હોય તેવા લોકો સામે તપાસ થવી જોઈએ

તપાસ એજન્સીઓએ હજુ કેટલાક મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે જેમ કે 25 હજાર લોકોએ રીઓપન કરીને ફોર્મ રી એડિટ કર્યા છે, આવા લોકોની સામે તપાસ કરવાની જરૂર છે. જે લોકોએ નીટની ફરી પરીક્ષા આપી તેમાં 50-100 માર્ક આવે તે ચાલે પણ ડબલ માર્ક થયા હોય તેની સામે તપાસ થવી જોઈએ. જે લોકોના બોર્ડમાં ઓછા અને નીટમાં વધુ માર્ક આવ્યા હોય તેવા લોકો સામે પણ તપાસ થવી જોઈએ.

રિઝલ્ટ રોકી રાખી લાખો લોકોને હેરાન ન કરવા જોઈએ

ગોધરામાંથી પણ નીટ મામલે કૌભાંડ ઝડપાયું હતું પણ પરીક્ષાના પરિણામ રોકી દેવા સારી વાત નથી. પરિણામ રોકી રાખીને લાખો લોકોને માનસિક રીતે હેરાન ના કરવા જોઈએ પણ જે લોકોએ ફોર્મ રી ઓપન કરીને રી એડિટ કર્યુ હોય તેવા કેટલાક લોકોની તપાસ કરવાની જરૂર છે.