Somnath મંદિરમા શ્રાવણમાસના ત્રીજા સોમવારે ભકતોનું ઉમટયું ઘોડાપૂર

સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું સવારે સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખોલાવામાં આવ્યા મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હાલ શ્રાવણમાસ ચાલી રહ્યો છે અને શ્રાવણમાસના આ પર્વે ભકતો શિવલાયમાં જઈ મહાદેવની ભકતિ કરતા હોય છે,ત્યારે ગીરસોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં ભકતોનુ ઘોડાપૂર દર્શન માટે ઉમટયું છે,હરહર મહાદેવના નાદથી શિવાલય ગુંજી ઉઠયું છે,આજે રક્ષાબંધન અને સોમવાર હોવાથી ભકતો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટયા છે. સોમનાથ મહાદેવનો મહિમા અનેરો સોમનાથ મહાદેવએ સોમનાથના દરિયા પાસે આવેલુ શિવાલય છે,અને ભકતોની આસ્થા અનેરી જોડાયેલી છે,લોકો દેશ-વિદેશમાંથી સોમનાથ દર્શન કરવા આવતા હોય છે,ત્યારે આ ત્રીજા સોમવારે ભકતોનું ઘોડાપૂર ઉમટયું,આમ તો સોમનાથ એ એવુ મંદિર છે કે,જયા હર હંમેશ ભીડ રહેતી હોય છે કેમકે,ભકતોની આસ્થા સોમનાથ મહાદેવ સાથે જોડાયેલી છે. સવારે 4 વાગે ખોલાયા મંદિરના દરવાજા સોમનાથ દાદાની આરતી અને દર્શન કરવા માટે ભકતો વહેલી સવારથી સોમનાથ મંદિર પહોંચ્યા હતા.વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મંદિરની બહાર ભકતો લાઈનમાં બેસી ગયા હતા અને હરહર મહાદેવના નામની માળા જપી રહ્યાં હતા,સવારે 4 વાગે મંદિરનો દરવાજો ખુલ્યો હતો.હજારો ભાવિકોએ પૂર્ણિમા અને રક્ષાબંધન પર્વે સોમનાથ દાદાના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધ્યું છે. ભકતો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ શ્રાવણનાત્રીજા સોમવારે સાંજ ના મહાદેવ ને ચંદ્ર દર્શન શ્રૃંગાર કરવામાં આવશે તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ભાવિકોનો પણ ભારે ઘસારો જોવા મળી શકે છે.જેથી ભાવિકોને કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે તંત્ર દ્રારા પણ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Somnath મંદિરમા શ્રાવણમાસના ત્રીજા સોમવારે ભકતોનું ઉમટયું ઘોડાપૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
  • સવારે સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખોલાવામાં આવ્યા
  • મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

હાલ શ્રાવણમાસ ચાલી રહ્યો છે અને શ્રાવણમાસના આ પર્વે ભકતો શિવલાયમાં જઈ મહાદેવની ભકતિ કરતા હોય છે,ત્યારે ગીરસોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં ભકતોનુ ઘોડાપૂર દર્શન માટે ઉમટયું છે,હરહર મહાદેવના નાદથી શિવાલય ગુંજી ઉઠયું છે,આજે રક્ષાબંધન અને સોમવાર હોવાથી ભકતો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટયા છે.

સોમનાથ મહાદેવનો મહિમા અનેરો

સોમનાથ મહાદેવએ સોમનાથના દરિયા પાસે આવેલુ શિવાલય છે,અને ભકતોની આસ્થા અનેરી જોડાયેલી છે,લોકો દેશ-વિદેશમાંથી સોમનાથ દર્શન કરવા આવતા હોય છે,ત્યારે આ ત્રીજા સોમવારે ભકતોનું ઘોડાપૂર ઉમટયું,આમ તો સોમનાથ એ એવુ મંદિર છે કે,જયા હર હંમેશ ભીડ રહેતી હોય છે કેમકે,ભકતોની આસ્થા સોમનાથ મહાદેવ સાથે જોડાયેલી છે.


સવારે 4 વાગે ખોલાયા મંદિરના દરવાજા

સોમનાથ દાદાની આરતી અને દર્શન કરવા માટે ભકતો વહેલી સવારથી સોમનાથ મંદિર પહોંચ્યા હતા.વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મંદિરની બહાર ભકતો લાઈનમાં બેસી ગયા હતા અને હરહર મહાદેવના નામની માળા જપી રહ્યાં હતા,સવારે 4 વાગે મંદિરનો દરવાજો ખુલ્યો હતો.હજારો ભાવિકોએ પૂર્ણિમા અને રક્ષાબંધન પર્વે સોમનાથ દાદાના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધ્યું છે.

ભકતો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ

શ્રાવણનાત્રીજા સોમવારે સાંજ ના મહાદેવ ને ચંદ્ર દર્શન શ્રૃંગાર કરવામાં આવશે તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ભાવિકોનો પણ ભારે ઘસારો જોવા મળી શકે છે.જેથી ભાવિકોને કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે તંત્ર દ્રારા પણ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.