Rat yatra 2025: બેંગ્લુરૂ જેવી સ્થિતિના થાય તે માટે AIની મદદ લેવાશે

Jun 12, 2025 - 13:30
Rat yatra 2025: બેંગ્લુરૂ જેવી સ્થિતિના થાય તે માટે AIની મદદ લેવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં આગામી 27મી જૂને ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે. રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નરે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા સૂચના આપી હતી.શહેરમાં ગુનેગારો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાશે. આ ઉપરાંત રથયાત્રામાં ઉપયોગમાં લેવામાં આવનાર ટેકનોલોજી અંગે પણ ચર્ચાઓ કરાઈ હતી.

બેંગ્લુરૂ જેવું ના થાય તે માટે AIની મદદ લેવાશે

પોલીસ કમિશનર જી.એસ. મલિકના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં રથયાત્રા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠક બાદ પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી છે. અમદાવાદની રથયાત્રામાં બેંગ્લુરૂ જેવું ના થાય તે માટે AIની મદદ લેવાશે. શહેરમાં અને ખાસ કરીને રથયાત્રાના રૂટ પર લોક ભાગીદારીથી સીસીટીવી ફૂટેજ લગાવ્યા છે. શહેરમાં 22 હજાર સીસીટીવી ફૂટેજ લગાવવામાં આવ્યાં છે.રથયાત્રાની તૈયારીઓ અંગે ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત શહેરમાં ક્રાઈમની શું સ્થિતિ છે તે અંગે પણ ચર્ચાઓ કરી હતી.

પાસા અને તડીપારની કામગીરી અંગે પણ સમીક્ષા કરી

પોલીસ કમિશ્નરે શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવા અંગે શું કામગીરી કરાઈ છે તેની સમીક્ષા પણ કરી હતી. શહેરની હોટેલો અને ગેસ્ટ હાઉસમાં પણ તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત પાસા અને તડીપારની કામગીરી અંગે પણ સમીક્ષા કરી હતી. પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે, કોઈ પણ જગ્યાએ આગ લાગવા જેવી ઘટના બને તો તાત્કાલિક તેની માહિતી મળે તેવી વ્યવસ્થા છે. શહેરમાં જે ખાનગી સીસીટીવી લગાવવામાં આવ્યાં છે તેની ફીડ કંટ્રોલ રૂમ અને પોલીસ સ્ટેશનમાં મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0