Rajkotમાં લોકમેળાને લઈ બન્યા આકરા નિયમો,રાઇડધારકોએ લેવો પડશે ફરજિયાત વીમો

જન્માષ્ટમીમાં યોજાનાર લોકમેળા માટે આકરા નિયમો તમામ રાઇડધારકોએ વીમો ફરજિયાત લેવો પડશે તમામ સ્ટોલમાં CCTV અને ફાયર સેફ્ટી સાધનો ફરજિયાત રાજકોટમાં જન્માષ્ટ્રમી લોકમેળાને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે,આ વખતે રાઈડધારકો તેમજ મેળામાં લાગેલા સ્ટોલને લઈ કડક નિયમો બનાવવામાં આવ્યા છે,આ વખતે લોકમેળામાં જે લોકો રાઈડધારકો છે તેમણે ફરજિયાત વીમો લેવો પડશે તેમજ દુકાનધારકોએ દુકાનમાં સીસીટીવી તેમજ ફાયરના સાધનો મૂકવા પડશે. લોકમેળાની 10 લાખ કરતા વધુ લોકો કરે છે મુલાકાત TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર એલર્ટ છે.જન્માષ્ટમીમાં યોજાનાર લોકમેળા માટે આકરા નિયમો બનાવાયા છે.યાંત્રિક રાઇડના ટેસ્ટ રિપોર્ટ બાદ જ વીજ કનેક્શન આપવામાં આવશે.તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ છે, જેમાં સૌરાષ્ટ્રનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં જ યોજાશે તેવો તંત્રએ નિર્ણય લીધો છે.પહેલા કણકોટ અથવા ન્યુ રેસકોર્સમાં લોકમેળો યોજવાની તંત્રની હતી વિચારણા.સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં 15 લાખ કરતા વધારે લોકો ગુજરાત ભરમાંથી આવે છે. લોકમેળો રાજકોટના રેસકોર્સમાં જ યોજાશે સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત રાજકોટના ભાતીગળ લોકમેળાનું તારીખ 23 થી 27 ઓગસ્ટ પાંચ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ છે.જિલ્લા વહીવટી તંત્ર અને તમામ વિભાગો સાથે લોકમેળાને લઈને બેઠક યોજાઈ હતી.કણકોટ અને ન્યુ રેસકોર્સના મેદાનમાં જમીન રાઈડસ માટે ફિઝિબલ ન હોવાના કારણે તંત્ર દ્વારા અન્ય સ્થળે મેળો યોજવાનો નિર્ણય કરાયો છે. ટ્રાફિક સમસ્યાને લઈ સ્થળ બદલવાની હતી વિચારણા વર્ષોથી રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના અવસરે લોકમેળો યોજાય છે. જો કે તેનું સ્થાન બદલવાની વિચારણા ચાલી રહી હતી. રેસકોર્ષ ગ્રાઉન્ડથી આ લોકમેળો કણકોટ અથવા ન્યુ રેસકોર્સ શિફ્ટ કરવા મુદ્દે હાલ વિચારણા ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રાફિકની સમસ્યાના કારણે લોકમેળાનું સ્થાન બદલવા અંગે વિચારણ ચાલી રહી હતી. સ્ટંટબાજો કરે છે અલગ-અલગ સ્ટંટ રાજકોટના લોકમેળામાં લોકો રાઇડસમાં બેસવાની સાથે સાથે ખાવા-પીવાનો અને ખરીદી કરવાનો પણ લોકો આનંદ માણે છે. રાજકોટના લોકમેળામાં મોતનો કૂવો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે. કારણ કે, તેમાં સ્ટંટબાજો દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જેમાં બુલેટ, બાઈક અને કાર દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જે જોવા માટે લોકોની પડાપડી થાય છે. વર્ષ 1983થી યોજાય છે મેળો આ મેળાની મજા માણવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે. રાજકોટમાં યોજાતો આ લોકમેળો વર્ષ 1983થી યોજાઈ રહ્યો છે જે, હવે રાજકોટની ઓળખ બની ગયો છે.પહેલા આ મેળો રાજકોટના શાસ્ત્રી મેદાનમાં યોજાયો હતો પણ લોકોની સંખ્યા ધીમે ધીમે વધતા હવે આ મેળો વર્ષ 2003થી રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાઈ રહ્યો છે.આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીંયા CCTV કેમેરા પણ લગાવવામાં આવે છે અને તેનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવે છે.  

Rajkotમાં લોકમેળાને લઈ બન્યા આકરા નિયમો,રાઇડધારકોએ લેવો પડશે ફરજિયાત વીમો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જન્માષ્ટમીમાં યોજાનાર લોકમેળા માટે આકરા નિયમો
  • તમામ રાઇડધારકોએ વીમો ફરજિયાત લેવો પડશે
  • તમામ સ્ટોલમાં CCTV અને ફાયર સેફ્ટી સાધનો ફરજિયાત

રાજકોટમાં જન્માષ્ટ્રમી લોકમેળાને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે,આ વખતે રાઈડધારકો તેમજ મેળામાં લાગેલા સ્ટોલને લઈ કડક નિયમો બનાવવામાં આવ્યા છે,આ વખતે લોકમેળામાં જે લોકો રાઈડધારકો છે તેમણે ફરજિયાત વીમો લેવો પડશે તેમજ દુકાનધારકોએ દુકાનમાં સીસીટીવી તેમજ ફાયરના સાધનો મૂકવા પડશે.

લોકમેળાની 10 લાખ કરતા વધુ લોકો કરે છે મુલાકાત

TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર એલર્ટ છે.જન્માષ્ટમીમાં યોજાનાર લોકમેળા માટે આકરા નિયમો બનાવાયા છે.યાંત્રિક રાઇડના ટેસ્ટ રિપોર્ટ બાદ જ વીજ કનેક્શન આપવામાં આવશે.તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ છે, જેમાં સૌરાષ્ટ્રનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં જ યોજાશે તેવો તંત્રએ નિર્ણય લીધો છે.પહેલા કણકોટ અથવા ન્યુ રેસકોર્સમાં લોકમેળો યોજવાની તંત્રની હતી વિચારણા.સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં 15 લાખ કરતા વધારે લોકો ગુજરાત ભરમાંથી આવે છે.

લોકમેળો રાજકોટના રેસકોર્સમાં જ યોજાશે

સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત રાજકોટના ભાતીગળ લોકમેળાનું તારીખ 23 થી 27 ઓગસ્ટ પાંચ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ છે.જિલ્લા વહીવટી તંત્ર અને તમામ વિભાગો સાથે લોકમેળાને લઈને બેઠક યોજાઈ હતી.કણકોટ અને ન્યુ રેસકોર્સના મેદાનમાં જમીન રાઈડસ માટે ફિઝિબલ ન હોવાના કારણે તંત્ર દ્વારા અન્ય સ્થળે મેળો યોજવાનો નિર્ણય કરાયો છે.

ટ્રાફિક સમસ્યાને લઈ સ્થળ બદલવાની હતી વિચારણા

વર્ષોથી રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના અવસરે લોકમેળો યોજાય છે. જો કે તેનું સ્થાન બદલવાની વિચારણા ચાલી રહી હતી. રેસકોર્ષ ગ્રાઉન્ડથી આ લોકમેળો કણકોટ અથવા ન્યુ રેસકોર્સ શિફ્ટ કરવા મુદ્દે હાલ વિચારણા ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રાફિકની સમસ્યાના કારણે લોકમેળાનું સ્થાન બદલવા અંગે વિચારણ ચાલી રહી હતી.

સ્ટંટબાજો કરે છે અલગ-અલગ સ્ટંટ

રાજકોટના લોકમેળામાં લોકો રાઇડસમાં બેસવાની સાથે સાથે ખાવા-પીવાનો અને ખરીદી કરવાનો પણ લોકો આનંદ માણે છે. રાજકોટના લોકમેળામાં મોતનો કૂવો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે. કારણ કે, તેમાં સ્ટંટબાજો દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જેમાં બુલેટ, બાઈક અને કાર દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જે જોવા માટે લોકોની પડાપડી થાય છે.

વર્ષ 1983થી યોજાય છે મેળો

આ મેળાની મજા માણવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે. રાજકોટમાં યોજાતો આ લોકમેળો વર્ષ 1983થી યોજાઈ રહ્યો છે જે, હવે રાજકોટની ઓળખ બની ગયો છે.પહેલા આ મેળો રાજકોટના શાસ્ત્રી મેદાનમાં યોજાયો હતો પણ લોકોની સંખ્યા ધીમે ધીમે વધતા હવે આ મેળો વર્ષ 2003થી રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાઈ રહ્યો છે.આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીંયા CCTV કેમેરા પણ લગાવવામાં આવે છે અને તેનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવે છે.