Rajkotમા રોગચાળો વકર્યો,એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાતા મચ્યો હાહાકાર

મેલરિયાનો એક કેસ અને ટાઈફોડના પાંચ કેસ નોંધાયા રાજકોટમાં વરસાદ થંભી ગયા બાદ મચ્છરોનો વધ્યો ત્રાસ વરસાદ બાદ બંધિયાર પાણીમાં મચ્છરોનું થાય છે બ્રીડિંગરાજકોટમાં મચ્છરજન્ય રોગચાળામાં વધ્યો છે,સાથે ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળ્યા છે,રાજકોટમાં રોગચાળાઓ એ હદી વધી ગયો છે તે,ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે,ડેન્ગ્યુ અને ટાઈફોડના કેસમાં અચાનક વધારો થતા દર્દીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.વરસાદ થંભી ગયા બાદ શહેરમાં રોગચાળો વધ્યો છે. ખાડામાં ભરાઈ રહે છે પાણી રાજકોટ શહેરમાં સામન્ય વરસાદમાં રોડ રસ્તા પર ખાડા પડયા છે અને તે ખાડામાં પાણી ભરાવાની સમસ્યા રહે છે જેના કારણે મચ્છરોનું પ્રમાણ વધ્યું છે,પાણી ભરાયા બાદ શહેરમાં ઠેર ઠેર ગંદકીના કારણે રોગચાળો વધ્યો છે.મહાનગરપાલિકા દ્રારા આ રોગચાળો અટકાવવાના પ્રયાસ કરાઈ રહ્યો છે,શહેરમાં દવાનો છંટકાવ તેમજ ફોંગિગની કામગીરી પણ કરાઈ રહી છે. ઉકાળેલુ પાણી પીવુ જોઈએ બીજી તરફ વાત કરવામાં આવે તો ચાલુ માસમાં ઝાડા ઉલટીના 382 કેસ,કમળાના 178 કેસ,ટાઇફોઇડનાં 304 કેસ,કોલેરાનાં 16 કેસ નોંધાયા છે.વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. મચ્છરનું ઉત્પાદન વધ્યું વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

Rajkotમા રોગચાળો વકર્યો,એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાતા મચ્યો હાહાકાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મેલરિયાનો એક કેસ અને ટાઈફોડના પાંચ કેસ નોંધાયા
  • રાજકોટમાં વરસાદ થંભી ગયા બાદ મચ્છરોનો વધ્યો ત્રાસ
  • વરસાદ બાદ બંધિયાર પાણીમાં મચ્છરોનું થાય છે બ્રીડિંગ

રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળામાં વધ્યો છે,સાથે ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળ્યા છે,રાજકોટમાં રોગચાળાઓ એ હદી વધી ગયો છે તે,ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે,ડેન્ગ્યુ અને ટાઈફોડના કેસમાં અચાનક વધારો થતા દર્દીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.વરસાદ થંભી ગયા બાદ શહેરમાં રોગચાળો વધ્યો છે.

ખાડામાં ભરાઈ રહે છે પાણી

રાજકોટ શહેરમાં સામન્ય વરસાદમાં રોડ રસ્તા પર ખાડા પડયા છે અને તે ખાડામાં પાણી ભરાવાની સમસ્યા રહે છે જેના કારણે મચ્છરોનું પ્રમાણ વધ્યું છે,પાણી ભરાયા બાદ શહેરમાં ઠેર ઠેર ગંદકીના કારણે રોગચાળો વધ્યો છે.મહાનગરપાલિકા દ્રારા આ રોગચાળો અટકાવવાના પ્રયાસ કરાઈ રહ્યો છે,શહેરમાં દવાનો છંટકાવ તેમજ ફોંગિગની કામગીરી પણ કરાઈ રહી છે.

ઉકાળેલુ પાણી પીવુ જોઈએ

બીજી તરફ વાત કરવામાં આવે તો ચાલુ માસમાં ઝાડા ઉલટીના 382 કેસ,કમળાના 178 કેસ,ટાઇફોઇડનાં 304 કેસ,કોલેરાનાં 16 કેસ નોંધાયા છે.વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

મચ્છરનું ઉત્પાદન વધ્યું

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.