Rajkotના ગોંડલમાં મકાન ધરાશાયી થતા 3 લોકો દટાયા, રિનોવેશન દરમિયાન બની ઘટના

Feb 20, 2025 - 10:30
Rajkotના ગોંડલમાં મકાન ધરાશાયી થતા 3 લોકો દટાયા, રિનોવેશન દરમિયાન બની ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના ગોંડલમાં 2 માળનું મકાન ધરાશાયી થતા દોડધામ મચી હતી તો રિનોવેશન દરમિયાન આ ઘટના બની હતી જેમાં 3 લોકો દટાયા હોવાની વાત સામે આવી છે,ફાયર વિભાગે જેસીબી મશીનની મદદથી રેસ્કયુ ઓપરેશનની કામગીરી કરી છે,આ સમગ્ર ઘટનામાં કોઈના મોત થયા છે,લોકો પણ રેસ્કયું ઓપરેશનમાં લાગી ગયા છે.

રિનોવેશન દરમિયાન મકાન તૂટતા 3 લોકો દટાયા

ગોંડલમાં મકાનનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતુ તે દરમિયાન અચાનક મકાન ધડાકાભેર પડી ગયુ હતુ અને મકાનમાં રહેતા 3 લોકો દટાયા હતા સાથે સાથે લોકોના પણ ઘટના સ્થળે ટોળા ઉમટયા હતા તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,સહજાનંદ નગરના ગરબી ચોક પાસે આ ઘટના બની હતી.1 પુરુષ અને 2 મહિલાઓ ઈજાગ્રસ્ત થયા હતા,ઘટનાની જાણ થતા ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ પણ પહોંચી હતી.

ધારાસભ્ય પહોંચ્યા ઘટના સ્થળે

ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર વિભાગે JCB મશીનની મદદથી બચાવ કામગીરી શરૂ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં સુનિલભાઈ વરધાણી અને તેમના પત્ની ઉષાબેન વરધાણી હજુ કટમાળમાં દબાયેલ છે. તેમના માતા મિતાબેન વરધાણીને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0