Porbandarના બોપાદરામાં બે વર્ષ પહેલા બનેલા સરોવરની ધડાકાભેર પાળ તૂટતા પાણી વહ્યું

2 વર્ષ પહેલા બનાવેલા સરોવરની પાળ તૂટી પડી 2 વર્ષમાં જ પાળ તૂટી પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી સરોવરની પાળ તૂટી પડતા પાણીનો વેડફાટ પોરબંદરના બાપોદરા ગામે 2 વર્ષ પૂર્વે બનેલા સરોવરની પાળ તૂટી ગઈ છે.અમૃત સરોવર મિશન અંતર્ગત બાપોદર ગામે પિયત માટે એક સરોવર બનાવામાં આવ્યું હતુ.હજી 2 વર્ષ થયા ત્યાં તો આ વર્ષ એ વરસાદની શરૂઆતનું પાણી આવતા સરોવરની પાળ તૂટી હતી.100થી વધારે પિયત માટે ઉપયોગમાં લેતા આ સરોવરની પાણીની પાળ તૂટતાં 50%થી વધારે પાણી નિકળી ગયું હતુ. પાણીની પાળ તૂટી 15 લાખના ખર્ચે બનાવાયેલું આ સરોવર બે વર્ષમાં જ તૂટી પડતા મોટા ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.હાલ બાપોદર ગામના લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પાણીને રોકવામાં આવે,આ સરોવરનું તાત્કાલિક કામ પુરૂ કરી આપવા માંગ થઈ રહી છે.અમૃત સરોવર મિશન અંતર્ગત બાપોદર ગામે પીયત માટે 1 સરોવર બનાવામાં આવ્યું હતુ.બાપોદરા ગામે 2 વર્ષ પૂર્વે 15 લાખ ના ખર્ચે બનેલ સરોવરની પાર તૂટી. વાઘેશ્વરી પ્લોટ શરૂ કરવા લોકોની માંગ પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં જતા મુખ્ય માર્ગ ઉપર સ્ટોમ વોટર ડ્રેનજની કામગીરી હાથ ધરાઈ છે પરંતુ આ કામગીરી દરમ્યાન રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને હાલ આ કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ છે તેમછતાં રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો નથી જેથી સામાજિક આગેવાન દ્વારા પાલિકાને લેખિતમાં રજુઆત કરી આ રસ્તો તાત્કાલિક શરૂ કરવા માંગ કરી હતી. પોરબંદરમાં બે દિવસ પહેલા જ 8 ઈંચ વરસાદ થયો હતો જિલ્લામાં ભારે વરસાદની આગાહી અનુસાર સતત વરસાદ વરસી રહ્યો છે. ગત સાંજથી વરસાદે ધનાધન બેટિંગ શરૂ કરી હતી. પોરબંદર પંથકમાં વરસાદે માજા મૂકી હતી. પોરબંદરના કુતિયાણામાં 8 ઈંચથી પણ વધુ વરસાદ વરસતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હતા. જ્યારે જૂનાગઢ પોરબંદરની હદ પૂર્ણ થાય છે તે રસ્તા ચોટા ગોલાઈ પાસે રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.  

Porbandarના બોપાદરામાં બે વર્ષ પહેલા બનેલા સરોવરની ધડાકાભેર પાળ તૂટતા પાણી વહ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 2 વર્ષ પહેલા બનાવેલા સરોવરની પાળ તૂટી પડી
  • 2 વર્ષમાં જ પાળ તૂટી પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી
  • સરોવરની પાળ તૂટી પડતા પાણીનો વેડફાટ

પોરબંદરના બાપોદરા ગામે 2 વર્ષ પૂર્વે બનેલા સરોવરની પાળ તૂટી ગઈ છે.અમૃત સરોવર મિશન અંતર્ગત બાપોદર ગામે પિયત માટે એક સરોવર બનાવામાં આવ્યું હતુ.હજી 2 વર્ષ થયા ત્યાં તો આ વર્ષ એ વરસાદની શરૂઆતનું પાણી આવતા સરોવરની પાળ તૂટી હતી.100થી વધારે પિયત માટે ઉપયોગમાં લેતા આ સરોવરની પાણીની પાળ તૂટતાં 50%થી વધારે પાણી નિકળી ગયું હતુ.

પાણીની પાળ તૂટી

15 લાખના ખર્ચે બનાવાયેલું આ સરોવર બે વર્ષમાં જ તૂટી પડતા મોટા ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.હાલ બાપોદર ગામના લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પાણીને રોકવામાં આવે,આ સરોવરનું તાત્કાલિક કામ પુરૂ કરી આપવા માંગ થઈ રહી છે.અમૃત સરોવર મિશન અંતર્ગત બાપોદર ગામે પીયત માટે 1 સરોવર બનાવામાં આવ્યું હતુ.બાપોદરા ગામે 2 વર્ષ પૂર્વે 15 લાખ ના ખર્ચે બનેલ સરોવરની પાર તૂટી.


વાઘેશ્વરી પ્લોટ શરૂ કરવા લોકોની માંગ

પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં જતા મુખ્ય માર્ગ ઉપર સ્ટોમ વોટર ડ્રેનજની કામગીરી હાથ ધરાઈ છે પરંતુ આ કામગીરી દરમ્યાન રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને હાલ આ કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ છે તેમછતાં રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો નથી જેથી સામાજિક આગેવાન દ્વારા પાલિકાને લેખિતમાં રજુઆત કરી આ રસ્તો તાત્કાલિક શરૂ કરવા માંગ કરી હતી.


પોરબંદરમાં બે દિવસ પહેલા જ 8 ઈંચ વરસાદ થયો હતો

જિલ્લામાં ભારે વરસાદની આગાહી અનુસાર સતત વરસાદ વરસી રહ્યો છે. ગત સાંજથી વરસાદે ધનાધન બેટિંગ શરૂ કરી હતી. પોરબંદર પંથકમાં વરસાદે માજા મૂકી હતી. પોરબંદરના કુતિયાણામાં 8 ઈંચથી પણ વધુ વરસાદ વરસતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હતા. જ્યારે જૂનાગઢ પોરબંદરની હદ પૂર્ણ થાય છે તે રસ્તા ચોટા ગોલાઈ પાસે રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.