'રજૂઆત કરો પણ....', ધારાસભ્યોના લેટર બોમ્બથી ભાજપ નેતાગીરી ભડકી, કમલમથી આદેશ છૂટ્યો

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ ભાજપના ધારાસભ્યોએ સરકારી તંત્રની લાપરવાહી ઉપરાંત ભ્રષ્ટ અધિકારીઓને લઈને પત્ર લખવા માંડ્યા છે. ખુદ ભાજપના જ ધારાસભ્યો ભાજપ સરકારની પ્રતિષ્ઠા ખરડી રહ્યા છે. આ કારણોસર ભાજપ મોવડી મંડળ ભડક્યુ છે. હવે કમલમથી ધારાસભ્યોને સૂચના અપાઇ છેકે, ચૂપ રહો, પ્રજાલક્ષી સમસ્યાની રજૂઆત કરી પણ પત્ર વાયરલ ન થાય તેનુ ખાસ ધ્યાન રાખો. નોંધનીય છેકે, અગાઉ પણ ધારાસભ્યોને આ મામલે સૂચના અપાઈ હતી પણ કોઈ અમલ થઈ શક્યો ન હતો.કુમાર કાનાણીએ એજન્ટ રાજને લઈને સવાલ ઉઠાવ્યાહાલ ભાજપના જ ધારાસભ્યો જાણે સરકાર સામે શિંગડા ભેરવતા હોય તેવુ ચિત્ર ઉભુ થયુ છે. જેમકે, સુરતમાં કુમાર કાનાણીએ કલેક્ટર કચેરીમાં એજન્ટ રાજને લઈને સવાલ ઉઠાવ્યા હતાં. આમેય કુમાર કાના સરકારી તંત્ર સામે અવાજ ઉઠાવતાં જ રહ્યા છે. આ જ પ્રમાણે, જૂનાગઢમાં ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ અધિકારીઓ મનમાની કરી રહ્યા છે તેવો આક્ષેપ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો હતો.સંજયસિંહ મહિડાએ પત્ર લખ્યો હતોઆ ઉપરાંત મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ તાલુકા વિકાસ અધિકારી મનસ્વી રીતે ખરીદી કરીને ગેરરીતી આચરી રહ્યા છે તેવા આક્ષેપ કરતો પત્ર જીલ્લા વિકાસ અધિકારીને લખ્યો હતો. ગારિયાધાર ભાજપ શહેર પ્રમુખે પણ પત્ર લખીને નગરપાલિકાના ચીફ ઓફિસર, વહીવટદાર સામે આરોપ મૂકી પત્ર લખ્યો હતો. સરકારી તંત્રની લાપરવાહી, ભ્રષ્ટ અધિકારીઓને લઈને ભાજપના ધારાસભ્યો, નેતાઓ જ લેટર બોમ્બ થકી સરકારને બદનામ કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્યોને તાકીદ કરાઈઆ જોતાં ભાજપ મોવડી મંડળ નારાજ છે. હવે ભાજપના ધારાસભ્યોને તાકીદ કરાઈ છેકે, રજૂઆત કરો તેનો વાંધો નથી પણ રજૂઆતના પત્ર સોશિયલ મિડીયામાં વાયરલ ન થાય તેની ખાસ તકેદારી રાખો. અત્યારે તો ચૂંટણી પરિણામ સુધી રાહ જોવી પડે તેમ છે. કેમકે, જો એકાદ-બે બેઠક ભાજપના હાથમાંથી સરકી જાય તો અસંતુષ્ટોને ભાવતુ ભોજન મળી રહે તેમ છે. આ જોતાં ભાજપ પ્રદેશ નેતાગીરી તમાશો કશુક જ કરવાના મતમાં નથી. પણ જો 26 બેઠકો ભાજપ જીતી ગઈ તો, સરકાર-સંગઠનની છબી ખરડાનારાં અને પક્ષવિરોધીઓને તો ઘરનો રસ્તો દેખાડી દેવાશે તે વાત નક્કી છે.આ પણ વાંચો : લોકસભા ઈલેક્શનની ગુજરાતના કોઈ ડિજિટલ પ્લેટફૉર્મમાં નથી એવી માહિતી માત્ર ગુજરાત સમાચાર પર

'રજૂઆત કરો પણ....', ધારાસભ્યોના લેટર બોમ્બથી ભાજપ નેતાગીરી ભડકી, કમલમથી આદેશ છૂટ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ ભાજપના ધારાસભ્યોએ સરકારી તંત્રની લાપરવાહી ઉપરાંત ભ્રષ્ટ અધિકારીઓને લઈને પત્ર લખવા માંડ્યા છે. ખુદ ભાજપના જ ધારાસભ્યો ભાજપ સરકારની પ્રતિષ્ઠા ખરડી રહ્યા છે. આ કારણોસર ભાજપ મોવડી મંડળ ભડક્યુ છે. હવે કમલમથી ધારાસભ્યોને સૂચના અપાઇ છેકે, ચૂપ રહો, પ્રજાલક્ષી સમસ્યાની રજૂઆત કરી પણ પત્ર વાયરલ ન થાય તેનુ ખાસ ધ્યાન રાખો. નોંધનીય છેકે, અગાઉ પણ ધારાસભ્યોને આ મામલે સૂચના અપાઈ હતી પણ કોઈ અમલ થઈ શક્યો ન હતો.

કુમાર કાનાણીએ એજન્ટ રાજને લઈને સવાલ ઉઠાવ્યા

હાલ ભાજપના જ ધારાસભ્યો જાણે સરકાર સામે શિંગડા ભેરવતા હોય તેવુ ચિત્ર ઉભુ થયુ છે. જેમકે, સુરતમાં કુમાર કાનાણીએ કલેક્ટર કચેરીમાં એજન્ટ રાજને લઈને સવાલ ઉઠાવ્યા હતાં. આમેય કુમાર કાના સરકારી તંત્ર સામે અવાજ ઉઠાવતાં જ રહ્યા છે. આ જ પ્રમાણે, જૂનાગઢમાં ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ અધિકારીઓ મનમાની કરી રહ્યા છે તેવો આક્ષેપ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો હતો.

સંજયસિંહ મહિડાએ પત્ર લખ્યો હતો

આ ઉપરાંત મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ તાલુકા વિકાસ અધિકારી મનસ્વી રીતે ખરીદી કરીને ગેરરીતી આચરી રહ્યા છે તેવા આક્ષેપ કરતો પત્ર જીલ્લા વિકાસ અધિકારીને લખ્યો હતો. ગારિયાધાર ભાજપ શહેર પ્રમુખે પણ પત્ર લખીને નગરપાલિકાના ચીફ ઓફિસર, વહીવટદાર સામે આરોપ મૂકી પત્ર લખ્યો હતો. સરકારી તંત્રની લાપરવાહી, ભ્રષ્ટ અધિકારીઓને લઈને ભાજપના ધારાસભ્યો, નેતાઓ જ લેટર બોમ્બ થકી સરકારને બદનામ કરી રહ્યા છે. 

ભાજપના ધારાસભ્યોને તાકીદ કરાઈ

આ જોતાં ભાજપ મોવડી મંડળ નારાજ છે. હવે ભાજપના ધારાસભ્યોને તાકીદ કરાઈ છેકે, રજૂઆત કરો તેનો વાંધો નથી પણ રજૂઆતના પત્ર સોશિયલ મિડીયામાં વાયરલ ન થાય તેની ખાસ તકેદારી રાખો. અત્યારે તો ચૂંટણી પરિણામ સુધી રાહ જોવી પડે તેમ છે. કેમકે, જો એકાદ-બે બેઠક ભાજપના હાથમાંથી સરકી જાય તો અસંતુષ્ટોને ભાવતુ ભોજન મળી રહે તેમ છે. આ જોતાં ભાજપ પ્રદેશ નેતાગીરી તમાશો કશુક જ કરવાના મતમાં નથી. પણ જો 26 બેઠકો ભાજપ જીતી ગઈ તો, સરકાર-સંગઠનની છબી ખરડાનારાં અને પક્ષવિરોધીઓને તો ઘરનો રસ્તો દેખાડી દેવાશે તે વાત નક્કી છે.

આ પણ વાંચો : લોકસભા ઈલેક્શનની ગુજરાતના કોઈ ડિજિટલ પ્લેટફૉર્મમાં નથી એવી માહિતી માત્ર ગુજરાત સમાચાર પર