PM Kisan Yojana : કેટલાક ખેડૂતોને મળી શકે છે 4,000 રૂપિયા, જાણો ક્યારે જમા થશે 24મો હપ્તો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેશભરના ખેડૂતોની નજર હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi)ના 24મા હપ્તા પર છે. ખેડૂતોમાં ચર્ચા છે કે ₹2,000નો આગામી હપ્તો તેમના બેન્ક ખાતામાં ક્યારે જમા થશે. યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં ત્રણ હપ્તા, ચાર-ચાર મહિનાના અંતરે આર્થિક સહાય આપવામાં આવે છે.
આ ખેડૂતોને મળશે 4000 રૂપિયા
અગાઉ 23મો હપ્તો જૂનમાં જાહેર કરવામાં આવ્યો હતો. આ ગણતરી મુજબ ચાર મહિનાનો સમયગાળો પૂર્ણ થતાં 24મો હપ્તો ઓક્ટોબરમાં આવવાની શક્યતા છે. ઓક્ટોબરમાં દુર્ગાપૂજા સહિતના તહેવારો હોવાથી તહેવાર પહેલાં ખેડૂતોના ખાતામાં રકમ જમા થવાની આશા છે. આ દરમિયાન કેટલાક પાત્ર ખેડૂતોને આ વખતે ₹2,000ના બદલે ₹4,000 મળી શકે છે. જોકે, આ લાભ તમામ ખેડૂતોને મળશે નહીં.
જે ખેડૂતોને અગાઉનો એટલે કે 23મો હપ્તો કોઈ કારણસર અટકી ગયો હતો, ખાસ કરીને e-KYC અથવા જમીન ચકાસણી પૂર્ણ ન થવાને કારણે જેમને રકમ મળી નહોતી, તેમને બાકી રકમ અને નવા હપ્તાનો લાભ એકસાથે મળી શકે છે.
આ ખામીઓ દૂર કરવી જરૂરી
જો આવા ખેડૂતોએ હવે જરૂરી e-KYC, જમીન ચકાસણી અથવા દસ્તાવેજ સંબંધિત ખામીઓ દૂર કરી દીધી હોય અને રાજ્ય સરકાર દ્વારા તેમની વિગતોની ચકાસણી બાદ નામ મંજૂર કરવામાં આવે, તો તેમને 23મા હપ્તાના બાકી ₹2,000 અને 24મા હપ્તાના ₹2,000 મળીને કુલ ₹4,000 મળી શકે છે. જે ખેડૂતોને 23મો હપ્તો સમયસર મળી ગયો હતો, તેમને નિયમ મુજબ માત્ર 24મા હપ્તાના ₹2,000 જ મળશે.
આ પણ વાંચો : Jitendra Mishra: કારગિલથી લઈ ઓપરેશન સિંદૂર... કોણ છે માર્શલ જિતેન્દ્ર મિશ્રા? જેમની ચારેકોર થઇ રહી છે ચર્ચા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

