Patanના રાધનપુરમાં બે પાડોશી વચ્ચેની બોલાચાલીમાં યુવકનું ઉડી ગયું પ્રાણ પંખેરૂ

કહેવત છે કે જર,જમીન અને જોરૂ એ ત્રણે કજિયાના છોરું મતલબ કે સંસારમાં સ્ત્રી,જમીન અને ધન એ ત્રણ કજિયાના મૂળ ગણાય છે ત્યારે આવી જ એક ઘટના રાધનપુર ના પ્રેમનગર ગામે બનવા પામી છે જ્યાં જમીન બાબતે બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ અને જોત જોતામાં બોલાચાલી હત્યાના પરિણામ સુધી પહોંચી જેમાં એક યુવાનનો પ્રાણ પંખેરૂ ઉડી ગયું અને પુત્રને બચાવા વચ્ચે પડતા માતા ને પણ ગંભીર ઈજાઓ પહોંચી. માતાને પણ પહોંચી ઈજા રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામે ખૂની ખેલ ખેલાયો હતો અને ગામમાં એક જ સમાજના યુવાનો વચ્ચે હત્યાની ઘટના બનતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, હત્યાની ઘટનાની જાણ થતા રાધનપુર પોલીસ તાત્કાલિક પ્રેમનગર ગામે પહોંચી હતી અને આગળ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો તેમજ ઘટનામાં મૃત્યુ પામેલ જગદીશ ઠાકોરના મૃતદેહને પીએમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તેમજ મૃતક ની માતા સોમીબેન ઠાકોરને ગંભીર ઈજાઓ થતા પ્રથમ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. મૃતક યુવાન સુરતમાં કરતો હતો નોકરી મૃતક જગદીશ ઠાકોર રોજગારી મેળવવા સુરત જઈ રહ્યો હતો જેથી તેની માતા ગામના સ્ટેન્ડ સુધી તેને મોકલવા જઇ રહી હતી આ દરમિયાન માતા થોડી આગળ અને પુત્ર જગદીશ થોડો પાછળ ચાલી રહ્યો હતો તેવામાં અચાનક બુમાબુમ થવા લાગી તો માતા સોમીબેને પાછળ જોયું તો ગામનો જ સુરસંગ ઉર્ફે ગટીયો ઠાકોર હાથમા ધારિયા જેવું તિક્ષણ હથિયાર સાથે હુમલો કરી જગદીશના માથા અને મોઢાના ભાગે ગંભીર ઘા મારી રહ્યો હતો આ જોઈએ સોમીબેન પુત્ર ને બચાવવા વચ્ચે પડે છે તો હુમલો કરનારની પત્ની કોકીબેન સ્થળ પર હોઈ સોમીબેન ને પકડી રાખે છે અને સુરસંગ ઉર્ફે ગટીયો સોમીબેન પર પણ જીવલેણ હુમલો કરે છે જેમાં સોમીબેન ને ખભાના ભાગે ગંભીર ઇજા પહોંચે છે. જમીનને લઈ ચાલતો હતો વિવાદ બુમાબુમ થતાં હુમલા ખોર અને તેની પત્ની ત્યાંથી ભાગી જાય છે અને સ્થાનિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં પડેલ બન્ને માતા પુત્ર ને રાધનપુર હોસ્પિટલ લઈ જાય છે જ્યાં પુત્ર જગદીશ ઠાકોર ને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દે છે અને સોમીબેનની સારવાર કરવામાં આવે છે.ઠાકોર સુરસંગ ઉર્ફે ગટીયો (આરોપી) અને તેની પત્ની ઘણા વર્ષોથી ભોગબનનાર ની ઘરથાર (જમીન) માં મકાન બનાવી ને રહે છે જેથી ભોગબનનાર સોમીબેનએ ઘણી વખત આ ઘરથાર(જમીન) ખાલી કરવા કહેલ પરંતુ ખાલી કરેલ ના હતું અને તેનું જ મનદુઃખ રાખી સુરસંગ ઉર્ફે ગટીયા દ્વારા માતા પુત્ર પર તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કરે છે. આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા જગદીશની હત્યા બાદ પરિવારમાં ઘેરાપ્રત્યા ઘાત પડે છે અને જ્યાં સુધી આરોપીઓને પકડી યોગ્ય કાર્યવાહી કરવામાં ના આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનું ઇન્કાર કરે છે અને રાધનપુર હોસ્પિટલ ખાતે સમાજના લોકોના ટોળેટોળા ઉમટી પડે છે ત્યારે લગભગ 20 કલાક બાદ સામાજિક અગ્રણીઓ અને પોલીસ દ્વારા સમજાવટ બાદ પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારમાં આવે છે.યુવકની હત્યા બાબતે રાધનપુર પોલીસે સુરસંગ ઉર્ફેટ ગટીયો ભેમાંભાઈ ઠાકોર અને તેની પત્ની કોકીબેન વિરુદ્ધ હત્યા, હત્યાની કોસીસ અને મદદગારી એ મુજબની ફરિયાદ નોંધી પોલીસની અલગ અલગ ટિમો બનાવી હ્યુમનસોર્સ અને ટેકનિકલ સોર્સના આધારે આરોપી પતિ પત્ની ને પકડવા ચક્રોગતિ માન કર્યા છે.  

Patanના રાધનપુરમાં બે પાડોશી વચ્ચેની બોલાચાલીમાં યુવકનું ઉડી ગયું પ્રાણ પંખેરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કહેવત છે કે જર,જમીન અને જોરૂ એ ત્રણે કજિયાના છોરું મતલબ કે સંસારમાં સ્ત્રી,જમીન અને ધન એ ત્રણ કજિયાના મૂળ ગણાય છે ત્યારે આવી જ એક ઘટના રાધનપુર ના પ્રેમનગર ગામે બનવા પામી છે જ્યાં જમીન બાબતે બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ અને જોત જોતામાં બોલાચાલી હત્યાના પરિણામ સુધી પહોંચી જેમાં એક યુવાનનો પ્રાણ પંખેરૂ ઉડી ગયું અને પુત્રને બચાવા વચ્ચે પડતા માતા ને પણ ગંભીર ઈજાઓ પહોંચી.

માતાને પણ પહોંચી ઈજા

રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામે ખૂની ખેલ ખેલાયો હતો અને ગામમાં એક જ સમાજના યુવાનો વચ્ચે હત્યાની ઘટના બનતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, હત્યાની ઘટનાની જાણ થતા રાધનપુર પોલીસ તાત્કાલિક પ્રેમનગર ગામે પહોંચી હતી અને આગળ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો તેમજ ઘટનામાં મૃત્યુ પામેલ જગદીશ ઠાકોરના મૃતદેહને પીએમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તેમજ મૃતક ની માતા સોમીબેન ઠાકોરને ગંભીર ઈજાઓ થતા પ્રથમ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા.


મૃતક યુવાન સુરતમાં કરતો હતો નોકરી

મૃતક જગદીશ ઠાકોર રોજગારી મેળવવા સુરત જઈ રહ્યો હતો જેથી તેની માતા ગામના સ્ટેન્ડ સુધી તેને મોકલવા જઇ રહી હતી આ દરમિયાન માતા થોડી આગળ અને પુત્ર જગદીશ થોડો પાછળ ચાલી રહ્યો હતો તેવામાં અચાનક બુમાબુમ થવા લાગી તો માતા સોમીબેને પાછળ જોયું તો ગામનો જ સુરસંગ ઉર્ફે ગટીયો ઠાકોર હાથમા ધારિયા જેવું તિક્ષણ હથિયાર સાથે હુમલો કરી જગદીશના માથા અને મોઢાના ભાગે ગંભીર ઘા મારી રહ્યો હતો આ જોઈએ સોમીબેન પુત્ર ને બચાવવા વચ્ચે પડે છે તો હુમલો કરનારની પત્ની કોકીબેન સ્થળ પર હોઈ સોમીબેન ને પકડી રાખે છે અને સુરસંગ ઉર્ફે ગટીયો સોમીબેન પર પણ જીવલેણ હુમલો કરે છે જેમાં સોમીબેન ને ખભાના ભાગે ગંભીર ઇજા પહોંચે છે.

જમીનને લઈ ચાલતો હતો વિવાદ

બુમાબુમ થતાં હુમલા ખોર અને તેની પત્ની ત્યાંથી ભાગી જાય છે અને સ્થાનિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં પડેલ બન્ને માતા પુત્ર ને રાધનપુર હોસ્પિટલ લઈ જાય છે જ્યાં પુત્ર જગદીશ ઠાકોર ને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દે છે અને સોમીબેનની સારવાર કરવામાં આવે છે.ઠાકોર સુરસંગ ઉર્ફે ગટીયો (આરોપી) અને તેની પત્ની ઘણા વર્ષોથી ભોગબનનાર ની ઘરથાર (જમીન) માં મકાન બનાવી ને રહે છે જેથી ભોગબનનાર સોમીબેનએ ઘણી વખત આ ઘરથાર(જમીન) ખાલી કરવા કહેલ પરંતુ ખાલી કરેલ ના હતું અને તેનું જ મનદુઃખ રાખી સુરસંગ ઉર્ફે ગટીયા દ્વારા માતા પુત્ર પર તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કરે છે.

આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા

જગદીશની હત્યા બાદ પરિવારમાં ઘેરાપ્રત્યા ઘાત પડે છે અને જ્યાં સુધી આરોપીઓને પકડી યોગ્ય કાર્યવાહી કરવામાં ના આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનું ઇન્કાર કરે છે અને રાધનપુર હોસ્પિટલ ખાતે સમાજના લોકોના ટોળેટોળા ઉમટી પડે છે ત્યારે લગભગ 20 કલાક બાદ સામાજિક અગ્રણીઓ અને પોલીસ દ્વારા સમજાવટ બાદ પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારમાં આવે છે.યુવકની હત્યા બાબતે રાધનપુર પોલીસે સુરસંગ ઉર્ફેટ ગટીયો ભેમાંભાઈ ઠાકોર અને તેની પત્ની કોકીબેન વિરુદ્ધ હત્યા, હત્યાની કોસીસ અને મદદગારી એ મુજબની ફરિયાદ નોંધી પોલીસની અલગ અલગ ટિમો બનાવી હ્યુમનસોર્સ અને ટેકનિકલ સોર્સના આધારે આરોપી પતિ પત્ની ને પકડવા ચક્રોગતિ માન કર્યા છે.