Panchmahal: મધ્યપ્રદેશના માઈભક્તો દંડવત યાત્રા કરી જાંબુઘોડા પહોંચ્યાં

 મધ્યપ્રદેશના પડવાની જિલ્લાના પાણસેમલ તાલુકાના ઝંડવા કુંડીયા તેમજ બોરાલી ગામના માઈભક્તો 300 કિ.મી દંડવત કરી ગઈકાલે જાંબુઘોડા આવી પહોંચ્યા હતાં. આ સંઘ પાવાગઢ, ફગવેલ, મીનાવાડા સુધી દંડવત કરી 400 કિ.મીનું અંતર કાપી પહોંચશે. તા.1 સપ્ટેમ્બરે નીકળેલો સંઘ 18 દિવસે જાંબુઘોડા આવી પહોંચ્યો હતા.ગઈકાલે અનોખી રીતે દંડવત કરી મધ્યપ્રદેશના ઝંડવા કુંડીયા ગામનો મહાકાળી માતાના 11 જેટલા ભક્તજનોનો સંઘ સાંજે છ વાગ્યે જાંબુઘોડા આવી પહોંચ્યો હતો. સંઘના વડા અને અન્ય ભક્તો ના ગુરુ એવા મુકેશભાઈ કનોજે જણાવ્યું હતું કે તેઓ તથા તેમના એક મહિલા સહિત 10 જેટલા અન્ય ભક્તોને સાથે રાખી દંડવત કરી પાવાગઢ ખાતે મહાકાળી માતાના ધામ ખાતે પૂનમ ભરી તેઓ આગળ મુવાળા દુધાતેલ ખાખરીયા વન તથા ફગવેલ મીનાવાળા જશે તેમ જણાવ્યું હતું વધુમાં તેઓ જણાવ્યું હતું કે તેઓ એક મહિનાનો પ્રવાસ ખેડી પરત ફરતી વેળા મહાકાળી માતાજીની જ્યોત લઈ પોતાના માદરે વતન જ્યાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવાની છે.

Panchmahal: મધ્યપ્રદેશના માઈભક્તો દંડવત યાત્રા કરી જાંબુઘોડા પહોંચ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 મધ્યપ્રદેશના પડવાની જિલ્લાના પાણસેમલ તાલુકાના ઝંડવા કુંડીયા તેમજ બોરાલી ગામના માઈભક્તો 300 કિ.મી દંડવત કરી ગઈકાલે જાંબુઘોડા આવી પહોંચ્યા હતાં. આ સંઘ પાવાગઢ, ફગવેલ, મીનાવાડા સુધી દંડવત કરી 400 કિ.મીનું અંતર કાપી પહોંચશે. તા.1 સપ્ટેમ્બરે નીકળેલો સંઘ 18 દિવસે જાંબુઘોડા આવી પહોંચ્યો હતા.

ગઈકાલે અનોખી રીતે દંડવત કરી મધ્યપ્રદેશના ઝંડવા કુંડીયા ગામનો મહાકાળી માતાના 11 જેટલા ભક્તજનોનો સંઘ સાંજે છ વાગ્યે જાંબુઘોડા આવી પહોંચ્યો હતો. સંઘના વડા અને અન્ય ભક્તો ના ગુરુ એવા મુકેશભાઈ કનોજે જણાવ્યું હતું કે તેઓ તથા તેમના એક મહિલા સહિત 10 જેટલા અન્ય ભક્તોને સાથે રાખી દંડવત કરી પાવાગઢ ખાતે મહાકાળી માતાના ધામ ખાતે પૂનમ ભરી તેઓ આગળ મુવાળા દુધાતેલ ખાખરીયા વન તથા ફગવેલ મીનાવાળા જશે તેમ જણાવ્યું હતું વધુમાં તેઓ જણાવ્યું હતું કે તેઓ એક મહિનાનો પ્રવાસ ખેડી પરત ફરતી વેળા મહાકાળી માતાજીની જ્યોત લઈ પોતાના માદરે વતન જ્યાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવાની છે.