Palanpur: રાસાયણિક ખાતરના ભાવ વધારાથી કથા ખોડલા ગામના ખેડૂતોનો વિરોધ

Jan 20, 2025 - 01:00
Palanpur: રાસાયણિક ખાતરના ભાવ વધારાથી કથા ખોડલા ગામના ખેડૂતોનો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઇફકો કંપની દ્વારા ખાતરના ભાવમાં વધારો કરતા આ મામલે હવે ખેડૂતોને પડતા પર પાટું જેવી હાલત થઈ છે અને આ મામલે પાલનપુર તાલુકાના ખેડૂત આલમમાં નારાજગી પ્રવૃત્તિ રહી છે. ત્યારે ખોડલા ગામના ખેડૂતોએ આ મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો.

બનાસકાંઠા સહિત રાજ્યના ખેડૂતોને ઇફ્કોએ મોટો ઝટકો આપ્યો છે.

ઈફ્કોએ રાસાયણિક ખાતરમાં પ્રતિ 50 કિલોની બેગમાં 250 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. ત્યારે NPK 102626ના ભાવમાં રૂપિયા 250 તો NPK 123216ના ભાવમાં રૂપિયા 250નો તોતીંગ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે રાસાયણિક ખાતરમાં ભાવ વધારો થતા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે. ખેડૂતો માટે આ ભાવ વધારો કમરતોડ છે. ખેડૂતોની આવકમાં મોટો ઘટાડો થશે, ખાતર પરનો ભાવ વધારો ખેડૂતોને પોસાય તેમ નથી. તેમ કહી બનાસકાંઠાના ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે આ ભાવ વધારો ખેડૂતો માટે આત્મઘાતી નિવડશે. ખાતરની જરુર છે ત્યારે જ સરકારે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે. આ ભાવ વધારાથી ખેડૂતો દેવાદાર બની જશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0