Navsariના ઐતિહાસિક દાંડી ગામે પાણી માટે સ્થાનિકો કરશે સત્યાગ્રહ !

Dec 21, 2024 - 09:30
Navsariના ઐતિહાસિક દાંડી ગામે પાણી માટે સ્થાનિકો કરશે સત્યાગ્રહ !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવસારી જિલ્લાના ઐતિહાસિક દાંડી ગામે ફરી એકવાર સત્યાગ્રહના મંડાણ થયા છે.અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત થવા કરાયેલ મીઠા સત્યાગ્રહના સાક્ષી બનેલા આ ગામના લોકોએ આઝાદીના વર્ષો બાદ હવે પાણી માટે સત્યાગ્રહ કરવો પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.

સમુ દાંડી ગામ

નવસારી જિલ્લાની ઐતિહાસિક ધરોહર સમુ દાંડી ગામ દેશની આઝાદીનું પ્રવેશદ્વાર કહેવાયું છે.આ ગામ મહાત્મા ગાંધીએ કરેલ દાંડીકૂચ અને મીઠા સત્યાગ્રહનું સાક્ષી બન્યું છે.ત્યારે દેશની આઝાદીના દાયકાઓ વીતી ગયા બાદ ગામ ના લોકો એ ફરી એકવાર સત્યાગ્રહ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.આ સ્થિતિ પાછળ નું કારણ છે એક પાણીની લાઈન અને વિકાસના નામે ગામને પાણીથી વંચિત કરતી એક યોજનાનું આયોજન.

ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી છે

આયોજન છે ઐતિહાસિક દાંડી ગામને જિલ્લાના મુખ્ય મથક નવસારી સાથે જોડતા એરૂ થી દાંડી જતા રોડને પહોળો કરવાનું.આ રોડ ને દસ મીટર પહોળો કરવાની સરકારે યોજના બનાવી છે.અને તે આયોજન પૂરું કરવા માટે દાંડી ગ્રામપંચાયતને એક નોટિસ પાઠવવામાં આવી છે.જે નોટિસમાં પંચાયતને રસ્તાના કામ માટે પાણી અને ડ્રેનેજની લાઈન ખસેડી લેવા જણાવાયું છે.પરંતુ દાંડી ગામના લોકોને આ વાત મંજૂર નથી.

ફાળો ઉઘરાવીને કરી હતી કામગીરી

ગામના લોકોએ એકવીસ વર્ષ અગાઉ ગામમાં ફાળો એકત્ર કરી રૂપિયા પચાસ લાખના સ્વખર્ચે પાણી લાઇન નાખી હતી.અને તેજ પાણી ની લાઇન દ્વારા ગામ સહિત મીઠા સત્યાગ્રહ સ્મારક તેમજ દરિયા કિનારે આવતા સહેલાણી ઓને પાણી પૂરું પાડવામાં આવે છે.અને આજ પાણી ની લાઇન રસ્તો પહોળો કરવાની યોજના અંતર્ગત ધ્વસ્ત થઈ જવાની પૂરી શક્યતા સર્જાતા ગામ ના લોકો ચિંતા માં મુકાયા છે.ગામ ના લોકો એ એક ખાસ બેઠક નું આયોજન કરી પાણી ની સ્વખર્ચે નાખેલી લાઇન કોઈપણ ભોગે બચાવી લેવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0