Nadiad: બિલોદરા ચોકડીએ આખલા યુદ્વથી ભયનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ પણ નગરમાં રખડતાં ઢોરની સમસ્યા હલ નહીં થતાં નગરજનો ત્રાહીમામ પોકારી ગયા છે. બુધવારે બિલોદરા ચોકડી નજીક કપડવંજ રોડ પર બે આખલા વચ્ચે યુદ્ધ સર્જાયું હતું. બંને આખલાઓ લડતાં લડતાં રોડ વચ્ચો વચ્ચે આવી જતાં અત્રેથી પસાર થતાં વાહન ચાલકોના જીવ અદ્ધર થઇ ગયા હતા. મનપા દ્વારા રોડ પર રખડતાં ઢોરની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી નગરજનો માગ છે. નડિયાદ મહાનગરપાલિકામાં રખડતાં ઢોરની સમસ્યા યથાવત છે. નગરના વિવિધ માર્ગો ઉપર રખડતાં ઢોર લોકોને અડફેટમાં લેવાથી અકસ્માતની ઘટનાઓ છાસવારે બને છે. બુધવારે સવારે 11 વાગ્યાના અરસાં શહેરના બિલોદરા ચોકડી નજીક બે આખલાઓ સામ સામે આવી ગયા હતા. ત્યારબાદ બંને આખલાઓ વચ્ચે લડાઇ શરૂ થઇ હતી. આખલાઓ લડતા , લડતાં રોડની વચોવચ્ચ આવી ગયા હતા. જેને લઇને બંને સાઇડે અવર જવર કરતાં વાહન ચાલકો થોડીવાર માટે થોભી જવાની ફરજ પડી હતી. બંને આખલા વચ્ચે 5 થી 10 મિનિટ સુધી લડાઇ રહી હતી.
What's Your Reaction?






