Mehsana News: કનોડા ગામમાં રખડતા ઢોરે 75 વર્ષીય વૃદ્ધનો જીવ લીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણામાં રખડતા ઢોરનો ત્રાસે એક વૃદ્ધનો જીવ લીધાની ઘટના સામે આવી છે જે ઘટનામાં કનોડા ગામમાં રખડતા ઢોરે વૃદ્ધનો જીવ લીધો છે. 75 વર્ષીય મફતલાલ પટેલ નામના વૃદ્ધનું મોત થયું છે. મહેસાણામાં રખડતા ઢોરે વૃદ્ધનો ભોગ લીધો હતો. કનોડા ગામમાં વૃદ્ધને કાંડાના ભાગેથી હવામાં ઉછાળ્યા હતા આથી તેમનું માત નિપજ્યું છે.
75 વર્ષીય વૃદ્ધનું મોત
ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, અવાર નવાર રખડતા ઢોરના કારણે શહેરમાં કે ગામડાઓમાં ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે મહેસાણાના કનોડા ગામમાં ઢોરના કારણે 75 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે, રખડતા ઢોરે ભેટું મારી હવામાં ઉછાળ્યા હતા આથી વૃદ્ધનું મોત થયુ છે, તંત્ર દ્વારા હજુ સુધી રખડા ઢોરના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જો સમયસર રખડતા ઢોરના આતંકને કાબુમાં નહી કરવામાં આવે ત્યાં સુધી આવી રીતે લોકોનો ભાગ લેવાતા રહેશે.
રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ
આ પહેલા પણ સુરેન્દ્રનગરના લખતરમાં રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો હતો જેમાં રખડતા ઢોરે 8 વર્ષના બાળક પર હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કર્યો હતો, કેન્ટીન પરા વિસ્તારમાં આ ઘટના બની હતી તો ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકોએ ઢોરની ચુંગલમાંથી બાળકને છોડાવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો.
What's Your Reaction?






