Lok Sabha Election:રાજકોટવાસીઓના મિજાજમાં રાજકીય પક્ષની સરળ વાત

રાજકોટમાં હવે લેઉવા પટેલ સામે કડવા પટેલનો ચૂંટણી જંગ જામી શકે છેઆ બેઠકથી જીતેલા ઉમેદવારો કેન્દ્રીય મંત્રી સુધી પણ પહોંચ્યાભાજપના કોઈપણ નેતા નેતાને ટિકિટ મળે તે ખુબજ સહેલાઈથી જીતી જાયભારતમાં લોકસભાની ચૂંટણી માટે ગણતરીના દિવસો બાકી છે. તેમાં હવે વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોના નામની જાહેરાત પણ થઇ ગઇ છે. કેટલાક ઉમેદવાર બાકી છે. જેમાં સૌરાષ્ટ્રની સૌથી મહત્વની મનાતી એવી રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠકની ભાજપનો ગઢ માનવામાં આવે છે. તેમાં હાલ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિઓ પર કરેલ ટિપ્પણીનો મામલો સમગ્ર ગુજરાતમાં ગાજી રહ્યો છે. જેમાં હવે કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી ઉમેદવાર જાહેર થઇ શકે છે. રાજકોટમાં હવે લેઉવા પટેલ સામે કડવા પટેલનો ચૂંટણી જંગ જામી શકે છે રાજકોટમાં હવે લેઉવા પટેલ સામે કડવા પટેલનો ચૂંટણી જંગ જામી શકે છે. છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી ભાજપના ઉમેદવારો સતત વિજય બન્યા છે. જ્યારે વર્ષ 2009માં આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને હાલના ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો વિજય થયો હતો પરંતુ ત્યારબાદ સતત ભાજપના જ ઉમેદવાર વિજેતા બની છે. વર્તમાન સાંસદ મોહન કુંડારીયાને ભાજપ દ્વારા બે વખત રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ 2 વખત રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા છે. એવામાં હવે આ વખતે ભાજપે રિપીટ થીયરીની જગ્યાએ પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી હતી. જેમાં ક્ષત્રિય સમાજનો વિવાદ આ વખતે શાંત થવાનું નામ લઇ રહ્યો નથી. અહીંનું રાજકારણ સૌરાષ્ટ્રભરના અલગ અલગ જિલ્લાઓમાં અસર કરતું હોય છે રાજકોટની ઐતિહાસિક ઓળખની વાત કરવામાં આવે તો રાજકોટને સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર માનવામાં આવે છે. જ્યારે જનસંઘ હતું ત્યારથી રાજકોટમાં ભાજપ પક્ષની મજબૂત પકડ હતી. જનસંઘ સમયથી પક્ષના ઉમેદવારો જીતે છે અને ત્યારબાદ જનસંઘ ભાજપ થયું ત્યારથી ભાજપ પક્ષનો રાજકોટ બેઠક ઉપર દબદબો રહ્યો રહ્યો છે. રાજકોટ બેઠકના ઉમેદવારોની વાત કરવામાં આવે તો ડો.વલ્લભભાઈ કથેરીયા કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેઓ રાજકોટ લોકસભા બેઠક પરથી લગભગ ચાર વખત સાંસદ બન્યા હતા. ત્યારબાદ મોહન કુંડારીયાની વાત કરવામાં આવી તો મોહન કુંડારીયા મોદી સરકારમાં કૃષિ મંત્રી રહી ચૂક્યા છે. જેઓ પણ છેલ્લી બે ટર્મથી રાજકોટ લોકસભા બેઠક ઉપરથી જીતતા આવ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મહત્વની બેઠક રાજકોટને માનવામાં આવે છે કારણ કે અહીંનું રાજકારણ સૌરાષ્ટ્રભરના અલગ અલગ જિલ્લાઓમાં અસર કરતું હોય છે. આ બેઠકથી જીતેલા ઉમેદવારો કેન્દ્રીય મંત્રી સુધી પણ પહોંચ્યા રાજકોટ લોકસભા બેઠકનો ઇતિહાસ જાણવા જેવા છે. જેમાં ગુજરાત રાજ્યની સ્થાપના નહોતી થઈ તે સમયે રાજકોટ લોકસભા બેઠકને મધ્ય સૌરાષ્ટ્ર લોકસભા બેઠક તરીકે ઓળખવામાં આવતી હતી. ત્યારે વર્ષ 1951થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જેઠાલાલ જોશી 860003 મતોથી જીત્યા હતા. ગુજરાત રાજ્યની સ્થાપના પછી યોજાયેલી વર્ષ 1962માં થયેલી ચૂંટણીમાં ઉચ્છરંગ રાય ઢેબર કોંગ્રેસ પક્ષમાંથી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષના એમ.આર.મસાણી વિજેતા બન્યા હતા. તે સમયે પ્રથમ વખત કોઈ અન્ય પક્ષના ઉમેદવાર રાજકોટ બેઠક પરથી વિજેતા બન્યા હતા. જ્યારે શરૂઆતમાં રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસની બેઠક મનાતી હતી પરંતુ વર્ષ 1967ની ચૂંટણીમાં તે સમીકરણો બદલાયા હતા અને વર્ષ 1989થી આ બેઠક હવે ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકથી જીતેલા ઉમેદવારો કેન્દ્રીય મંત્રી સુધી પણ પહોંચ્યા છે. ભાજપના કોઈપણ નેતા નેતાને ટિકિટ મળે તે ખુબજ સહેલાઈથી જીતી જાય રાજકોટવાસીઓના મિજાજની વાત કરવામાં આવે તો રાજકોટવાસીઓ ખાવા-પીવાના ખૂબ જ શોખીન માનવામાં આવે છે. રાજકોટની ચીકી, પેંડા અને લીલી ચટણી તેમજ વણેલા ગાંઠિયા ખૂબ જ વખણાય છે. રાજકોટ વાસીઓ માટે એક કહેવત પણ ખૂબ જ પ્રચલિત છે કે બપોરે 1 થી 4 રાજકોટવાસીઓ ઊંઘી જાય છે, એટલે કે બપોરના સમયે રાજકોટમાં સંપૂર્ણ કર્ફ્યુ જેવો માહોલ સર્જાય છે. 1989 બાદ એક જ વખત કોંગ્રેસ વિજેતા બની છે. રાજકોટ લોકસભા બેઠકને ભાજપનોગઢ માનવામાં આવે છે કારણ કે અહીંયા જનસંઘથી વખતથી ભાજપની જબરજસ્ત પકડ રહી છે. વર્ષ 2009માં અહીંયા કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળીયા જીત્યા હતા પરંતુ ત્યારબાદ સતત ભાજપના ઉમેદવારોની જીતે છે. કારણ કે અહીંયા ભાજપ પક્ષ એટલો મજબૂત છે કે અહીંયા ભાજપના કોઈપણ નેતા નેતાને ટિકિટ મળે તો પણ તે ખુબજ સહેલાઈથી જીતી શકે છે. અહીંયા બુથ લેવલથી જ ભાજપ ખૂબ સક્રિય છે. અહીંયા કડવા પાટીદારો ઉમેદવારોનો દબદબો વધુ જોવા મળે છે રાજકોટ લોકસભાની વાત કરવામાં આવે તો અહીંયા કડવા પાટીદારો ઉમેદવારોનો દબદબો વધુ જોવા મળે છે. તેની બે ટર્મથી ભાજપમાંથી ચૂંટાયેલા મોહન કુંડારીયા પણ કડવા પાટીદાર સમાજના નેતા છે. એવામાં ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કડવા પાટીદાર નેતા લલિત કગતરાને ટિકિટ આપવામાં આવી હતી તે સમયે એવું લાગતું હતું કે પાટીદાર વોટ બેન્કના કારણે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા વિજેતા થશે પરંતુ એ બન્યુ નહોતું. મોહન કુંડારીયાએ જંગી લીડથી જીત મેળવી હતી. એવામાં આ વખતે રાજકોટ લોકસભા બેઠક ઉપર પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે પણ ક્ષત્રિય સમાજની ટિપ્પણી કયાક રૂપાલાને ભારે ના પડી જાય તેવી લોક ચર્ચા થઇ રહી છે. 

Lok Sabha Election:રાજકોટવાસીઓના મિજાજમાં રાજકીય પક્ષની સરળ વાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટમાં હવે લેઉવા પટેલ સામે કડવા પટેલનો ચૂંટણી જંગ જામી શકે છે
  • આ બેઠકથી જીતેલા ઉમેદવારો કેન્દ્રીય મંત્રી સુધી પણ પહોંચ્યા
  • ભાજપના કોઈપણ નેતા નેતાને ટિકિટ મળે તે ખુબજ સહેલાઈથી જીતી જાય
ભારતમાં લોકસભાની ચૂંટણી માટે ગણતરીના દિવસો બાકી છે. તેમાં હવે વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોના નામની જાહેરાત પણ થઇ ગઇ છે. કેટલાક ઉમેદવાર બાકી છે. જેમાં સૌરાષ્ટ્રની સૌથી મહત્વની મનાતી એવી રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠકની ભાજપનો ગઢ માનવામાં આવે છે. તેમાં હાલ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિઓ પર કરેલ ટિપ્પણીનો મામલો સમગ્ર ગુજરાતમાં ગાજી રહ્યો છે. જેમાં હવે કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી ઉમેદવાર જાહેર થઇ શકે છે.
રાજકોટમાં હવે લેઉવા પટેલ સામે કડવા પટેલનો ચૂંટણી જંગ જામી શકે છે
રાજકોટમાં હવે લેઉવા પટેલ સામે કડવા પટેલનો ચૂંટણી જંગ જામી શકે છે. છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી ભાજપના ઉમેદવારો સતત વિજય બન્યા છે. જ્યારે વર્ષ 2009માં આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને હાલના ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો વિજય થયો હતો પરંતુ ત્યારબાદ સતત ભાજપના જ ઉમેદવાર વિજેતા બની છે. વર્તમાન સાંસદ મોહન કુંડારીયાને ભાજપ દ્વારા બે વખત રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ 2 વખત રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા છે. એવામાં હવે આ વખતે ભાજપે રિપીટ થીયરીની જગ્યાએ પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી હતી. જેમાં ક્ષત્રિય સમાજનો વિવાદ આ વખતે શાંત થવાનું નામ લઇ રહ્યો નથી.

અહીંનું રાજકારણ સૌરાષ્ટ્રભરના અલગ અલગ જિલ્લાઓમાં અસર કરતું હોય છે
રાજકોટની ઐતિહાસિક ઓળખની વાત કરવામાં આવે તો રાજકોટને સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર માનવામાં આવે છે. જ્યારે જનસંઘ હતું ત્યારથી રાજકોટમાં ભાજપ પક્ષની મજબૂત પકડ હતી. જનસંઘ સમયથી પક્ષના ઉમેદવારો જીતે છે અને ત્યારબાદ જનસંઘ ભાજપ થયું ત્યારથી ભાજપ પક્ષનો રાજકોટ બેઠક ઉપર દબદબો રહ્યો રહ્યો છે. રાજકોટ બેઠકના ઉમેદવારોની વાત કરવામાં આવે તો ડો.વલ્લભભાઈ કથેરીયા કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેઓ રાજકોટ લોકસભા બેઠક પરથી લગભગ ચાર વખત સાંસદ બન્યા હતા. ત્યારબાદ મોહન કુંડારીયાની વાત કરવામાં આવી તો મોહન કુંડારીયા મોદી સરકારમાં કૃષિ મંત્રી રહી ચૂક્યા છે. જેઓ પણ છેલ્લી બે ટર્મથી રાજકોટ લોકસભા બેઠક ઉપરથી જીતતા આવ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મહત્વની બેઠક રાજકોટને માનવામાં આવે છે કારણ કે અહીંનું રાજકારણ સૌરાષ્ટ્રભરના અલગ અલગ જિલ્લાઓમાં અસર કરતું હોય છે.

આ બેઠકથી જીતેલા ઉમેદવારો કેન્દ્રીય મંત્રી સુધી પણ પહોંચ્યા
રાજકોટ લોકસભા બેઠકનો ઇતિહાસ જાણવા જેવા છે. જેમાં ગુજરાત રાજ્યની સ્થાપના નહોતી થઈ તે સમયે રાજકોટ લોકસભા બેઠકને મધ્ય સૌરાષ્ટ્ર લોકસભા બેઠક તરીકે ઓળખવામાં આવતી હતી. ત્યારે વર્ષ 1951થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જેઠાલાલ જોશી 860003 મતોથી જીત્યા હતા. ગુજરાત રાજ્યની સ્થાપના પછી યોજાયેલી વર્ષ 1962માં થયેલી ચૂંટણીમાં ઉચ્છરંગ રાય ઢેબર કોંગ્રેસ પક્ષમાંથી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષના એમ.આર.મસાણી વિજેતા બન્યા હતા. તે સમયે પ્રથમ વખત કોઈ અન્ય પક્ષના ઉમેદવાર રાજકોટ બેઠક પરથી વિજેતા બન્યા હતા. જ્યારે શરૂઆતમાં રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસની બેઠક મનાતી હતી પરંતુ વર્ષ 1967ની ચૂંટણીમાં તે સમીકરણો બદલાયા હતા અને વર્ષ 1989થી આ બેઠક હવે ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકથી જીતેલા ઉમેદવારો કેન્દ્રીય મંત્રી સુધી પણ પહોંચ્યા છે.

ભાજપના કોઈપણ નેતા નેતાને ટિકિટ મળે તે ખુબજ સહેલાઈથી જીતી જાય
રાજકોટવાસીઓના મિજાજની વાત કરવામાં આવે તો રાજકોટવાસીઓ ખાવા-પીવાના ખૂબ જ શોખીન માનવામાં આવે છે. રાજકોટની ચીકી, પેંડા અને લીલી ચટણી તેમજ વણેલા ગાંઠિયા ખૂબ જ વખણાય છે. રાજકોટ વાસીઓ માટે એક કહેવત પણ ખૂબ જ પ્રચલિત છે કે બપોરે 1 થી 4 રાજકોટવાસીઓ ઊંઘી જાય છે, એટલે કે બપોરના સમયે રાજકોટમાં સંપૂર્ણ કર્ફ્યુ જેવો માહોલ સર્જાય છે. 1989 બાદ એક જ વખત કોંગ્રેસ વિજેતા બની છે. રાજકોટ લોકસભા બેઠકને ભાજપનોગઢ માનવામાં આવે છે કારણ કે અહીંયા જનસંઘથી વખતથી ભાજપની જબરજસ્ત પકડ રહી છે. વર્ષ 2009માં અહીંયા કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળીયા જીત્યા હતા પરંતુ ત્યારબાદ સતત ભાજપના ઉમેદવારોની જીતે છે. કારણ કે અહીંયા ભાજપ પક્ષ એટલો મજબૂત છે કે અહીંયા ભાજપના કોઈપણ નેતા નેતાને ટિકિટ મળે તો પણ તે ખુબજ સહેલાઈથી જીતી શકે છે. અહીંયા બુથ લેવલથી જ ભાજપ ખૂબ સક્રિય છે.

અહીંયા કડવા પાટીદારો ઉમેદવારોનો દબદબો વધુ જોવા મળે છે
રાજકોટ લોકસભાની વાત કરવામાં આવે તો અહીંયા કડવા પાટીદારો ઉમેદવારોનો દબદબો વધુ જોવા મળે છે. તેની બે ટર્મથી ભાજપમાંથી ચૂંટાયેલા મોહન કુંડારીયા પણ કડવા પાટીદાર સમાજના નેતા છે. એવામાં ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કડવા પાટીદાર નેતા લલિત કગતરાને ટિકિટ આપવામાં આવી હતી તે સમયે એવું લાગતું હતું કે પાટીદાર વોટ બેન્કના કારણે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા વિજેતા થશે પરંતુ એ બન્યુ નહોતું. મોહન કુંડારીયાએ જંગી લીડથી જીત મેળવી હતી. એવામાં આ વખતે રાજકોટ લોકસભા બેઠક ઉપર પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે પણ ક્ષત્રિય સમાજની ટિપ્પણી કયાક રૂપાલાને ભારે ના પડી જાય તેવી લોક ચર્ચા થઇ રહી છે.