Lakhtar: કાચા મકાનની દીવાલ ધરાશાયી

Jun 18, 2025 - 02:30
Lakhtar: કાચા મકાનની દીવાલ ધરાશાયી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લખતર શહેર તેમજ ગ્રામ્યમાં સોમવારે રાત્રિના ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડયો હતો. ત્યારબાદ મંગળવારે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયો હતો. એથી શહેરના ભૈરવપરા, મફ્તીયા પરા વિસ્તાર, કૃષ્ણનગર સોસાયટી તેમજ કેન્ટીંગ પરા જેવા નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના પગલે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ ઉપરાંત શહેરમાં અક્ષર આનંદ કોમ્પલેક્ષ પાસે એક કાચા મકાનની દિવાલ ધરાશાઈ થઈ હતી. જેમાં જાનહાનિ ટળી હતી. લખતરના રહીશો દ્વારા ચોમાસા પૂર્વે અનેકવાર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને મામલતદાર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં આ જ દિવસ સુધી પ્રિ-મોન્સુનને લગતી કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા પ્રજામાં રોષની લાગણી ઉઠવા પામી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0