Kutchમાં ઠંડી-ગરમીની મિશ્રઋતુ વચ્ચે ખેડૂતોએ વાવેતરના કર્યા શ્રીગણેશ, 34,432 હેક્ટરમાં થયું વાવેતર

Feb 17, 2025 - 18:00
Kutchમાં ઠંડી-ગરમીની મિશ્રઋતુ વચ્ચે ખેડૂતોએ વાવેતરના કર્યા શ્રીગણેશ, 34,432 હેક્ટરમાં થયું વાવેતર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર કચ્છમાં હાલમાં ઠંડી ગરમીનો મિશ્ર અનુભવ થઈ રહ્યો છે તો બીજી તરફ સરકાર દ્વારા ટેકાના ભાવે શિયાળુ પાકની ખરીદી માટે રજીસ્ટ્રેશન સહિતની પણ પ્રક્રિયા પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જેની વચ્ચે ખેડૂતો દ્વારા ઉનાળુ પાકનું વાવેતર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા વાવેતરની શરૂઆત સાથે જ 2865 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરી નાખવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ મગફળીનું 1230 હેક્ટરમાં વાવેતર જોવા મળી રહ્યું છે.

આગામી દિવસોમાં ક્રમશઃ વાવેતરમાં વધારો જોવા મળશે

આમ તો જિલ્લામાં ઉનાળુ પાકનું સરેરાશ 34,432 હેક્ટરમાં વાવેતર થાય છે, પરંતુ જે રીતે ખેડૂતો દ્વારા સ્થાનિકે પાણીના સ્રોત ઊભા કરવામાં આવી રહ્યા હોઈ તેમજ પિયત ધરાવતા ખેડૂતો દ્વારા પણ ચાલુ વર્ષે ઉનાળુ પાકનું મહત્તમ વાવેતર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. નાયબ ખેતીવાડી અધિકારી શાન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કચ્છમાં ખેડૂતો દ્વારા ઉનાળુ પાકના વાવેતરના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે પ્રારંભ સાથે જ 2865 હેક્ટરમાં વાવેતર થયું છે. જે રીતે ખેડૂતો ઉનાળુ પાકના વાવેતરમાં જોતરાઈ ગયા છે તે જોતાં આગામી દિવસોમાં ક્રમશઃ વાવેતરમાં વધારો જોવા મળશે. કારણ કે ઉનાળાના પ્રારંભ સાથે જ ખેડૂતો દ્વારા બાજરી, મકાઈ, મગફળી, તલ, શાકભાજી, ઘાસચારો અને અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

જિલ્લામાં ઉનાળુ પાકનું થયેલું વાવેતર

જિલ્લામાં ઉનાળુ પાકનાં થયેલા વાવેતર પર નજર કરવામાં આવે તો બાજરીનું 350 હેક્ટરમાં, મકાઈનું 50 હેક્ટરમાં, મગફળીનું 1230 હેક્ટરમાં, તલનું 50 હેક્ટરમાં, શાકભાજીનું 165 હેક્ટરમાં, ઘાસચારનું 870 હેક્ટરમાં અને અન્ય પાકોનું 150 હેક્ટર મળી કુલ 2865 હેક્ટરમાં વાવતર થવા પામ્યું છે.

ખેડૂતો દ્વારા તાલુકા વાઈઝ થયેલું વાવેતર

કચ્છના વિવિધ તાલુકાઓમાં ખેડૂતો દ્વારા ઉનાળાના પ્રારંભે કરેલા વાવેતરમાં અબડાસા તાલુકામાં 700 હેક્ટરમાં, ભચાઉમાં 440 હેક્ટરમાં, ભુજમાં 320 હેક્ટરમાં, લખપત તાલુકામાં 315 હેક્ટરમાં, માંડવીમાં 220 હેક્ટરમાં, નખત્રાણામાં 650 હેક્ટરમાં અને રાપર તાલુકામાં 220 હેક્ટર મળીને કુલ 2865 હેક્ટરમાં વાવેતરનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે અંજાર, ગાંધીધામ અને મુન્દ્રા તાલુકામાં ખેડૂતો દ્વારા હજુ સુધી ઉનાળુ પાકનું વાવેતર શરૂ કરવામાં આવ્યું નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0