Junagadh સતાધાર જગ્યાને લઈ વિવાદ, રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયરને બનવું છે ટ્રસ્ટી

Jan 5, 2025 - 12:30
Junagadh સતાધાર જગ્યાને લઈ વિવાદ, રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયરને બનવું છે ટ્રસ્ટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢમાં અંબાજી અને ભવનાથનું મંદિરનો વિવાદ હજી તો શમ્યો નથી ત્યાં સતાધારની જગ્યાના મહંત પર સગા ભાઈએ જ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. સતાધારના મહંત વિજયબાપુના સગાભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે, જેમાં મહંત દ્વારા ગેરકાયદે કરોડોના વ્યવ્હાર અને સતાધારમાં જ રહેતી મહિલા ગીતા અને વિજયબાપુ વચ્ચે પ્રેમસંબંધ છે અને બંનેએ લગ્ન કરી લીધાં હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્ર સોલંકીની એન્ટ્રી

નરેન્દ્ર સોલંકીએ ટ્રસ્ટી બનવા માટે પત્ર લખ્યો હોવાની વાત સામે આવી છે જેમાં નરેન્દ્ર સોલંકીનું કહેવું છે કે,જીવરાજબાપુના વારસદાર તરીકે સ્થાન આપો અને મને ટ્રસ્ટી તરીકે લેવામાં શું વાંધો છે સાથે સાથે તમે 2 ટ્રસ્ટી અને 4 ટ્રસ્ટી બનાવ્યા છે તો વધુ એકને લેવામાં શું તકલીફ છે અને 20 વર્ષ પહેલા પણ વિવાદ થયા હતા ત્યારે પણ લોકોની સાચી શ્રદ્ધા ડગી નથી અને 8 ઓગસ્ટ 2017એ વિલ બનાવ્યું હતું,બાપુ હતા ત્યારે વિલ બનાવવામાં આવેલું હતુ તેવું નરેન્દ્ર સોલંકીનું કહેવું છે.

પત્રનો જવાબ નહી મળે તો અભિયાન શરૂ થશે : નરેન્દ્ર સોલંકી

નરેન્દ્ર સોલંકીએ વધુમાં કહ્યું છે કે,વિજય ભગત હટાવ જગ્યા છોડી દો તો અભિયાન શરૂ થશે,હું જ છું મારા જેવું કોઈ નથી તેવી વાત કરે છે,હાલ પત્રનો જવાબ આવે તે માટે રાહ જોઈ રહ્યો છું.ભગત જે કરે છે તે કરવા દેવાનું આવું નહીં ચાલે તો વિજય ભગત ટુ ધ પોઈન્ટ વાત કરવા તૈયાર નથી,વિજય ભગત કહે ત્યાં ખુલ્લા મંચે વાતચીત કરવા તૈયાર નથી તો ખુલ્લા મંચે સવાલ જવાબ કરવા તૈયાર,વિજય ભગત માટે એક ચાન્સ પછી ખુલજા સીમ સીમ જેવું છે.આપા ગીગાનું ધૂપેલિયું ઉપાડી સમાધિ જતા આવો તેવું નરેન્દ્ર સોલંકીનું કહેવું છે.

વ્યભિચારનો આરોપ છે, પરીક્ષણ કરાવી લો : નરેન્દ્ર સોલંકી

નીતિનભાઈને અને અન્ય પત્રકારોના દિવસમાં ત્રણ વખત ફોન આવે છે તો વસંત સાથે કે અન્ય સાથે વાતચીત નથી અને મિલને વીડિયો બનાવ્યો તે બાદ મને એક કલાક બાદ ફોન આવેલો ત્યારે મેં કહેલું કે મારી કઈ લેવાદેવા નથી તમે જોઈ લ્યો અને ગીતા બને ફોન કરી કહેલું કે તેઓ મારી દીકરી છે મે કહેલું કે હા દીકરી છો અમે ત્યાર બાદ મળ્યા,આ જમીન સાધુ થઈ ને રાખે તો પૈસા આપવા પડે,જ્યાં જમીન કે મકાનમાં ભાગ રાખે તો કોઈ પૈસા લેણાં માંગે તો આપવા પડે,મે વિજય ભગત સાથે વાત કરી ને કહેલું કે જો પૈસા આપવાં હોઈ તો હું વ્યક્તિગત વિજય ભગત માટે મારા પૈસા હું આપવા તૈયાર હતો તેવું નરેન્દ્ર સોલંકીનું કહેવું છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0