Junagadh મનપાને લઈ ભાજપ નેતા ગિરીશ કોટેચાએ જીતનો કર્યો દાવો

Feb 18, 2025 - 09:30
Junagadh મનપાને લઈ ભાજપ નેતા ગિરીશ કોટેચાએ જીતનો કર્યો દાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢ મનપામાં કોંગ્રેસ-ભાજપના જીતના દાવા કર્યા છે,જેમાં ભાજપ-કોંગ્રેસ નેતાઓ કરી રહ્યા છે જીતના દાવા તો જૂનાગઢ ભાજપ નેતા ગિરીશ કોટેચાનો દાવો છે કે ભાજપની 45થી વધુ બેઠકો આવશે તેમજ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે પણ જીતનો દાવો કર્યો છે,35 બેઠક સાથે કોંગ્રેસનું શાસન સ્થાપવાનો દાવો કોંગ્રેસના નેતાએ કર્યો છે,ભાજપે સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ છે.

જૂનાગઢમાં 44.32 ટકા મતદાન નોંધાયું હતું

જૂનાગઢ મહાનગરપાલિકાની 2025ની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. 44.32 ટકા મતદાન નોંધાયું હતું. કુલ 60 બેઠકો પૈકી 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે બાકીની 52 બેઠકો માટે 165 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. આજે સવારે 9 કલાકથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે શરૂ થઈ છે. જેમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઈવીએમના મતની ગણતરી હાથ ધરાશે.

મતગણતરી વ્યવસ્થા અંતર્ગત 13 વોર્ડને ચાર બ્લોકમાં વિભાજિત કરવામાં આવ્યા છે

44 ટેબલ પર 136થી વધુ કર્મચારીઓ મતગણતરીની કામગીરી સંભાળશે. મતગણતરી કુલ 14 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0