Jamnagarમાં વધુ એક ખૂની ખેલ ખેલાયો, પ્રેમ સબંધ હત્યાનું કારણ બન્યો

આરોપીએ વીજસુરને પતાવી દેવાના ઈરાદે ખૂની ખેલ ખેલ્યો યુવતીના ભાઈએ યુવાનનું ઢીમ ઢાળી દીધું હોવાનું જાહેર થયું જામનગરમાં એક માસમાં હત્યાનો ચોથો બનાવ બન્યો છે જામનગરમાં વધુ એક ખૂની ખેલ ખેલાયો છે. હાપા રેલવે વિસ્તારમાં રહેતા એક યુવાન મિત્રો સાથે પાનની દુકાને ઉભો હતો ત્યારે છરી સાથે આવેલ એક શખ્સે એક જીવલેણ ઘા મારી યુવાનને પતાવી દઈ નાશી છૂટ્યો હતો. મૃતક યુવાનને આરોપીની બહેન સાથેના પ્રેમ સબંધ હત્યાનું કારણ બન્યા હોવાનું સામે આવ્યું છે. યુવતીના લગ્ન થઇ ગયા બાદ અને સમાધાન થયા બાદ પણ મૃતકે યુવતી સાથે સબંધ રાખતા ઉશ્કેરાયેલ યુવતીના ભાઈએ યુવાનનું ઢીમ ઢાળી દીધું હોવાનું જાહેર થયું છે. જામનગરમાં એક માસમાં હત્યાનો ચોથો બનાવ બન્યો છે જામનગરમાં એક માસમાં હત્યાનો ચોથો બનાવ બન્યો છે. જામનગરના હાપા ખારી વિસ્તારમાં રહેતા વાલસુર ધનરાજભાઇ ઉર્ફે ધાધાભાઇ વીરના યુવાનભાઈ વિજસુર બાવરી વાસમાં રહેતા આરોપી સુનિલ ચેતનભાઇ ડાભીની બહેન નયના સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. પ્રેમ સબંધની પરિવારને જાણ થતા યુવતી નયનાના તેની જ જ્ઞાતિના યુવાન સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા. જોકે લગ્ન થયા બાદ પણ યુવતી અને યુવક વીજસુરે સબંધ ચાલુ રાખ્યા હતા અને યુવતી અને યુવક નિયમિત ફોન પર વાત કરતા હતા. આ સબંધની જાણ નયનાના સસરા પક્ષમાં થઇ જતા પરિવારમાં ઝગડાઓ શરૂ થયા હતા. આ બાબતને સમાજ લેવલે લઇ જઈ વીજસુરને પોતાની જ્ઞાતિ લેવલે આરોપી સુનિલના પરીવાર સાથે સમાધાન થયા હતા. આરોપીએ વીજસુરને પતાવી દેવાના ઈરાદે ખૂની ખેલ ખેલ્યો આ સમાધાન થયા હોવા છતા આરોપી સુનિલ ચેતનભાઇ ડાભીના મગજમાંથી વીજસુર અને બહેનના સંબંધો જતા ન હતા. આખરે એ પ્રેમ સબંધનો અંત લઈ આવવા આરોપીએ વીજસુરને પતાવી દેવાના ઈરાદે ખૂની ખેલ ખેલ્યો હતો. જેમાં વીજસુર તેના મિત્રો સાથે હાપા ખારી બાવરીવાસ લાલુભાઇની દુકાન પાસે ઉભો હતો ત્યારે આરોપી સુનિલ ડાભી ત્યાં છરી લઇને ધસી ગયો હતો અને વીજસુર કંઈ વિચારે તે પૂર્વે જ આરોપીએ વીજસુરને જમણા પડખાના ભાગે છરીનો એક ઘા મારી દીધો હતો. આ એક ઘાથી યુવાનના શરીરમાંથી લોહીના ફુવારા વછૂટ્યા હતા અને ત્યાં જ ઢળી પડ્યો હતો. આ બનાવના પગલે આરોપી નાશી છૂટ્યો હતો. દરમિયાન ગંભીર હાલતમાં યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ વાલસુરે આરોપી સુનીલ સામે ભાઈની હત્યા નીપજાવવા સબંધે પંચકોશી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસી તાત્કાલિક નાકાબંધી કરી આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

Jamnagarમાં વધુ એક ખૂની ખેલ ખેલાયો, પ્રેમ સબંધ હત્યાનું કારણ બન્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોપીએ વીજસુરને પતાવી દેવાના ઈરાદે ખૂની ખેલ ખેલ્યો
  • યુવતીના ભાઈએ યુવાનનું ઢીમ ઢાળી દીધું હોવાનું જાહેર થયું
  • જામનગરમાં એક માસમાં હત્યાનો ચોથો બનાવ બન્યો છે

જામનગરમાં વધુ એક ખૂની ખેલ ખેલાયો છે. હાપા રેલવે વિસ્તારમાં રહેતા એક યુવાન મિત્રો સાથે પાનની દુકાને ઉભો હતો ત્યારે છરી સાથે આવેલ એક શખ્સે એક જીવલેણ ઘા મારી યુવાનને પતાવી દઈ નાશી છૂટ્યો હતો. મૃતક યુવાનને આરોપીની બહેન સાથેના પ્રેમ સબંધ હત્યાનું કારણ બન્યા હોવાનું સામે આવ્યું છે. યુવતીના લગ્ન થઇ ગયા બાદ અને સમાધાન થયા બાદ પણ મૃતકે યુવતી સાથે સબંધ રાખતા ઉશ્કેરાયેલ યુવતીના ભાઈએ યુવાનનું ઢીમ ઢાળી દીધું હોવાનું જાહેર થયું છે.

જામનગરમાં એક માસમાં હત્યાનો ચોથો બનાવ બન્યો છે

જામનગરમાં એક માસમાં હત્યાનો ચોથો બનાવ બન્યો છે. જામનગરના હાપા ખારી વિસ્તારમાં રહેતા વાલસુર ધનરાજભાઇ ઉર્ફે ધાધાભાઇ વીરના યુવાનભાઈ વિજસુર બાવરી વાસમાં રહેતા આરોપી સુનિલ ચેતનભાઇ ડાભીની બહેન નયના સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. પ્રેમ સબંધની પરિવારને જાણ થતા યુવતી નયનાના તેની જ જ્ઞાતિના યુવાન સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા. જોકે લગ્ન થયા બાદ પણ યુવતી અને યુવક વીજસુરે સબંધ ચાલુ રાખ્યા હતા અને યુવતી અને યુવક નિયમિત ફોન પર વાત કરતા હતા. આ સબંધની જાણ નયનાના સસરા પક્ષમાં થઇ જતા પરિવારમાં ઝગડાઓ શરૂ થયા હતા. આ બાબતને સમાજ લેવલે લઇ જઈ વીજસુરને પોતાની જ્ઞાતિ લેવલે આરોપી સુનિલના પરીવાર સાથે સમાધાન થયા હતા.

આરોપીએ વીજસુરને પતાવી દેવાના ઈરાદે ખૂની ખેલ ખેલ્યો

આ સમાધાન થયા હોવા છતા આરોપી સુનિલ ચેતનભાઇ ડાભીના મગજમાંથી વીજસુર અને બહેનના સંબંધો જતા ન હતા. આખરે એ પ્રેમ સબંધનો અંત લઈ આવવા આરોપીએ વીજસુરને પતાવી દેવાના ઈરાદે ખૂની ખેલ ખેલ્યો હતો. જેમાં વીજસુર તેના મિત્રો સાથે હાપા ખારી બાવરીવાસ લાલુભાઇની દુકાન પાસે ઉભો હતો ત્યારે આરોપી સુનિલ ડાભી ત્યાં છરી લઇને ધસી ગયો હતો અને વીજસુર કંઈ વિચારે તે પૂર્વે જ આરોપીએ વીજસુરને જમણા પડખાના ભાગે છરીનો એક ઘા મારી દીધો હતો. આ એક ઘાથી યુવાનના શરીરમાંથી લોહીના ફુવારા વછૂટ્યા હતા અને ત્યાં જ ઢળી પડ્યો હતો. આ બનાવના પગલે આરોપી નાશી છૂટ્યો હતો. દરમિયાન ગંભીર હાલતમાં યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ વાલસુરે આરોપી સુનીલ સામે ભાઈની હત્યા નીપજાવવા સબંધે પંચકોશી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસી તાત્કાલિક નાકાબંધી કરી આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.