Gujarat: આ ત્રણ કારણોથી રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાનું આગમન મોડુ થઈ શકે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેશમાં જૂન મહિનાથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ રાજ્યમાં હજુ સુધી નૈઋત્યના ચોમાસાએ દસ્તક દીધી નથી.કારણ કે નૈઋત્યનું ચોમાસુ મહારાષ્ટ્રમાં જ ફસાઈ ગયુ છે. સામાન્ય રીતે જૂન મહિનાની શરુઆતથી જ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવીટીની શરુઆત થતી હો છે અને પહેલા અઠવાડિયા બાદ નૈઋત્યના ચોમાસાનું આગમન થતુ હોય છે. જો કે ચાલુ વર્ષે ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે.જેના કારણે ખેડૂતોને વાવણી લાયક વરસાદ માટે રાહ જોવી પડશે.હવામાન નિષ્ણાંતના મત મૂજબ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાનું આગમન મોડુ થશે.
22 જૂન આસપાસ સંપૂર્ણ ચોમાસુ બેસે તેવી શક્યતાઓ
ચોમાસાના આગમનને અનુરૂપ પરિસ્થિત ન હોવાના કારણે ગુજરાતમાં 20-22 જૂન આસપાસ સંપૂર્ણ ચોમાસુ બેસે તેવી શક્યતાઓ છે.ગુજરાતમાં ચોમાસાના વિલંબ પાછળ મુખ્ય 3 કારણો જવાબદાર છે. જેમાં સૌથી પહેલા મે મહિનામાં ગુજરાતમાં પડેલા માવઠા ,ત્યારબાદ મે મહિનામાં જ બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ 3 પરિસ્થિતિઓના કારણે નૈઋત્યનુ ચોમાસાને આગળ વધવા માટે જરૂરી ભેજ મળી શકતો નથી.ચિંતાનો વિષય એ છે કે બંગાળની ખાડીમાં ઉદભવેલી સિસ્ટમને કારણે બંગાળની ખાડીના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
ગુજરાતમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધશે
નિષ્ણાંતનું માનીએ તો આગામી 5-7 દિવસ દરમ્યાન ગુજરાતમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધશે જેના કારણે કેટલાક તાલુકાઓમાં છુટોછવાયો વરસાદ વરસશે. પરંતુ વિધિવત ચોમાસાનુ આગમન 20-22 જૂન પછી જ થશે.કેરળમાં ચોમાસાના વહેલા આગમન બાદ રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાના વહેલા આગમનની આગાહી કરી હતી..જો કે નૈઋત્યના ચોમાસાને આગળ વધવા માટે સાનૂકૂળ પરિસ્થિતિનું સર્જન ન થતા નૈઋત્યનું ચોમાસુ મહારાષ્ટ્રથી આગળ વઘી શક્યુ નથી..જેના કારણે રાજ્યના ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે.
What's Your Reaction?






