Gujarat Rain: આગામી ટૂંક સમયમા ચોમાસું લેશે વિદાય, રાજયના હવામાન વિભાગનું અનુમાન

રાજયના હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આગામી સમયમાં ચોમાસું વિદાય લે શે અને વરસાદ પડવાની શકયતા નહિવત દેખાઈ રહી છે.રાજયમાં તાપ-ઉકળાટનું પ્રમાણ રહેશે સાથે સાથે કેટલાક ભાગમાં તાપમાન 35 ડિગ્રી સુધી જઈ શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.અમદાવાદ અને ગાંધીનગરમાં ઉકળાટ અનુભવાશે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. ગુજરાતમાં સિઝનનો 137 ટકા વરસાદ ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતાં અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી સરેરાશ 47.44 ઇંચ સાથે સિઝનનો 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ વર્ષ 2019માં 49.95 ઇંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો. આ જગ્યાએ છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.સુરત,વલસાડ,નવસારીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.આવાનારા દિવસોમાં ચોમાસું વિદાય લેશે તેમજ અમદાવાદમાં એક સપ્તાહમાં 33થી 35 ડિગ્રી સુધી ગરમી પડવાની સંભાવના દેખાઈ રહી છે.રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શકયતા નહિવત દેખાઈ રહી છે,હાલ ભેજવાળું વાતાવરણ હોવાથી ગરમી પડી શકે છે. સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે. શરદપૂનમ સુધી વરસાદ રહેવાની શકયતા : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે.ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શકયતા છે જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શકયતા છે.10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમા વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ રાજયમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

Gujarat Rain: આગામી ટૂંક સમયમા ચોમાસું લેશે વિદાય, રાજયના હવામાન વિભાગનું અનુમાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજયના હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આગામી સમયમાં ચોમાસું વિદાય લે શે અને વરસાદ પડવાની શકયતા નહિવત દેખાઈ રહી છે.રાજયમાં તાપ-ઉકળાટનું પ્રમાણ રહેશે સાથે સાથે કેટલાક ભાગમાં તાપમાન 35 ડિગ્રી સુધી જઈ શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.અમદાવાદ અને ગાંધીનગરમાં ઉકળાટ અનુભવાશે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

ગુજરાતમાં સિઝનનો 137 ટકા વરસાદ

ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતાં અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી સરેરાશ 47.44 ઇંચ સાથે સિઝનનો 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ વર્ષ 2019માં 49.95 ઇંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો.

આ જગ્યાએ છૂટાછવાયા વરસાદની આગાહી

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.સુરત,વલસાડ,નવસારીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.આવાનારા દિવસોમાં ચોમાસું વિદાય લેશે તેમજ અમદાવાદમાં એક સપ્તાહમાં 33થી 35 ડિગ્રી સુધી ગરમી પડવાની સંભાવના દેખાઈ રહી છે.રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શકયતા નહિવત દેખાઈ રહી છે,હાલ ભેજવાળું વાતાવરણ હોવાથી ગરમી પડી શકે છે.

સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે.

શરદપૂનમ સુધી વરસાદ રહેવાની શકયતા : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે.ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શકયતા છે જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શકયતા છે.10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમા વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ રાજયમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.