Gujarat Palika Election 2025 : અમદાવાદના ઘાટલોડિયામાં BJPના ઉમેદવારે કર્યુ મતદાન

Feb 16, 2025 - 13:30
Gujarat Palika Election 2025 : અમદાવાદના ઘાટલોડિયામાં BJPના ઉમેદવારે કર્યુ મતદાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ઘાટલોડિયામાં ભાજપ ઉમેદવાર પ્રવીણ પટેલે મતદાન કર્યું છે,સાથે સાથે ડેપ્યુટી મેયર જતીન પટેલે પણ મતદાન કર્યુ છે,ભાજપના ઉમેદવાર પ્રવીણ પટેલે કહ્યું કે,કોંગ્રેસેના ઉમેદવાર પણ સ્થાનિક નથી તો જનતા અમને વોટ આપી જીતાડશે અને ઘાટલોડિયામાં પહેલેથી જ તમામ વિકાસના કાર્યો થયેલા છે સાથે સાથે કોર્પોરેટર બન્યા બાદ સ્થાનિકોની જરૂરિયાત પ્રાથમિકતા રહેશે

વિદેશમાં સ્થાયી થયેલા કોર્પોરેટરે રાજીનામું આપ્યું હતું

ઘાટલોડિયા વિધાનસભામાં આવતી ઘાટલોડિયા વોર્ડમાં વર્ષ 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પેનલમાં ચારેય ઉમેદવાર ભાજપના ચૂંટાયા હતા. વર્ષ 2024માં ભાજપના કોર્પોરેટર મનોજ પટેલ પોતે વિદેશમાં સ્થાયી થયા હોવાના કારણે તેઓએ કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દીધું હતું. જેના કારણે કોર્પોરેટર પદ ખાલી પડ્યું હતું. જે બાદ પેટા ચૂંટણી યોજાય છે. આગામી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજવાની છે, ત્યારે હવે એક વર્ષ માટે નવા કોર્પોરેટર ઘાટલોડિયા વોર્ડમાં ચૂંટાશે.

મતદાન કરવું આપણી નૈતિક ફરજઃ પ્રવિણ પટેલ

ભાજપના ઉમેદવાર પ્રવિણ અંબાલાલભાઈ પટેલે જણાવ્યું હતું કે, મતદાનનો દિવસ લોકતંત્રમાં ખૂબ જ અગત્યનો દિવસ હોય છે. મતદાન કરવું આપણી નૈતિક ફરજ છે. ઘાટલોડિયાની જનતા ભાજપને મત આપી અને વિકાસની વિચારધારા સાથે જોડાઈને વિજય બનાવશે. ઘાટલોડિયામાં નાગરિકોની તમામ પ્રાથમિક સુવિધાઓને સુચારુરૂપે પૂર્ણ કરવામાં આવી છે. જો કોઈ અન્ય બાબતે ધ્યાન આવશે તો પણ ચોક્કસથી અમે આ બાબતે તેને પૂર્ણ કરીશું.

કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર

એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું છે,મતદાન,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10168 ઉમેદવાર મેદાને,પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે,કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,203માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર,કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ,ભાજપના 195માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ,કુલ 4033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન છે,જેમાં 836 સંવેદનશીલ, 153 અતિસંવેદનશીલ મથકો,કાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે,18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0