Gujarat News: બનાસકાંઠાના બે ભાગ, આ છે ખરી Inside Story

Jan 1, 2025 - 13:00
Gujarat News: બનાસકાંઠાના બે ભાગ, આ છે ખરી Inside Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ શકે છે અને ગુજરાતને વધુ એક જિલ્લો મળી શકે છે આવી માહિતી સૂત્રો તરફથી મળી છે બીજી તરફ આજે સરકારની કેબિનેટની બેઠક હતી તેમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી છે,તો કેબિનેટની બેઠકમાં પણ બનાસકાંઠા જિલ્લાને લઈ ગ્રીન ઝંડી મળી ગઈ છે,મહત્વનું છે કે 26 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી કક્ષાએથી આ જાહેરાત થઈ શકે છે.

જાણો બનાસકાંઠા જિલ્લાને લઈ માહિતી

બનાસકાંઠા જિલ્લો ભારત દેશ ના ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લોમાં એક છે. આ જિલ્લાનુ વહીવટી તંત્ર નુ હેડક્વાર્ટર પાલનપુર છે જે ગુજરાતનુ મોટુ શહેર છે. બનાસકાંઠા જિલ્લો પશ્વિમમાં ૨૩.૩૩ થી ૨૪.૪૫ અક્ષાંસ અને પુર્વ માં ૭૨.૧૫ થી ૭૩.૮૭ આવેલો છે. બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજ્યની ઉત્તર-પુર્વે આવેલો છે. માઉંટ આબુ અને અરવ્લ્લી ની ગીરીમાળાની ખીણ માંથી પસાર થતી બનાસ નદીના નામ પરથી આ જિલ્લાને નામ રાખવામાં આવેલુ છે.

મુખ્યમંત્રીના અધ્ક્ષસ્થાને સ્ટીયરીંગ કમિટીની બેઠક

વર્ષ 2025ના વર્ષમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે તેવી માહિતી પણ સૂત્રો તરફથી મળી રહી છે સાથે સાથે બંધારણના 75 વર્ષ માટે ઉજવણી કરવામાં આવશે જેને લઈ આજે કમિટીની પહેલી બેઠક મળશે અને સરકારના મંત્રીઓ અને કમિટીના સભ્યો જોડાશે અને નિર્ણય લેવામાં આવશે.

ગુજરાતમાં હાલમાં 33 જિલ્લાઓ

ગુજરાત રાજ્યમાં ૩૩ જિલ્લાઓ આવેલા છે. વિસ્તારમાં કચ્છ સૌથી મોટો અને ડાંગ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે.

બનાસકાંઠા સૌથી મોટો જિલ્લો છે : સાંસદ ગેનીબેન ઠાકોર

સાંસદ ગેનીબેન ઠાકોર સાથે થયેલી વાત મૂજબ વાત કરીએ તો તેમનું કહેવું છે,થરાદને વડુ મથક બનાવી શકે છે સાથે સાથે આ માગ સ્થાનિકોએ અગાઉ પણ સરકારમાં કરી હતી,વાવ-થરાદ નવો જિલ્લો બને તેવી માગ કરવામા આવી હતી.નવા જિલ્લામાં 5-6 તાલુકાઓનો સમાવેશ કરી શકાશે,તો દિયોદરને વડુ મથક બનાવવા પણ માગ કરાઈ છે.દાતા, પાલનપુર ,વડગામ, ડીસા, દાંતીવાડા ,અમીરગઢ,આટલા તાલુકા મુળ બનાસકાંઠામાં રહેશે અને ગયા ફેબ્રુઆરીમાં બજેટમાં જાહેરાત કરેલી છે.નવા જિલ્લાના તાલુકામાં વાવ, થરાદ, દિયોદર, ભાભર, કાંકરેજ તાલુકો બની શકે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0