Gujarat BJP સંગઠન પર્વને લઇ યોજાઈ મહત્વની બેઠક, સી.આર.પાટીલ રહ્યાં હાજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત ભાજપ સંગઠન પર્વને લઈ ભાજપની મહત્વની બેઠક ગાંધીનગરના કમલમ ખાતે યોજાઈ છે,આ બેઠકમાં 33 જિલ્લા પ્રમુખની નિયુક્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને 9 મનપા પ્રમુખની નિયુક્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે સાથે સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ રહી છે,આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ડો.રાધા.મોહન અગ્રવાલ હાજર રહ્યાં છે.સાથે સાથે તાલુકા, જિલ્લા પ્રમુખ, સાંસદ સભ્યોની પણ હાજરી છે.
શહેર ભાજપની નિયુક્તિ અંગેની રૂપરેખા માટે બેઠક
ભાજપ સંગઠન પર્વ લઇને પ્રદેશ ભાજપ ખાતે મહત્વની બેઠક ચાલી રહી છે જેમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ દોર પહેલા આ મહત્વની બેઠક છે.ધારાસભ્યો તાલુકા અને જિલ્લાના પ્રમુખો અને સાંસદ સભ્યો પણ બેઠકમાં હાજર છે,580 મંડળ પ્રમુખોની નિયુક્તિ થઈ પૂર્ણ હવે જિલ્લા પ્રમુખોની નિયુક્તિ રૂપરેખા માટે બેઠક યોજાશે, છેલ્લા ઘણા દિવસથી પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ જિલ્લાઓના તાલુકા પ્રમુખ તેમજ નગરપાલિકાના શહેર પ્રમુખની નિયુક્તિનો દોર ચાલી રહ્યો છે.
355 મંડળ પ્રમુખોની નિયુક્તિ થઈ ચૂકી
મધ્ય ગુજરાતના પંચમહાલ, સુરત, છોટાઉદેપુર, દાહોદ તો દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના તાલુકા નવસારી, સુરત શહેરના વોર્ડ પ્રમુખો, વલસાડ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા તો સૌરાષ્ટ્રમાં આવતા અમરેલી, ભાવનગર, જામનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, ગીર સોમનાથ, મોરબી તેમજ કચ્છ અને અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ તાલુકાઓ, મંડળ પ્રમુખો તેમજ નગર પ્રમુખોની નિયુક્તિ સાથે અંદાજે 580 મંડળ પ્રમુખોમાંથી 355 મંડળ પ્રમુખોની નિયુક્તિ થઈ ચૂકી છે.
નવા સંગઠનને લઈ બેઠક તેજ
ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે. કમલમ ખાતે અગાઉ પણ ભાજપની મહત્વની બેઠક મળી હતી. સંગઠન સંરચનાને લઈને પ્રદેશ કાર્યશાળા બોલાવવામાં આવી હતી. મંડળ અને જિલ્લા સ્તરની સંગઠન રચનાને બેઠકમાં ચર્ચા થઈ હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરી પણ હતી.ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પદ છોડવાના સંકેત તેમણે વાવ પેટાચૂંટણીના પરિણામ બાદ આપ્યા હતા.
દિલ્હીથી BJPના નિરીક્ષકો આવશે
કમુરતા પછી દિલ્હીથી BJPના નિરીક્ષકો આવશે અને અહીયા ધારાસભ્યો તેમજ અન્ય સંગઠનના લોકો સાથે બેઠક કરશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે,કમુરતા બાદ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ નિરીક્ષકો આવશે અને વોર્ડ તેમજ મંડળના પ્રમુખોની વરણીની પ્રક્રિયા શરૂ થવાની શકયતાઓ સેવાઈ રહી છે.જાન્યુઆરી અંતમાં પાટીલને જવાબદારીમાં મુકિત મળશે તેવી લોક ચર્ચા નેતાઓના મુખે થઈ રહી છે.હાલમાં સી.આર.પાટીલના નેતૃત્વ હેઠળ કાર્યકર્તાઓ માર્ગદર્શન પ્રમાણે કામકાજ કરી રહ્યાં છે.
What's Your Reaction?






