Gujarat: 22 વર્ષમાં ધો.1ના વિદ્યાર્થીઓનો નામાંકન દર 100 ટકાની નજીક પહોંચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની જ્વલંત સફળતાના પરિણામે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી છે.શાળા પ્રવેશોત્સવ શરૂ થયો તે પહેલા વર્ષ 2003-04માં ગુજરાતમાં નેટ એનરોલ્મેન્ટ રેટ એટલે કે, ધોરણ-૧માં વિદ્યાર્થીઓનો નામાંકન દર 75 ટકા હતો.ધોરણ-1માં વિદ્યાર્થીઓના નામાંકન દરને 100 ટકા સુધી પહોંચાડવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.જેના પરિણામે બીજા જ વર્ષે 2004-05માં નામાંકન દર વધીને 95 ટકા સુધી પહોંચ્યો હતો.ત્યારથી છેલ્લા 22 વર્ષ દરમિયાન ધોરણ-1માં વિદ્યાર્થીઓનો નામાંકન દર 99 ટકાથી વધુ જ રહ્યો છે.
રાજ્ય સરકારે બાલવાટિકા શરૂ કરી
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણના ભાગરૂપે રાજ્ય સરકારે બાલવાટિકા શરૂ કરી છે. રાજ્ય સરકારે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ સાથે આરોગ્ય વિભાગના બાળકોના રસીકરણ ડેટાને જોડવાની પહેલ કરીને યોગ્ય ઉમર ધરાવતા બાળકોને ઓળખી તેમને પ્રવેશ આપવાનો નવીન અભિગમ અપનાવ્યો છે. પ્રવેશપાત્ર દરેક બાળકનો ડેટા તેમના માતા-પિતાના સંપર્ક નંબર સાથે શાળાઓને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે તે વિસ્તારની શાળા અ યોગ્યતા ધરાવતા બાળકોનો શાળા પ્રવેશ સુનિશ્ચિત કરે છે.
કન્યા કેળવણી મહોત્સવ યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આગામી તા. 26,27,28 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે.આ પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં રાજ્યભરના આશરે 8.73 લાખથી વધુ નાના ભૂલકાઓને પ્રવેશ અપાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.રાજ્ય સરકારના આ તમામ પ્રયાસોના પરિણામે રાજ્યમાં નામાંકન દરમાં વધારો અને ડ્રોપ-આઉટ રેશિયોમાં વધુ ઘટાડો આવશે.આ સફળતા પછી ધોરણ 8 થી 9નો ડ્રોપઆઉટ રેટ ઘટાડવો પણ અત્યંત આવશ્યક હતો.
વિદ્યાર્થીઓનો પ્રવેશ સુનિશ્ચિત કરવાનું રાજ્ય સરકારનું આયોજન
રાજ્ય સરકાર ધોરણ-8ના તમામ બાળકો ધોરણ-9માં પ્રવેશ મેળવે તેમજ ધોરણ-૧૦ના તમામ બાળકો ધોરણ-11માં પ્રવેશ મેળવે તે માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી તેમનું સઘન મેપિંગ કરવામાં આવે છે.આવા તમામ વિદ્યાર્થીઓને નજીકની સરકારી કે અનુદાનિત માધ્યમિક શાળામાં પ્રવેશ અપાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. આ વર્ષે ધોરણ-8 થી ધોરણ-9માં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા 10.56 લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ-10થી ધોરણ-11માં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા 6.50 લાખથી વધુ વિદ્યાર્થીઓનો પ્રવેશ સુનિશ્ચિત કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
What's Your Reaction?






