Gujaratમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે ગાળિયો કસાશે,સરકાર લાવી શકે છે નવો કાયદો

બેનામી સંપત્તિ જપ્ત કરવા સુધીની કાયદામાં જોગવાઈ આવી શકે છે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને આ સંદર્ભે બેઠક યોજાશે નિષ્ણાતોને ધ્યાનમાં લઈને આખરી ઓપ આપવા કવાયત રાજયમાં પકડાઈ રહેલા ભ્રષ્ટ અધિકારીઓ અને બેનામી સંપત્તિઓ પકડાતા સરકાર નવો કાયદો લાવી શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.ભ્રષ્ટ અધિકારીઓ પકડાય તો તેમની બેનામી સંપત્તિ જપ્ત કરવા સુધીમાં કાયદામાં જોગવાઈ આવી શકે છે જેને લઈ આજે મુખ્યમંત્રી નિવાસ્થાને બેઠક પણ યોજાશે જેમાં ગૃહ વિભાગ અને કાયદા વિભાગના અધિકારીઓ હાજર રહે તેવી શકયતા છે.ભ્રષ્ટાચારને લઈ સરકાર એકશન મોડમાં રાજકોટમાં અગ્નિકાંડ અને અમદાવાદમાં ભ્રષ્ટ અધિકારીઓના દાખલા સામે આવ્યા બાદ સરકાર એલર્ટ મોર્ડ પર છે,હવે સરકારને વિચાર આવ્યો છે કે,ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ સામે નવો કાયદો લાવીએ જેને લઈ આજે ચર્ચા વિચારણા કરવામાં આવશે સાથે સાથે કાયદાકીય નિષ્ણાતોને ધ્યાનમાં લઈને કાયદાને આખરી ઓપ આપવાની કવાયત હાથ ધરાશે,જેમાં મુખ્યમંત્રીથી લઈ ઉચ્ચકક્ષાના અધિકારીઓ જોડાશે અને વિચારણા કરશે. અધિકારીઓ સામે લેવાઈ શકે છે પગલા ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.

Gujaratમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે ગાળિયો કસાશે,સરકાર લાવી શકે છે નવો કાયદો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બેનામી સંપત્તિ જપ્ત કરવા સુધીની કાયદામાં જોગવાઈ આવી શકે છે
  • આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને આ સંદર્ભે બેઠક યોજાશે
  • નિષ્ણાતોને ધ્યાનમાં લઈને આખરી ઓપ આપવા કવાયત

રાજયમાં પકડાઈ રહેલા ભ્રષ્ટ અધિકારીઓ અને બેનામી સંપત્તિઓ પકડાતા સરકાર નવો કાયદો લાવી શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.ભ્રષ્ટ અધિકારીઓ પકડાય તો તેમની બેનામી સંપત્તિ જપ્ત કરવા સુધીમાં કાયદામાં જોગવાઈ આવી શકે છે જેને લઈ આજે મુખ્યમંત્રી નિવાસ્થાને બેઠક પણ યોજાશે જેમાં ગૃહ વિભાગ અને કાયદા વિભાગના અધિકારીઓ હાજર રહે તેવી શકયતા છે.

ભ્રષ્ટાચારને લઈ સરકાર એકશન મોડમાં

રાજકોટમાં અગ્નિકાંડ અને અમદાવાદમાં ભ્રષ્ટ અધિકારીઓના દાખલા સામે આવ્યા બાદ સરકાર એલર્ટ મોર્ડ પર છે,હવે સરકારને વિચાર આવ્યો છે કે,ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ સામે નવો કાયદો લાવીએ જેને લઈ આજે ચર્ચા વિચારણા કરવામાં આવશે સાથે સાથે કાયદાકીય નિષ્ણાતોને ધ્યાનમાં લઈને કાયદાને આખરી ઓપ આપવાની કવાયત હાથ ધરાશે,જેમાં મુખ્યમંત્રીથી લઈ ઉચ્ચકક્ષાના અધિકારીઓ જોડાશે અને વિચારણા કરશે.

અધિકારીઓ સામે લેવાઈ શકે છે પગલા

ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.