Gujaratમાં નવા ત્રણ જિલ્લાઓ થઈ શકે છે જાહેર, સરકાર લેશે મોટો નિર્ણય

ગુજરાતમાં ત્રણ નવા જિલ્લાઓ સરકાર જાહેર કરી શકે છે.હાલમાં નવા 3 જિલ્લાઓ પુનઃ રચના માટે સરકારી લેવલે વિચારણા ચાલી રહી છે.આ ત્રણ જિલ્લાઓની વાત કરવામાં આવે તો રાધનપુર અથવા થરાદની નવા જિલ્લાની પુનઃ રચના થઇ શકે છે,વિરમગામ જિલ્લાની પુનઃ રચના થઈ શકે છે,વડનગર પણ નવો જિલ્લો બની શકે છે.ત્યારે સરકાર આ બાબતને લઈ ટૂંક સમયમાં નિર્ણય કરશે. હાલ ગુજરાતમાં 33 જિલ્લાઓ છે ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે અને આ 33 જિલ્લાઓમાંથી અન્ય 3 નવા જિલ્લાઓની નાગરિકોને ભેટ મળી શકે છે.રાજયમાં 36 જિલ્લાઓ અસ્તિત્વમાં આવી શકે છે.વર્ષ 2013મા રાજય સરકારે 7 જિલ્લાઓ જાહેર કર્યા હતા.મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના કેટલાક ભાગો ઉમેરીને વડનગર નવો જિલ્લો બની શકે છે.અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ જિલ્લાની પુનઃ રચના થઈ શકે છે.વધતી જતી વસ્તીને લઈ સરકાર નિર્ણય લઈ શકે છે. રાજ્યમાં નવા ત્રણ જિલ્લાઓ થઈ શકે છે જાહેર ગુજરાતમાં નવા ત્રણ જિલ્લાઓ જાહેર થઈ શકે છે,હાલ ગુજરાતમાં 33 જિલ્લાઓ છે અને તેમાંથી વધીને 36 જિલ્લાઓ થઈ શકે છે,વર્ષ 2013 પછી નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા નથી પરંતુ જે રીતે વસ્તી વધે છે તેને લઈ આ જિલ્લાઓની ફાળવણી થઈ શકે છે.બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી થરાદ જિલ્લાનું પણ અસ્તિત્વ આવી શકે છે.બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના કેટલાક હિસ્સામાંથી રાધનપુર નવો જિલ્લો બની શકે છે. દિવાળી બાદ લેવાઈ શકે છે નિર્ણય સરકાર દિવાળી બાદ આ નિર્ણય લઈ શકે છે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. ગુજરાત સરકારે નવા જિલ્લાના સીમાંકનની કાર્યવાહી વિસ્તાર અને હદને લઈ હાલ કામગીરી ચાલી રહી છે.કયા વિસ્તારમાંથી નવો જિલ્લો બની શકે તેની વાત કરીએ તો વડનગર-મહેસાણાનો વડનગર, ખેરાળુ, ઊંઝા, વિસનગર, સતલાસણા તાલુકા અને બનાસકાંઠાનો વડગામ તાલુકો વિરમગામ-અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, દેત્રોજ, તેમજ સુરેન્દ્રનગરના દસાડા તાલુકો રાધનપુર અથવા થરાદ- બનાસકાંઠાના રાધનપુર, વાવ, સૂઈગામ, લાખણી તાલુકા તેમજ પાટણનો સાંતલપુર તથા કચ્છનો રાપર તાલુકો.  

Gujaratમાં નવા ત્રણ જિલ્લાઓ થઈ શકે છે જાહેર, સરકાર લેશે મોટો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ત્રણ નવા જિલ્લાઓ સરકાર જાહેર કરી શકે છે.હાલમાં નવા 3 જિલ્લાઓ પુનઃ રચના માટે સરકારી લેવલે વિચારણા ચાલી રહી છે.આ ત્રણ જિલ્લાઓની વાત કરવામાં આવે તો રાધનપુર અથવા થરાદની નવા જિલ્લાની પુનઃ રચના થઇ શકે છે,વિરમગામ જિલ્લાની પુનઃ રચના થઈ શકે છે,વડનગર પણ નવો જિલ્લો બની શકે છે.ત્યારે સરકાર આ બાબતને લઈ ટૂંક સમયમાં નિર્ણય કરશે.

હાલ ગુજરાતમાં 33 જિલ્લાઓ છે

ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે અને આ 33 જિલ્લાઓમાંથી અન્ય 3 નવા જિલ્લાઓની નાગરિકોને ભેટ મળી શકે છે.રાજયમાં 36 જિલ્લાઓ અસ્તિત્વમાં આવી શકે છે.વર્ષ 2013મા રાજય સરકારે 7 જિલ્લાઓ જાહેર કર્યા હતા.મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના કેટલાક ભાગો ઉમેરીને વડનગર નવો જિલ્લો બની શકે છે.અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ જિલ્લાની પુનઃ રચના થઈ શકે છે.વધતી જતી વસ્તીને લઈ સરકાર નિર્ણય લઈ શકે છે.

રાજ્યમાં નવા ત્રણ જિલ્લાઓ થઈ શકે છે જાહેર

ગુજરાતમાં નવા ત્રણ જિલ્લાઓ જાહેર થઈ શકે છે,હાલ ગુજરાતમાં 33 જિલ્લાઓ છે અને તેમાંથી વધીને 36 જિલ્લાઓ થઈ શકે છે,વર્ષ 2013 પછી નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા નથી પરંતુ જે રીતે વસ્તી વધે છે તેને લઈ આ જિલ્લાઓની ફાળવણી થઈ શકે છે.બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી થરાદ જિલ્લાનું પણ અસ્તિત્વ આવી શકે છે.બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના કેટલાક હિસ્સામાંથી રાધનપુર નવો જિલ્લો બની શકે છે.

દિવાળી બાદ લેવાઈ શકે છે નિર્ણય

સરકાર દિવાળી બાદ આ નિર્ણય લઈ શકે છે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. ગુજરાત સરકારે નવા જિલ્લાના સીમાંકનની કાર્યવાહી વિસ્તાર અને હદને લઈ હાલ કામગીરી ચાલી રહી છે.કયા વિસ્તારમાંથી નવો જિલ્લો બની શકે તેની વાત કરીએ તો વડનગર-મહેસાણાનો વડનગર, ખેરાળુ, ઊંઝા, વિસનગર, સતલાસણા તાલુકા અને બનાસકાંઠાનો વડગામ તાલુકો વિરમગામ-અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, દેત્રોજ, તેમજ સુરેન્દ્રનગરના દસાડા તાલુકો રાધનપુર અથવા થરાદ- બનાસકાંઠાના રાધનપુર, વાવ, સૂઈગામ, લાખણી તાલુકા તેમજ પાટણનો સાંતલપુર તથા કચ્છનો રાપર તાલુકો.