Government નોકરી ઇચ્છતા લોકો માઠા સમાચાર વેર હાઉસ નિગમની 144 જગ્યાઓ રદ
ગુજરાતમાં સરકારી નોકરી વાંછુક માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે વર્ગ 3 અને 4ની 144 જગ્યાઓ પર ભરતી રદ કરી. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આ આદેશ કરાયો. સરકારમાં નવી જગ્યાઓમાં ઉમેદવારોની ભરતી કરવાના બદલે હયાત જગ્યાઓ જ રદ કરવામાં આવી. સરકારી નોકરી મેળવવાની ઉમેદવારોની ઇચ્છા પર પાણી ફરી વળ્યું.કૃષિ વિભાગનો આદેશરાજ્યમાં મોટાભાગના યુવાનો ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ સરકારી નોકરી મેળવવાની તૈયારીમાં લાગી જાય છે. સરકારમાં સંરક્ષણ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, વીજ ક્ષેત્ર સહિતના વિવિધ ક્ષેત્રમાં ઉમેદવારોની ભરતી કરાતી હોય છે. જ્યારે આજે સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારોનો સપના રોળાઈ ગયા છે. કૃષિ વિભાગ દ્વારા પરિપત્ર જારી કરી ગુજરાત રાજ્ય વેર હાઉસ નિગમની 144 જગ્યા રદ કરવામાં આવી છે. રાજ્ય વેરહાઉસિંગ નિગમના વિવિધ પદો પર ભરતીને લઈને દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્ત પર વિચારણા કર્યા બાદ સહકાર વિભાગ, ખેડૂત કલ્યાણ અને કૃષિ વિભાગ દ્વારા પરિપત્ર જારી કરી વર્ગ 3 અને 4ની 144 જગ્યાઓ રદ કરવાનો આદેશ કર્યો.યુવાનોની વધી ચિંતાયુવાનો અત્યારે રોજગારને લઈને વધુ ગંભીર બન્યા છે. છેલ્લા કેટલાક સમયમાં યુવાનોમાં વિદેશ જવાનો ક્રેઝ જોવા મળ્યો હતો. પરંતુ કેનેડા સાથેના વિવાદ બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે. અને હાલમાં અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોની વતન વાપસી થઈ રહી છે. ત્યારે યુવાનો સારી કારર્કિદી માટે સરકારી નોકરીની તૈયારીમાં લાગી ગયા છે. એવા સમયમાં સરકારમાં જગ્યાઓ પર ભરતી કરવાને બદલે હયાત જગ્યાઓ રદ કરાતા સરકારી નોકરી વાંછુક ઉમેદવારોમાં ચિંતાનો મોજું ફરી વળ્યું છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં સરકારી નોકરી વાંછુક માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે વર્ગ 3 અને 4ની 144 જગ્યાઓ પર ભરતી રદ કરી. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આ આદેશ કરાયો. સરકારમાં નવી જગ્યાઓમાં ઉમેદવારોની ભરતી કરવાના બદલે હયાત જગ્યાઓ જ રદ કરવામાં આવી. સરકારી નોકરી મેળવવાની ઉમેદવારોની ઇચ્છા પર પાણી ફરી વળ્યું.
કૃષિ વિભાગનો આદેશ
રાજ્યમાં મોટાભાગના યુવાનો ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ સરકારી નોકરી મેળવવાની તૈયારીમાં લાગી જાય છે. સરકારમાં સંરક્ષણ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, વીજ ક્ષેત્ર સહિતના વિવિધ ક્ષેત્રમાં ઉમેદવારોની ભરતી કરાતી હોય છે. જ્યારે આજે સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારોનો સપના રોળાઈ ગયા છે. કૃષિ વિભાગ દ્વારા પરિપત્ર જારી કરી ગુજરાત રાજ્ય વેર હાઉસ નિગમની 144 જગ્યા રદ કરવામાં આવી છે. રાજ્ય વેરહાઉસિંગ નિગમના વિવિધ પદો પર ભરતીને લઈને દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્ત પર વિચારણા કર્યા બાદ સહકાર વિભાગ, ખેડૂત કલ્યાણ અને કૃષિ વિભાગ દ્વારા પરિપત્ર જારી કરી વર્ગ 3 અને 4ની 144 જગ્યાઓ રદ કરવાનો આદેશ કર્યો.
યુવાનોની વધી ચિંતા
યુવાનો અત્યારે રોજગારને લઈને વધુ ગંભીર બન્યા છે. છેલ્લા કેટલાક સમયમાં યુવાનોમાં વિદેશ જવાનો ક્રેઝ જોવા મળ્યો હતો. પરંતુ કેનેડા સાથેના વિવાદ બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે. અને હાલમાં અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોની વતન વાપસી થઈ રહી છે. ત્યારે યુવાનો સારી કારર્કિદી માટે સરકારી નોકરીની તૈયારીમાં લાગી ગયા છે. એવા સમયમાં સરકારમાં જગ્યાઓ પર ભરતી કરવાને બદલે હયાત જગ્યાઓ રદ કરાતા સરકારી નોકરી વાંછુક ઉમેદવારોમાં ચિંતાનો મોજું ફરી વળ્યું છે.