Gir Somnath: જામવાળાના મધ્ય ગીરમાં ધોધમાર વરસાદ, શિંગોડા ડેમ 86% ભરાતા બે દરવાજા ખોલવામાં આવ્યા

Aug 17, 2025 - 01:00
Gir Somnath: જામવાળાના મધ્ય ગીરમાં ધોધમાર વરસાદ, શિંગોડા ડેમ 86% ભરાતા બે દરવાજા ખોલવામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામવાળાના મધ્ય ગીર વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે આ વિસ્તારમાં આવેલો શિંગોડા ડેમ 86% ભરાઈ ગયો હતો. જેના કારણે ડેમની સપાટી જાળવી રાખવા માટે તેના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી પાણી છોડવામાં આવતા આસપાસના નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

શિંગોડા ડેમમાં 2 દરવાજા ખોલવામાં આવ્યા

મધ્ય ગીરના જામવાળા અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. આ વરસાદથી જળાશયોમાં પાણીની આવક વધી હતી. જેમાં ખાસ કરીને શિંગોડા ડેમની સપાટીમાં ઝડપથી વધારો થયો હતો. ડેમ 86% ભરાઈ જતા વહીવટી તંત્ર દ્વારા પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને પગલે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા.

નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા

જેથી ડેમમાં પાણીનો સંગ્રહ ક્ષમતા જળવાઈ રહે અને વધારાનું પાણી નદીમાં વહી શકે. આને કારણે શિંગોડા નદીમાં પાણીની સપાટી વધવાની શક્યતા છે. વહીવટી તંત્ર દ્વારા આસપાસના ગામો જેવા કે જામવાળા, શિંગોડા અને અન્ય નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. લોકોને નદીના પટમાં ન જવા અને પશુઓને પણ દૂર રાખવા માટે સૂચના આપવામાં આવી હતી. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0