Gandhinagar News: મોટા ઇસનપુરમાં પાણીની પારાયણ, પ્રશ્નો ન ઉકેલાતા ગ્રામજનોમાં રોષ

Jun 8, 2025 - 16:30
Gandhinagar News: મોટા ઇસનપુરમાં પાણીની પારાયણ, પ્રશ્નો ન ઉકેલાતા ગ્રામજનોમાં રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર તાલુકાના મોટા ઇસનપુર ગામમાં સતત ત્રણ વર્ષથી પાણીનો વણઉકેલ્યો પ્રશ્ન સ્થાનિકોને પરેશાન કરી રહ્યો છે. પ્રજાપતિ વાસ બ્રાહ્મણવાસના રહીશો પાણીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાળજાળ ગરમીમાં પાણીનું ટીપું ન મળતા સ્થાનિકો રોષમાં જોવા મળી રહ્યા છે. પંચાયતમાં રજૂઆતો કરી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. અને રહીશોની સમસ્યા જેમની તેમ રહે છે.

પાણી વગર ટળવળતા ગ્રામજનો

ગાંધીનગરના મોટા ઇસનપુરમાં પાણીની પારાયણ સર્જાઇ છે. કાળઝાળ ગરમીમાં પુરતુ પાણી ન મળતા ગ્રામજનો ટળવળી રહ્યા છે. ઇસનપુરના પ્રજાપતિ વાસ બ્રાહ્મણવાસમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યા સર્જાઇ છે. આ મુશ્કેલીના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વર્તમાન પંચાયત તેમજ ગત ટર્મની પંચાયત પણ રહીશોનો પ્રશ્ન ઉકેલી શકી નથી. પાણી જેવી પ્રાથમિક જરુરીયાત જો પ્રજાને ન મળી શકતી હોય તો શાસન કરનારાઓ સામે રોષ જોવા મળવો એ સામાન્ય વાત છે.

ક્યારે ઉકેલાશે પ્રશ્ન ?

ગાંધીનગરના મોટા ઇસનપુરમાં રહીશોની માગણીનો કોઈ જ ઉકેલ આવતો નથી. વર્તમાન તેમજ પૂર્વ સરપંચના સમયથી આ રજૂઆતો કરવામાં આવી રહી છે. પણ આ પ્રશ્નનું નિરાકરણ કોઈ જ લાવી શકતું નથી. રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મહિલાઓ પાણી માટે વલખાં મારી રહી છે. પાણી મેળવવા માટે મોટરો ચાલુ કરો તો જ થોડું ઘણું પાણી મળે છે. અને જો પાવર ના હોય તો પાણી વગર આખો દિવસ પસાર કરવો પડે છે. રાવળ વાસ. પ્રજાપતિ વાસ તેમજ બ્રાહ્મણવાસના લોકો પાણીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0