Dhandhuka: ધોલેરા પંથકમાં સંવત્સરી અને ગણેશ ચતુર્થીના ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવની રંગત

Aug 28, 2025 - 07:00
Dhandhuka: ધોલેરા પંથકમાં સંવત્સરી અને ગણેશ ચતુર્થીના ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવની રંગત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધંધૂકા શહેર તથા ગ્રામ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ધાર્મિક અને સાંસ્કૃતિક ઉજવણીઓનો માહોલ છવાયો છે. ધંધૂકા ખાતે સ્થાનીક જૈન સમાજ દ્વારા સંવત્સરીના પવિત્ર અવસરે મિચ્છામિ દુક્કડમ કરાયું હતું. વિધ્નહર્તા દેવના જાજરમાન આગમન સાથે જૈન સમાજે ક્ષમાના પર્વની ઉજવણી કરી. આરાધનાજી મ.સા.ના પાવન સાનિધ્યમાં સ્થાનકવાસી જૈન સંઘમાં મહાવીર જયંતિ, કલ્પસૂત્ર તથા આગમ પર્વો ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે 21 તપસ્વીઓએ વિવિધ તપસાધના પૂર્ણ કરી હતી. શહેરના શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ના આંગણે પણ આસ્થા, ભક્તિ સાથે ધાર્મિક અનુષ્ઠાન અને પ્રતિક્રમણ કરવામાં આવ્યા હતા. જેમાં શહેરના શ્રાવક-શ્રાવિકાઓએ હાજરી આપી આશીર્વાદ લીધા. બીજી તરફ્ ધંધૂકાના પેશ્વાકાલીન સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણેશ મહોત્સવનો વાજતે ગાજતે પ્રારંભ થયો. મહાત્માનગરથી વક્રતુંડની ભવ્ય શોભાયાત્રા ટાવર ચોક ગણપતિ મંદિર ખાતે પહોંચી હતી. તો કોલેજ રોડ પર ગણેશજી આગમન થયું હતું. ભક્તિભાવપૂર્વક દાદાની પધરામણી કરાઈ હતી. ધંધૂકાના કોલેજ રોડ પર ધારાસભ્ય કાળુભાઈ ડાભી તથા કાળુભાઈ બારૈયાના સૌજન્યથી કોલેજ રોડ ગણપતિ પંડાલમાં ગણેશજીની મુર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. તેમજ ધંધૂકા-ધોલેરા પંથકમાં ઠેર ઠેર ગણેશ પંડાલોમાં દુંદાળા દેવનું આગમન થતાં ભક્તિભાવનું વાતાવરણ છવાયું છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0