Chhotaudepur: આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે બોડેલીની કુમારશાળાની લીધી ઓચિંતી મુલાકાત

Dec 2, 2024 - 20:00
Chhotaudepur: આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે બોડેલીની કુમારશાળાની લીધી ઓચિંતી મુલાકાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી ડો કુબેર ડિંડોરે બોડેલીની કુમારશાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી. કેબિનેટ મંત્રી ડો કુબેર ડિંડોરે ભાષાના જ્ઞાન વિષે પ્રશ્નોતરી કરી બાળકોનું જ્ઞાન ચકાસ્યું હતું અને  બાળકોને અભ્યાસ માટે વિસ્તૃત ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર ખાતે આદિજાતી જન ઉત્કર્ષ મહોત્સવ યોજાયો હતો. એસ એન કોલેજના ગ્રાઉન્ડમાં આદિજાતી જન ઉત્કર્ષ મહોત્સ યોજવામાં આવ્યો હતો. જેમાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાના તમામ અધિકારીઓ તેમજ સંખેડા વિધાનસભા અને પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્યો તેમજ જિલ્લામાંથી આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા. આદિજાતી મંત્રી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ભીલ પ્રદેશની માગ કરનારને આડેહાથ લીધા હતાં. 

શિક્ષણ મંત્રીએ ચૈતર વસાવા પર કર્યા પ્રહાર

ચૈતર વસાવા ઉપર શિક્ષણ મંત્રીએ આક્ષેપ કરતાં કહ્યું કે, ભીલ પ્રદેશની માગણી કરનારાઓ સમાજને વિભાજન કરવા માંગે છે. આઝાદીની લડાઈમાં બિરસા મુંડા ભગવાને જે બલિદાન આપ્યાં છે. તેને સરકાર આજે ઉત્સવો કરીને પ્રજાને સાચી માહિતી આપે છે. ત્યારે ભીલ પ્રદેશ બનાવવાની માંગણી ખોટી કરવામાં આવી રહી છે. ચૈતર વસાવાએ આદિજાતી વિભાગની ચાલતી અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયની મુલાકાતમાં જે શિક્ષકો હિન્દી બોલે છે. તે શિક્ષકો અંગ્રેજીના શિક્ષક છે. તેઓને ગુજરાતી નથી આવડતું તેવું કહીને ચૈતર વસાવાને કયા વિષયની શાળા છે. તેની પણ ખબર નથી. તેમ પણ શિક્ષણ મંત્રીએ કહ્યું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0