Bhavnagar: પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા મંત્રીએ CMને કરી રજૂઆત

Sep 13, 2025 - 11:00
Bhavnagar: પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા મંત્રીએ CMને કરી રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાક.ની જેલમાં બંધ માછીમારોને છોડાવવા રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકીની CMને રજૂઆત કરવામાં આવી છે. બોટમાં IMBLની ઓળખ માટે ટ્રાન્સફોર્મર લગાવવા રજૂઆત કરી છે. ટ્રાન્ફોર્મર લગાવાય તો માછીમારો પાક. બોર્ડરમાં જતા અટકે છે. 5 વર્ષથી 194 માછીમારો, 1173 બોટ પાક.ના કબ્જામાં છે.

પાક.ની જેલમાં બંધ માછીમારોને છોડાવવા CMને રજૂઆત

ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને મત્સ્યઉધોગ અને પશુપાલનના રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા માટે પત્ર લખી મંત્રીએ કરી રજૂઆત કરી છે. 5 વર્ષ થી વધુ સમય થી 194 માછીમારો અને 1173 માછીમારી બોટ પાકિસ્તાનના કબ્જામાં છે.

 5 વર્ષથી 194 માછીમારો, 1173 બોટ પાક.ના કબ્જામાં

માછીમારોને છોડાવવા માટેની રાજ્યકક્ષાએથી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી ભારત સરકારના ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને સોંપવામાં આવી છે. મુખ્યમંત્રીને પત્રમાં ભારત સરકારને રજૂઆત કરવા પણ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોના બોટમાં IMBLની ઓળખ માટે ટ્રાન્સફોર્મર લગાવવા પણ કરી રજૂઆત કરી છે. ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇનની માછીમારોને ઓળખ થાય તેવું ટ્રાન્સફોર્મર લગાવવામાં આવે તો માછીમારો પાકિસ્તાનની બોર્ડરમાં જતા અટકે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0