Bharuch:વેડચ ગામે ભાથીજી મંદિરે 885 જવારાનું વિસર્જન

Oct 4, 2025 - 03:00
Bharuch:વેડચ ગામે ભાથીજી મંદિરે 885 જવારાનું વિસર્જન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જંબુસર તાલુકાના વેડચ ગામે ભાથીજી દાદા મંદીરે જવારાનુ મોટી સંખ્યામાં સ્થાપન કરવામાં આવ્યુ હોવાના તથા ભાવિક ભક્તો બેન્ડવાજા ના સંગીત ના સાથે શોભાયાત્રા કાઢી મહાકાળી માતા ના મંદિર પાસે આવેલ ગામ તળાવમાં વિસર્જન કરવામા આવ્યુ હતું.

આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજય પર્વ દશેરાની જંબુસર શહેર તથા તાલુકા માં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાના વેડચ ગામે ગોપ ચૌહાણ વગામાં 151 વર્ષ ઉપરાંતનું પૌરાણિક ભાથીજી દાદાનુ મંદિર આવેલ છે. ચાલુ સાલે 885જવારા સ્થાપન કરવામાં આવ્યાં હતાં જેને વળાવવા દશેરાના દિવસે ઉત્સાહ પૂર્વક ધામધૂમથી બેન્ડવાજા ના સંગીતના સથવારે માથે પારી ચઢાવી ભાથીજી મહારાજના મંદિર થી ગામના મુખ્ય માર્ગો પર થઈ ને મહારાજ ના જયનાદ સાથે મહાકાળી માતાના મંદિર પાસે આવેલ ગામ તળાવ માં વિસર્જન કરવામા માં આવ્યાં હતાં.આ પ્રસંગે જંબુસર ધારાસભ્ય ડી કે સ્વામી, બળવંત સિંહ પઢીયાર,મંદિરના ટ્રસ્ટી અને માજી સરપંચ રણજીત ભાઇ જાદવ,ડેપ્યુટી સરપંચ, મારુતિ મિત્ર મંડળ સભ્યો, ભાથીજી બાળ મંડળ વેડચ,તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ,મહામંત્રી જ્યોતિષભાઈ, ભુપેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતાં.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0