Bharuch:ઝાડેશ્વર બસ સ્ટેશનથી નર્મદા ચોકડી સુધી પેવર બ્લોક બેસાડવાની કામગીરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 15 જુનથી 5 જુલાઈ સુધી બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી પધાર્યા છે ત્યારે હજારોની સંખ્યામાં હરિભકતો મંદિરે દર્શન, સત્સંગ કરવા આવતા હોય છે ત્યારે સ્વામિનારાયણ મંદિરના પાછળના રોડની કામગીરીને લઈ હરિભકતોમાં નારાજગી જોવા મળી રહી છે. દરમિયાનમાં આ રોડ પર બ્લોક બેસાડવાની કામગીરી માટે મટિરીલય લઈને આવેલી એક ટ્રક ફસાઈ જતાં બે ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ઝાડેશ્વર ગામમાં એક જમાનામાં કાકાના હુલમણા નામથી ઓળખાતા રાજકીય વ્યકિતનો સિક્કો વાગતો હતો પરંતુ એમના નિધન બાદ ઝાડેશ્વર ગામનો વિકાસ રૂંધાઈ ગયો.
ઝાડેશ્વર બસ સ્ટેશનથી લઈ નર્મદા ચોકડીને જોડતા માર્ગનું જિલ્લા પંચાયત દ્વારા માર્ગનુ નિર્માણ થઈ રહ્યુ છે જે એક દોઢ મહિના પહેલા ઝાડેશ્વર બસ સ્ટેશનથી લઈ સ્વામિનારાયણ મંદિર સુધી બ્લોકની કામગીરી પુર્ણ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ કામગીરી બંધ થતા હાલ ગામપંચાયત ચુંટણી ટાણે કામગીરી ચાલુ કરવામાં આવી છે જે સ્વામિનારાયણ મંદિરના પાછળના ગેટથી નર્મદા ચોકડી સુધીના માર્ગ પર પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજરોજ આ માર્ગ ઉપર મટીરીયલ લઈ આવેલ ટ્રક ફસાઈ જતા 2 ક્રેઈન અને 1 જેસીબીની મદદથી ટ્રકને બહાર કાઢી હતી.
મંદિર આવતા હરિભકતો જણાવી રહ્યા હતા કે છેલ્લા એક દોઢ મહિનાથી આ માર્ગની કામગીરી બંધ કરી હતી ત્યારે હાલ મહંત સ્વામીની ઝાડેશ્વર મંદિરે પધરામણી કરી છે ત્યારે જ તંત્રને કામગીરી કરવાની સમજ પડી. આ ઉપરાંત સ્થાનિક લોકોએ પણ ભારે બળાપો ઠાલવ્યો હતો. ઝાડેશ્વરની તમામ સોસાયટીના રહીશોએ માર્ગ માટે માર્ગ ઉપર ઉતરવુ પડયુ હતુ અને ઝાડેશ્વર ગામ પંચાયતનો ઘેરાવો કરતાં જિલ્લા પંચાયત દ્વારા ઝાડેશ્વર બસ સ્ટેશનથી લઈ સ્વામિનારાયણ મંદીરના પાછળના ગેટ થઈ નર્મદા ચોકડી સુધીનો માર્ગ તથા બીજો ઝાડેશ્વર આઈમાતા કીરાણા શોપથી લઈ સ્વામિનારાયણ મંદિરના રોડ અને તુલસીધામમાં માર્કેટ રોડ પર પેવર બ્લોકનું કામ હાથ ધરાયું છે.
ચૂંટણીમાં મતદાનમાં અસર પડવાની શક્યતા
ઝાડેશ્વર ગામમાં 23756 મતદારો મતદાન કરશે, ત્યારે સ્થાનિક લોકો આક્ષેપ રહ્યો છે કે ઝાડેશ્વર ગામમાં ઝાડેશ્વર બસ સ્ટેશનથી લઈ ઝાડેશ્વર પંચાયત સુધીનો જ વિકાસ જોવા મળી રહ્યો છે ગામની તમામ સોસાયટીઓમાં કોઈ જ પ્રકારની સુવિધાઓ કે કોઈ જ પ્રકારનો વિકાસ રાજકીય પક્ષોએ કર્યો નથી. ત્યારે આગામી તા.22મીએ મતદારોનો મિજાજ કેવો દેખાશે તે જોવું રહ્યુ. ગામપંચાયત ચુંટણીમાં પાંચ પેનલો મેદાને છે જેમાં 5 સરપંચના ઉમેદવારો અને 97 સભ્યપદ માટે ઉમેદવારો મેદાને ઉતર્યા છે. મતદારો કોની પસંદગી કરે છે તે હવે જોવુ રહ્યુ.
What's Your Reaction?






