Bharuch: ઘાણીખુટ કરજણ નદીમાં ઘોડાપૂર, ધારીયાધોધ પર સહેલાણીઓ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો

ભરૂચની ઘાણીખુટ કરજણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિસહેલાણીયો માટે ધોધ પર આવવા માટે મનાઈ ફરમાવાઈ ભરૂચના અલગ અલગ વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ભરૂચમાં ઉપરવાસમાં ઉમરપાડા તાલુકામાં આઠ ઈંચ વરસાદ વરસતા ઘાણીખુંટ કરજણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. ત્યારે હાલમાં ધારીયાધોધ પર સહેલાણીઓ માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કરજણ નદીમાં ઘાણીખુટ ગામે લાખો સહેલાણીઓ ધારીયાધોધ ખાતે આવતા હોય છે. ત્યારે સહેલાણીઓ માટે ધોધ પર આવવા માટે મનાઈ ફરમાવાઈ દેવામાં આવી છે અને હાલમાં ધોધનું વિકરાળ રૂવરૂપ જોવા મળ્યું છે. બ્રિજ ધરાશાયી થતાં આજુબાજુના અનેક ગામ સંપર્કવિહોણા તમને જણાવી દઈએ કે ધોધમાર વરસાદને પગલે વિસ્તારના નદી નાળા છલકાયા છે અને નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે વરસાદના કારણે મોવી ગામનો બ્રિજ ધરાશાયી થતાં આજુબાજુના અનેક ગામ સંપર્કવિહોણા બન્યા છે અને લોકો જોખમી રીતે નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે હાલમાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે વરસાદને લઈ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બનથી વરસાદની આગાહી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા, શહેરીજનો પરેશાન અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. તેમજ વસ્ત્રાલમાં પાણી ભરાતા શહેરીજનો પરેશાન થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ઘરની બહાર નીકળી શક્યા નથી. શહેરમાં ધોધમાર વરસાદથી મેમ્કોમાં 2 ઈંચ, નરોડામાં 2 ઈંચ વરસાદ આવ્યો છે. પૂર્વ અમદાવાદમાં વરસેલા વરસાદથી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે. ત્યારે તંત્ર દ્વારા પ્રિ મોનસુનની કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. લોકોમાં ચર્ચા છે કે કરોડો રૂપિયાનો ખર્ચ રોડ બનાવવામાં કરવામાં આવે છે. તેમજ ગટરલાઈન સાફ કરવા લાખો રૂપિયા ખર્ચાય છે છતાં પણ સામાન્ય વરસાદમાં ચારે બાજુ વરસાદી પાણીનો નિકાલ થયો નથી.

Bharuch: ઘાણીખુટ કરજણ નદીમાં ઘોડાપૂર, ધારીયાધોધ પર સહેલાણીઓ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભરૂચની ઘાણીખુટ કરજણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ
  • સહેલાણીયો માટે ધોધ પર આવવા માટે મનાઈ ફરમાવાઈ
  • ભરૂચના અલગ અલગ વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ

ભરૂચમાં ઉપરવાસમાં ઉમરપાડા તાલુકામાં આઠ ઈંચ વરસાદ વરસતા ઘાણીખુંટ કરજણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. ત્યારે હાલમાં ધારીયાધોધ પર સહેલાણીઓ માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કરજણ નદીમાં ઘાણીખુટ ગામે લાખો સહેલાણીઓ ધારીયાધોધ ખાતે આવતા હોય છે. ત્યારે સહેલાણીઓ માટે ધોધ પર આવવા માટે મનાઈ ફરમાવાઈ દેવામાં આવી છે અને હાલમાં ધોધનું વિકરાળ રૂવરૂપ જોવા મળ્યું છે.

બ્રિજ ધરાશાયી થતાં આજુબાજુના અનેક ગામ સંપર્કવિહોણા

તમને જણાવી દઈએ કે ધોધમાર વરસાદને પગલે વિસ્તારના નદી નાળા છલકાયા છે અને નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે વરસાદના કારણે મોવી ગામનો બ્રિજ ધરાશાયી થતાં આજુબાજુના અનેક ગામ સંપર્કવિહોણા બન્યા છે અને લોકો જોખમી રીતે નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે હાલમાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

હાલમાં રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય

રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે વરસાદને લઈ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બનથી વરસાદની આગાહી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા, શહેરીજનો પરેશાન

અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. તેમજ વસ્ત્રાલમાં પાણી ભરાતા શહેરીજનો પરેશાન થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ઘરની બહાર નીકળી શક્યા નથી. શહેરમાં ધોધમાર વરસાદથી મેમ્કોમાં 2 ઈંચ, નરોડામાં 2 ઈંચ વરસાદ આવ્યો છે. પૂર્વ અમદાવાદમાં વરસેલા વરસાદથી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે. ત્યારે તંત્ર દ્વારા પ્રિ મોનસુનની કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. લોકોમાં ચર્ચા છે કે કરોડો રૂપિયાનો ખર્ચ રોડ બનાવવામાં કરવામાં આવે છે. તેમજ ગટરલાઈન સાફ કરવા લાખો રૂપિયા ખર્ચાય છે છતાં પણ સામાન્ય વરસાદમાં ચારે બાજુ વરસાદી પાણીનો નિકાલ થયો નથી.