Banaskanthaના અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025ને લઈ કલેકટરે યોજી મહત્વની બેઠક

ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'નું આયોજન કરાશે. પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'ના આયોજનને લઇને બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.શ્રદ્ધાળુઓને નહી પડે કોઈ તકલીફ જિલ્લા કલેકટરે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રી અને વર્તમાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યાત્રાધામ વિકાસ અંતર્ગત શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠના દર્શન કરવાનો સુલભ્ય અવસર મળી રહે તે હેતુથી શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. ચાલુ વર્ષે ૯ થી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં શ્રદ્ધાળુઓ ૨.૫ કિ.મી ત્રિજ્યામાં ૫૧ શક્તિપીઠ થકી દર્શનનો લાભ મેળવી શકશે. શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જિલ્લા કલેકટરે તમામ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો. ૭૫૦ થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે જિલ્લા કલેકટરે માહિતી આપતા જણાવ્યું કે, વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના સહયોગથી પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ માટે જિલ્લા કક્ષાની અલગ અલગ ૨૦ જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે. સ્વચ્છતા માટે ૪૫૦થી વધુ સફાઈ કામદારો ખડે પગે રહેશે. આ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૭૫૦ થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે. નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી આ સાથે જુદા જુદા જિલ્લામાંથી દર્શનાર્થીઓને આવવા માટે બસ અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર પરિક્રમા સી.સી.ટી.વી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે. અંબાજી ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે રથ થકી લોકોને પરિક્રમામાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અલગ અલગ જિલ્લાના ૧૭૦૦ થી વધુ સંઘો, સાધુ - સંતો, ધાર્મિક આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સાથે ત્રણ દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકલ ભજન, ગરબા, રોશની- લાઈટિંગ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળશે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'માં આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આ વર્ષે યોજાનાર આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજનને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો છે.આ પ્રેસ પરિષદમાં અંબાજી વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદી દ્વારા સમગ્ર તૈયારીઓ અંગે માહિતી તથા નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર દ્વારા પત્રકાર મિત્રોને આવકારીને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શેખ સહિત જિલ્લાના પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.  

Banaskanthaના અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025ને લઈ કલેકટરે યોજી મહત્વની બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'નું આયોજન કરાશે. પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'ના આયોજનને લઇને બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

શ્રદ્ધાળુઓને નહી પડે કોઈ તકલીફ
જિલ્લા કલેકટરે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રી અને વર્તમાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યાત્રાધામ વિકાસ અંતર્ગત શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠના દર્શન કરવાનો સુલભ્ય અવસર મળી રહે તે હેતુથી શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. ચાલુ વર્ષે ૯ થી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં શ્રદ્ધાળુઓ ૨.૫ કિ.મી ત્રિજ્યામાં ૫૧ શક્તિપીઠ થકી દર્શનનો લાભ મેળવી શકશે. શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જિલ્લા કલેકટરે તમામ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.

૭૫૦ થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે
જિલ્લા કલેકટરે માહિતી આપતા જણાવ્યું કે, વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના સહયોગથી પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ માટે જિલ્લા કક્ષાની અલગ અલગ ૨૦ જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે. સ્વચ્છતા માટે ૪૫૦થી વધુ સફાઈ કામદારો ખડે પગે રહેશે. આ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૭૫૦ થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે.

નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી
આ સાથે જુદા જુદા જિલ્લામાંથી દર્શનાર્થીઓને આવવા માટે બસ અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર પરિક્રમા સી.સી.ટી.વી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે. અંબાજી ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે રથ થકી લોકોને પરિક્રમામાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અલગ અલગ જિલ્લાના ૧૭૦૦ થી વધુ સંઘો, સાધુ - સંતો, ધાર્મિક આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સાથે ત્રણ દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકલ ભજન, ગરબા, રોશની- લાઈટિંગ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળશે
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'માં આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આ વર્ષે યોજાનાર આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજનને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો છે.આ પ્રેસ પરિષદમાં અંબાજી વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદી દ્વારા સમગ્ર તૈયારીઓ અંગે માહિતી તથા નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર દ્વારા પત્રકાર મિત્રોને આવકારીને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શેખ સહિત જિલ્લાના પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.