Amreli લેટરકાંડને લઈને સૌથી મહત્વના સમાચાર, દિલીપ સંઘાણીએ CMને લખ્યો પત્ર

Feb 3, 2025 - 13:00
Amreli લેટરકાંડને લઈને સૌથી મહત્વના સમાચાર, દિલીપ સંઘાણીએ CMને લખ્યો પત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી લેટરકાંડને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમરેલી લેટરકાંડને લઈને દિલીપ સંઘાણીએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો  છે. હાઈકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં અમરેલી લેટરકાંડની તપાસ કરવા માગ કરવામાં આવી છે. 

મળતી માહિતી મુજબ,  અમરેલી લેટરકાંડને લઈને દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. અમરેલી લેટર કાંડની હાઈકોર્ટનાં નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માગ કરાઇ છે. જોકે પોલીસ કસ્ટડીમાં ભાજપના નેતાઓનું નામ આપવા અંગેનું મનિષભાઇ વઘાશીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, મનીષ વઘાશીયાએ કરેલા આક્ષેપ પણ અત્યંત ગંભીર છે. આ બાબત અત્યંત ગંભીર બાબત કહી શકાય, અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારુ માનવુ છે. કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે, આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી.

વધુમાં દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, આ બાબતે સત્યતા બહાર લાવવા મારે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું. તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય ૨-૪ વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઇએ...જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે.આ કેસની તપાસ હાઈકોર્ટના સીટિંગ અથવા નિવૃત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0